બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2025 : શું તેજસ્વી યાદવ વિપક્ષ નેતા પણ નહીં બની શકે? જાણો કેટલી સીટો જોઇએ

Bihar Assembly Election Result 2025 : બિહારમાં એનડીએએ પ્રચંડ વિજય મેળવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ 206 બેઠકો પર આગળ છે. જ્યારે મહાગઠબંધન માત્ર 30 બેઠકો પર આગળ છે. જો અમુક નિશ્ચિત સંખ્યામાં સીટ નહીં આવે તો વિપક્ષના નેતા પણ બની શકશે નહીં

Written by Ashish Goyal
Updated : November 14, 2025 16:22 IST
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2025 : શું તેજસ્વી યાદવ વિપક્ષ નેતા પણ નહીં બની શકે? જાણો કેટલી સીટો જોઇએ
તેજસ્વી યાદવ - Photo- facebook

Bihar Assembly Election Result 2025 : બિહારમાં એનડીએએ પ્રચંડ વિજય મેળવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ 206 બેઠકો પર આગળ છે. જ્યારે મહાગઠબંધન માત્ર 30 બેઠકો પર આગળ છે. ઘણી બેઠકો પર પરિણામો પણ આવવા લાગ્યા છે. આવનારા સમયમાં વિપક્ષને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેન્ડ પરિણામોમાં ફેરવાશે તો વિપક્ષનો નેતા કોણ હશે?

આરજેડી 24 વિધાનસભા બેઠકો પર આગળ છે અને બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે 25 બેઠકોની જરૂર છે. બીજી તરફ બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ 16 મા રાઉન્ડ પછી પાછળ ચાલી રહ્યા છે.

કઈ પાર્ટીને કેટલી બેઠકો મળે છે?

ક્રમાંકપાર્ટીબેઠકો (વલણો)
1જનતા દળ (યુનાઇટેડ) – જેડીયુ84
2ભારતીય જનતા પાર્ટી – ભાજપ95
3રાષ્ટ્રીય જનતા દળ – આરજેડી24
4લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) – એલજેપીઆરવી20
5ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2
6ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) (લિબરેશન) – સીપીઆઈ (એમએલ) (એલ)1
7હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) – એચએએમએસ5
8ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન – એઆઈએમઆઈએમ6
9રાષ્ટ્રીય લોક મોરચા – આરએસએચટીએલકેએમ4
10ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ (એમ)1
11ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી – સીપીઆઈ0
12બહુજન સમાજ પાર્ટી – બસપા1
12અપક્ષ0

આ પણ વાંચો – તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવની સીટ પર કેવું છે પરિણામ

વિપક્ષના નેતા બનવા માટે શું જરૂરી છે?

  • જે પાર્ટી પાસે વિપક્ષમાં સૌથી વધુ બેઠકો હોય છે તે વિપક્ષના નેતાનો દાવો સૌ પ્રથમ કરી શકે છે.
  • જોકે તેની પાસે વિધાનસભા અથવા લોકસભાની કુલ બેઠકોની સંખ્યાની 10 ટકા સીટ હોવી જોઈએ.
  • બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે, તેથી વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 25 બેઠકોની જરૂર છે.
  • મહત્વની વાત એ છે કે 10 ટકા બેઠકોની શરત ગઠબંધન પર લાગુ પડતી નથી પરંતુ એક જ પક્ષને લાગુ પડે છે.
  • જો ગઠબંધન તેની બેઠકો જોડીને કોઈને વિપક્ષનો નેતા બનાવે છે તો વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી જરૂરી છે અને તે નિર્ણયને અંતિમ માનવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ