CAA Notification: પશ્વિમ બંગાળ અને કેરળમાં લાગુ નહીં થાય સીએએ, શું કેન્દ્રના કાયદાને લાગુ કરવા ઇન્કાર કરી શકે છે આ રાજ્ય?

CAA notification : કેન્દ્ર સરકારે ચાર વર્ષ બાદ સીએએ લાગુ કરવાનું નોટિફિકેશન તો બહાર પાડી દીધું છે પરંતુ કેન્દ્ર સરકારના આ પગલાંથી કેટલાક રાજ્યો નારાજ છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં સીએએ લાગુ થશે કે નહીં એ મોટો પ્રશ્ન છે.

CAA notification : કેન્દ્ર સરકારે ચાર વર્ષ બાદ સીએએ લાગુ કરવાનું નોટિફિકેશન તો બહાર પાડી દીધું છે પરંતુ કેન્દ્ર સરકારના આ પગલાંથી કેટલાક રાજ્યો નારાજ છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં સીએએ લાગુ થશે કે નહીં એ મોટો પ્રશ્ન છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
union minister Amit Shah, Amit shah statement on CAA

કેન્દ્રિય મંત્રી અમિત શાહ, સીએેએ- Express photo

CAA Notification: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દરેક મોરચે જીત માટે લડી રહી છે તો ચાર વર્ષથી બંને ગૃહોમાં પસાર થયેલા સીએએ એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમને સોમવારે લાગુ કરી દીધો છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આખરે તેના ઢંઢેરામાં આપેલું વચન પૂરું કર્યું.

Advertisment

ગૃહ મંત્રાલયે સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએનું નોટિફિકેશન બહાર પાડ્યું. હવે સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સીએએ ડિસેમ્બર 2019 માં બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ પછી મોદી સરકારે તેને ચાર વર્ષ માટે રોકી દીધી હતી. હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે.

હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારના કારણે ભારત આવેલા લઘુમતીઓ દેશની નાગરિકતા મેળવી શકશે. પરંતુ, બે રાજ્યો કેરળ અને પશ્ચિમ બંગાળે તેનો અમલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ બંને રાજ્યોનું કહેવું છે કે જો CAA અને NRI દ્વારા કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે તેને લાગુ થવા દઈશું નહીં.

બંગાળ અને કેરળ સરકારોએ વિરોધ કર્યો

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે નાગરિકતા સંશોધન અધિનિયમ અને એનઆરસી દ્વારા જો કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે ચૂપ રહીશું નહીં. આનો સખત વિરોધ કરશે. સાથે જ તેમણે કહ્યું કે આ બંગાળ છે, અમે અહીં સીએએ લાગુ નહીં થવા દઈએ. તે જ સમયે, કેરળના સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત પુનરાવર્તિત કર્યું છે કે અમે અહીં સીએએ લાગુ થવા દઈશું નહીં. જે મુસ્લિમ લોકોને બીજા વર્ગના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદાના વિરોધમાં આખું કેરળ એકસાથે ઊભું જોવા મળશે.

Advertisment
CAA rules notification, Citizenship Amendment Act, CAA
મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

શું રાજ્ય સરકારો કાયદાનો અમલ કરવાનો ઇનકાર કરી શકે છે?

આ સમજતા પહેલા બંધારણની કેટલીક મહત્વની જોગવાઈઓ સમજી લઈએ. વાસ્તવમાં બંધારણમાં સંઘ, રાજ્ય અને સમવર્તી યાદી છે. તે જણાવે છે કે કયા વિસ્તારો કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળ આવે છે. યુનિયન લિસ્ટમાં તે બાબતોનો સમાવેશ થાય છે જેમાં માત્ર સંસદને જ કાયદો બનાવવાનો અધિકાર છે. તેમાં સંરક્ષણ, વિદેશી બાબતો, વસ્તી ગણતરી અને રેલવે અને નાગરિકતા જેવા 100 વિષયોનો સમાવેશ થાય છે. રાજ્ય સૂચિમાં, ફક્ત રાજ્યને જ કાયદો બનાવવાનો અધિકાર છે. તેમાં પોલીસ, કોર્ટ, આરોગ્ય, રસ્તા વગેરે જેવા 61 વિષયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ- CAA નોટિફિકેશન : કોઈએ કહ્યું ઐતિહાસિક છે તો કોઈએ તેની સરખામણી ગોડસેના વિચાર સાથે કરી

હવે વાત કરીએ સમવર્તી યાદીની, તેમાં તે બાબતોનો સમાવેશ થાય છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંનેને કાયદો બનાવવાનો અધિકાર છે. જો કેન્દ્ર કોઈપણ બાબતે કાયદો બનાવે તો રાજ્યોએ તેને સ્વીકારવો પડશે. તેની પાસે ના પાડવાનો કોઈ વિકલ્પ નથી. તેમાં 52 વિષયો છે. એકંદરે, રાજ્ય સરકારોને કેન્દ્રીય સૂચિમાં સમાવિષ્ટ વિષયો પર નિર્ણય લેવાનો અધિકાર નથી.

તમને જણાવી દઈએ કે આ મામલો નાગરિકતા સાથે જોડાયેલો છે, તેથી તેને કોઈપણ હાઈકોર્ટમાં પણ પડકારી શકાય નહીં. જાન્યુઆરી 2020 માં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સીએએ સંબંધિત કોઈ કેસની સુનાવણી હાઈકોર્ટમાં કરવામાં આવશે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 200થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય આપ્યો નથી.

કેરળ west bengal કેન્દ્ર સરકાર અમિત શાહ