/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Tejashwi-Yadav-2.jpg)
તેજસ્વી યાદવ (Pics : RJD/X)
Bihar Politics : બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નો કારમો પરાજય થયો હતો. આ પછી આજે યોજાયેલી વિધાયક દળની બેઠકમાં પાર્ટીએ ફરી એકવાર તેજસ્વી યાદવને આરજેડી વિધાયક દળ એટલે કે વિપક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. પટનામાં આરજેડી ધારાસભ્ય દળની બેઠકમાં અધ્યક્ષ લાલુ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, મીસા ભારતી, આરજેડીના તમામ વરિષ્ઠ નેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા.
આરજેડીની આ મહત્વપૂર્ણ બેઠકમાં લાલુ યાદવે તેજસ્વી યાદવ વિશે કહ્યું હતું કે તેઓ વર્તમાન અને ભવિષ્યના નેતા છે. મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવ યાદવે સૌ પહેલા તેજસ્વી યાદવને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વધુ સારી રીતે પાર્ટી ચલાવી રહ્યા છે.
તેજસ્વીએ વોટ બેંકમાં વધારો કર્યો
લાલુ યાદવે તેજસ્વી યાદવ વિશે કહ્યું કે તેઓ સંગઠનને પણ મજબૂત બનાવી રહ્યા છે. તેમણે પાર્ટીનો વિસ્તાર કર્યો છે. લાલુએ કહ્યું કે તેમના કામના કારણે પાર્ટીની વોટ બેંક વધી છે. લાલુએ કહ્યું કે પાર્ટીનો વર્તમાન અને ભવિષ્ય તેજસ્વી છે.
લાલુ યાદવ સિવાય પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ તેજસ્વી યાદવને આશીર્વાદ આપ્યા હતા. પાર્ટી દ્વારા ઠરાવ પસાર કરીને તેજસ્વી યાદવને સર્વાનુમતે ગૃહના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - રામનાથ ગોએન્કા સાર્વજનિક જીવનમાં સાહસ અને સત્યનિષ્ઠાના પ્રતીક હતા – પીએમ મોદી
જગદાનંદ સિંહે ઈવીએમ પર કર્યો પ્રહાર
પટનામાં આરજેડીની બેઠક બાદ બહાર આવેલા દિગ્ગજ નેતા જગદાનંદ સિંહે કહ્યું કે તેજસ્વી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા હશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે તેમણે કહ્યું કે આ વખતે આ ચૂંટણીમાં ઇવીએમ મશીનોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન આરજેડી નેતા શક્તિસિંહ યાદવે કહ્યું કે આ જનાદેશ મશીનરી મેનેજમેન્ટ તરફથી આવ્યો છે, વિશ્વના કોઈ પણ રાજકીય પક્ષ માટે 90 ટકા સ્ટ્રાઇક રેટ શક્ય નથી. આજની બેઠકમાં તમામ પક્ષના નેતાઓએ તેજસ્વીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટ્યા છે. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us