/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Brazil-Plane-Crash.jpg)
બ્રાઝિલ વિમાન દુર્ઘટના - photo - Social media
Brazil Plane Crash, બ્રાઝિલ વિમાન દુર્ઘટના: બ્રાઝિલથી એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સ્થાનિક એરલાઇનનું 68 સીટર પ્લેન અચાનક અકસ્માતનો શિકાર બન્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક પ્લેન અચાનક કાબૂ બહાર જઈને નીચે પડી ગયું. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલી હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી મળી છે કે તેમાં 62 લોકો સવાર હતા, જે તમામના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બ્રાઝિલના સાઓ શહેરમાં થઈ હતી, સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે, પરંતુ સ્થાનિક મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લેનમાં 62 લોકો સવાર હતા, જે તમામના મોત થયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન વિનહેડ સિટી નજીક ઝડપથી નીચેની તરફ પડતું જોવા મળે છે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા છે.
🚨🇧🇷 BREAKING:
Video footage shows the aftermath of the plane crash that allegedly resulted in the deaths of 68 passengers.#Brazil#planecrashpic.twitter.com/e15sQZPqPM— Berkan Yılmaz (@Berk04790) August 9, 2024
વિમાનમાં 58 લોકો સવાર હતા
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પ્લેન બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન VOEPASSનું હતું. જે જહાજ ક્રેશ થયું તેનું નામ 2283-PS-VPB છે. વિમાને 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બરો સાથે કાસ્કેવેલથી ગુઆરુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
Uma notícia muito triste. Toda minha solidariedade aos familiares e amigos das vítimas. pic.twitter.com/eb47itDbe8
— Lula (@LulaOficial) August 9, 2024
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
આ વિમાન દુર્ઘટનાને લઈને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે એવું લાગે છે કે અકસ્માતમાં તમામ મુસાફરોના મોત થયા છે. એક્સ પરના એક વીડિયોમાં તેણે લોકોને એક મિનિટનું મૌન પાળવા કહ્યું.
આ પણ વાંચોઃ-World Lion Day 2024 : વિશ્વ સિંહ દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
પ્લેન ક્રેશ કંપનીએ નિવેદન જારી કર્યું છે
એરલાઇન કંપની વોપાસે પણ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગુઆરુલહોસ માટે ઉડતું વિમાન ક્રેશ થયું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિમાન વિન્હેદો શહેરમાં પડ્યું છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ટીમો મોકલવામાં આવી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us