ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ કેમ ન બની શકે? સરળ મુદ્દાઓમાં સમજો

Not possible India Army Coup : ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ન થઈ શકે, ભારતીય આર્મી હંમેશા સિસ્તતાનું પ્રતિક છે, ભારતમાં લોકશાહી મજબૂત છે, જેથી ભારતની સેના ક્યારે બળવો કરી તખ્તાપલટ ન કરી શકે.

Not possible India Army Coup : ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ન થઈ શકે, ભારતીય આર્મી હંમેશા સિસ્તતાનું પ્રતિક છે, ભારતમાં લોકશાહી મજબૂત છે, જેથી ભારતની સેના ક્યારે બળવો કરી તખ્તાપલટ ન કરી શકે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Not possible India Army Coup

ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ શક્ય નથી, અહીં સેના તખ્તાપલટ ન કરી શકે

Civil War not possible in India : બાંગ્લાદેશમાં શેખ હસીનાના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ છે. તે હાલમાં ભારતમાં આશ્રય લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં અહીંથી જવાની તૈયારી કરી રહ્યા છે. હવે બાંગ્લાદેશમાં જે કંઈ થયું છે, ઘણા લોકો તેને બળવો માને છે. હવે, જો કે વચગાળાની સરકારની રચના થવાની છે, પરંતુ તેમાં સેનાની સીધી ભૂમિકા હોવાથી તેને બળવા જેવું માનવામાં આવી રહ્યું છે. આ સાથે, સેનાએ જ હસીનાને દેશની બહાર જવાની તક આપી હતી, આને પણ તખ્તાપલટનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.

Advertisment

જ્યાં સેના પાસે અમર્યાદિત સત્તા છે, ત્યાં બળવો થાય છે

હાલમાં, ઘણા લોકો ગૂગલ પર એક પ્રશ્ન પૂછે છે - શું ભારતમાં ક્યારેય બળવો થઈ શકે છે? શું ભારતની સેના ક્યારેય શાસન કરી શકે છે? હવે આનો સીધો જવાબ છે - ના. વાસ્તવમાં, જે દેશોમાં લોકશાહી વધુ મજબૂત છે, તે દેશોમાં સેના પાસે અમર્યાદિત સત્તા નથી, તે દેશોમાં સેના સરકારના હિસાબે કામ કરે છે.

ભારતીય સેના લક્ષ્મણ રેખાને પાર કરતી નથી

હવે, ભારતીય સેનાના ઇતિહાસને જોતાં, ત્યાં શિસ્ત સર્વોપરી છે. તેનું એક કારણ એ છે કે, ભારતીય સેનાના સિદ્ધાંતો પશ્ચિમી દેશોથી પ્રભાવિત છે. વાસ્તવમાં, અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું, તેમની તમામ નીતિઓની દેશ પર ઊંડી અસર પડી, આવી સ્થિતિમાં સેના પણ તેનાથી દૂર રહી શકી નહીં. નાની-મોટી ઘટનાઓ તો બનતી રહે, ક્યારેક એવું લાગતું હતું કે, સેનાની અંદર પણ બળવો થઈ શકે છે, પરંતુ એકતાનો મંત્ર એવો હતો કે, તેણે ક્યારેય સેનાને લક્ષ્મણ રેખા પાર ન થવા દીધી.

ભારતીય સેનાનો પાયો પશ્ચિમી દેશો જેવો છે

ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોમાં જ્યાં લોકશાહી સ્થપાઈ છે, ત્યાં ક્યારેય તખ્તાપલટની કોઈ ઘટના જોવા મળી નથી, એટલે જ ભારત પણ એ દિશામાં ક્યારેય આગળ વધ્યું નથી. અહીં સેના ચોક્કસપણે શક્તિશાળી રહી છે, પરંતુ તે સરકારની આધીન પણ છે. બીજી રસપ્રદ વાત એ છે કે, 1857 ની ક્રાંતિ પછી અંગ્રેજોએ ભારતીય સેનાને જાતિઓમાં વહેંચવાનું શરૂ કર્યું. આ જ કારણોસર જાતિ આધારિત રેજિમેન્ટ બનાવવામાં આવી હતી. આ તે સમય હતો, જ્યારે જાતિના આધારે જુદા જુદા રાજ્યોની રચના થઈ હતી. પરંતુ સૈન્યની એકતામાં કોઈ ખોટ ન હતી, અને શિસ્ત જળવાઈ રહી હતી.

Advertisment

મતભેદો હોવા છતાં સેના એકજૂટ રહી

એ જ રીતે, 1946 માં ભારતીય નૌકાદળમાં બળવો થયો હતો, પરંતુ ભારતીય સૈનિકોની કુલ સંખ્યા 25 લાખથી વધુ હોવાથી, તે વિરોધની અસર નજીવી હતી અને તે રોષ કોઈ મોટા આંદોલનનું સ્વરૂપ લઈ શક્યો ન હતો. એમ કહી શકાય કે, ત્યારે પણ સેના તમામ મતભેદોથી ઉપર ઊઠીને એકજૂટ રહી હતી. જો કે, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુને પણ એ હકીકતનો શ્રેય મળવો જોઈએ કે, તેમણે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સેનાની સત્તાઓ સ્પષ્ટ કરી દીધી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં સરકાર હંમેશા સર્વોચ્ચ રહેશે.

નેહરુએ ક્રાંતિકારી ફેરફારો કર્યા

તે સમજી શકાય છે કે, દેશના પ્રથમ કમાન્ડર અને ચીફનું નામ જનરલ કરિઅપ્પા હતું. આ પહેલા આ પોસ્ટ બ્રિટિશ સૈનિકો પાસે હતી. પરંતુ નહેરુએ એક મોટો નિર્ણય લીધો અને તે પદ નાબૂદ કરી દીધું. તેમની દલીલ હતી કે આર્મી, નેવી અને એરફોર્સનું મહત્વ સમાન છે, તેથી ત્રણેય માટે અલગ-અલગ ચીફ હોવા જરૂરી છે. હવે નહેરુએ માત્ર આ નિર્ણય લીધો જ નહીં, તેની સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, સંરક્ષણ પ્રધાનનું પદ સર્વોચ્ચ હશે અને ત્રણેય સેનાના વડા તેમને રિપોર્ટ કરશે. અહીં પણ સત્તાની વહેંચણી એવી હતી કે, સેના ક્યારેય સરકારથી મોટી ન બની શકે.

કટોકટી દરમિયાન પણ સેનાએ શિષ્ટાચાર તોડ્યો નથી

નેહરુએ પોતે બીજું મોટું પગલું ભર્યું અને તીન મૂર્તિ નિવાસને તેમનું સત્તાવાર નિવાસસ્થાન બનાવ્યું. આ એ વિસ્તાર હતો, જ્યાં પહેલા કમાન્ડર ઇન ચીફ રહેતા હતા. પરંતુ સૈન્યને સરકારના અંકુશમાં રાખવાનું હોવાથી નેહરુએ તીન મૂર્તિ માર્ગને તેમનું સત્તાવાર નિવાસસ્થાન બનાવ્યું. બાદમાં તેમણે કમાન્ડર ઇન ચીફનું પદ પણ નાબૂદ કર્યું. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે, નેહરુના સમયગાળામાં જ લોકશાહીનો પાયો નખાયો હતો, જ્યાં સેના અને સરકારની સત્તાઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવી હતી. આનો પુરાવો ઈમરજન્સી દરમિયાન પણ જોવા મળ્યો હતો.

ઉતાર-ચઢાવ, ઉકેલ માત્ર રાજકીય

ઘણા નિષ્ણાતો ઇચ્છતા હતા કે, તે સમયે ત્રણેય સેના પ્રમુખોએ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ એક થઈ જવું જોઈતુ હતુ અને તત્કાલિન પીએમ સાથે પરિસ્થિતિ વિશે વાત કરવી જોઈએ. પરંતુ કારણ કે ભારતમાં લોકશાહી હતી અને સેનાએ પોતાને રાજકારણથી દૂર રાખવાનું નક્કી કર્યું, તે સમયગાળા દરમિયાન પણ સેના બહુ શક્તિશાળી દેખાઈ ન હતી. એવું

માનવામાં આવે છે કે, બળવો ત્યારે જ થાય છે જ્યાં અસ્થિરતા હોય અને રાજકીય પક્ષો પોતાની રીતે કોઈ નિર્ણય લઈ શકતા નથી. પરંતુ ભારતમાં આવી સ્થિતિ ક્યારેય આવી ન હતી, ભલે ચડાવ-ઉતાર આવ્યા હોય, રાજકીય ઉકેલો મળ્યા. આવી સ્થિતિમાં સૈન્યનો ઉપયોગ માત્ર યુદ્ધ અને આંતરિક સુરક્ષા પૂરતો મર્યાદિત હતો. આ કારણથી ભારત અને બાંગ્લાદેશની સરખામણી ન થઈ શકે, અહીં ક્યારેય તખ્તાપલટની સ્થિતિ ન થઈ શકે.

bangladesh Indian army એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ india Express Exclusive દેશ