કેનેડા સરકારના બજેટમાં આ સ્કીમ પર શરૂ થઈ ચર્ચા, જસ્ટિન ટ્રુડો પર લાગ્યા મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો

કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે બજેટમાં મુસ્લિમોને લગતી હલાલ ગીરો યોજના વિશે વાત કરી હતી. ત્યારબાદ વિપક્ષો સહિત લોકો આને મુસ્લીમ તૃષ્ટીકરણ ગણાવી રહ્યા છે, અને આને ખતરનાક માની રહ્યા છે.

Written by Kiran Mehta
April 18, 2024 17:57 IST
કેનેડા સરકારના બજેટમાં આ સ્કીમ પર શરૂ થઈ ચર્ચા, જસ્ટિન ટ્રુડો પર લાગ્યા મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો
કેનેડા જસ્ટિન ટ્રુડો સરકારે બજેટમાં હલાલ ગીરો સ્કીમની કરી જાહેરાત, મુસ્લિમ તુષ્ટિકરણના થઈ રહ્યા આરોપ (ફોટો - એક્સપ્રેસ)

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિર્ણયથી દેશમાં હલચલ મચી ગઈ છે. વિપક્ષો પણ તેમની આકરી ટીકા કરી રહ્યા છે. તેમના વાર્ષિક બજેટમાં તેમણે મુસ્લિમો માટે હલાલ મોર્ટગેજ એટલે કે હલાલ લોનની જાહેરાત કરી છે. ત્યાંના લોકો આને મુસ્લિમોને છૂટ આપવાનું પગલું ગણાવી રહ્યા છે અને તુષ્ટિકરણની નીતિને અનુસરવાની વાત કરી રહ્યા છે.

સરકારનું કહેવું છે કે, લોકોની આર્થિક સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સરકારે કહ્યું છે કે, વિદેશીઓ પર બે વર્ષ સુધી તેમના દેશમાં જમીન ખરીદવા પર પ્રતિબંધ રહેશે. સરકાર પહેલા પોતાના દેશના લોકોને ઘરમાલિક બનવાની તક આપવા માંગે છે.

વિદેશીઓને જમીન ખરીદવા પર પ્રતિબંધ

સરકારનું આ બજેટ 16 એપ્રિલે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને નાણા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ દ્વારા ઑન્ટારિયોમાં સંસદ હિલ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં જ તેમણે મુસ્લિમોને લગતી હલાલ ગીરો યોજના વિશે વાત કરી હતી. આ સાથે સરકારે વિદેશીઓને દેશમાં જમીન સંપાદન કરવા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

સરકારનું કહેવું છે કે, વિદેશીઓ દ્વારા સતત જમીન ખરીદવાના કારણે દેશના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડામાં જમીન મોંઘી બની રહી છે. સરકાર પહેલા પોતાના લોકોને ઘરમાલિક બનાવશે.

આને ધ્યાનમાં રાખીને, આગામી 2 વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2027 સુધી જમીન ખરીદવા પર વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધ નવો નથી. 1 જાન્યુઆરી, 2023 થી 1 જાન્યુઆરી, 2025 સુધી વિદેશીઓ પર જમીન ખરીદવા પર પહેલેથી જ પ્રતિબંધ છે. સરકારે તેમાં બે વર્ષનો વધારો કર્યો છે.

હલાલ ગીરો શું છે?

ઇસ્લામ, યહુદી અને ખ્રિસ્તી ધર્મમાં વ્યાજખોરી અને વ્યાજ વસૂલવા પર પ્રતિબંધ છે. ઈસ્લામ મુજબ ઉધાર લઈ શકાય છે, પરંતુ તેના પર વ્યાજ વસૂલવું એ પાપ છે. આને ધ્યાનમાં રાખીને, ત્યાંની સરકારે મુસ્લિમો માટે હલાલ મોર્ટગેજ યોજના શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વિશે ઘણી વાતો કહી રહ્યા છે. તેઓ માને છે કે, તેનાથી સમાજના એક વર્ગને જ ફાયદો થશે. તેથી જ સરકાર હલાલ મોર્ટગેજ યોજના લાવી છે.

આ પણ વાંચો – Iran Israel War : ઈરાનના હુમલાનો જવાબ આપશે ઈઝરાયેલ: બ્રિટને આપ્યું સમર્થન, જાણો ક્યા દેશે કોનું કર્યું સમર્થન

સરકારના આ પગલાને લઈને કેનેડિયનોએ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. તેમનું કહેવું છે કે, આ ખતરનાક છે અને તેનાથી ધાર્મિક પ્રણાલી અનુસાર નિયમો બનાવવાની નવી પરંપરા શરૂ થઈ જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ