લોકસભા ચૂંટણી પરિણામો 2024 : કેન્દ્રીય તપાસ એજન્સીઓની સકંજા બાદ પક્ષપલટો કરનાર, જાણો - કોણ જીત્યું, કોણ હાર્યું?

Lok Sabha Election Result 2024 : પક્ષપલટો કરનાર કેટલાક ઉમેદવાર અથવા કેન્દ્રીય તપાસ એજન્સીઓની તપાસ હેઠળના કેટલાક ઉમેદવાર. તો જોઈએ કોણ હાર્યું અને કોણ જીત્યું.

Lok Sabha Election Result 2024 : પક્ષપલટો કરનાર કેટલાક ઉમેદવાર અથવા કેન્દ્રીય તપાસ એજન્સીઓની તપાસ હેઠળના કેટલાક ઉમેદવાર. તો જોઈએ કોણ હાર્યું અને કોણ જીત્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
defected Candidates Lok Sabha Election Result 2024

લોકસભા ચૂટણી પહેલા પક્ષપલટો કરનાર ઉમેદવારો, 9 હાર્યા ચાર જીત્યા

Lok Sabha Election Result 2024, દીપ્તિમાન તિવારી : મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે જૂથની યામિની જાધવથી માંડીને પશ્ચિમ બંગાળમાં ભાજપના તાપસ રોય સુધી, ઝારખંડમાં કોંગ્રેસના પ્રદીપ યાદવથી લઈને રાજસ્થાનમાં ભાજપના જ્યોતિ મિર્ધા સુધી, તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા 13 ટર્નકોટમાંથી નવ કે તેમના પરિવારના સભ્યો જે લોકસભામાં હારી ગયા છે. લોકસભા ચૂંટણી , જેના પરિણામો મંગળવારે (4 જૂન) જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisment

નવ હારનારાઓમાં સાત ભાજપ અથવા તેના સાથી પક્ષોના

શનિવારે સંપન્ન થયેલી ચૂંટણીમાં 150 થી વધુ પક્ષપલટુ - એવા રાજકારણીઓ જેઓ એક રાજકીય પક્ષમાંથી બીજામાં ગયા હતા - તેવા પણ મેદાનમાં હતા. તેમાંથી 13 ઉમેદવારો અથવા તેમના પરિવારના સભ્યો પણ હતા, જે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), આવકવેરા વિભાગ અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે.

13 પક્ષપલટો કરનારમાં - 7 કોંગ્રેસના, બે ઉદ્ધવ જૂથના, એક ટીએમસીના, એક વાયવાયએસઆરસીપી, એક જેવીપી અને એક પીઈપીના

13માંથી આઠ ભાજપમાં જોડાયા હતા - સાત કોંગ્રેસમાંથી અને એક તૃણમૂલ કોંગ્રેસમાંથી. તેમાંથી બે શિવસેના જૂથમાંથી શિંદેના ગ્રુપમાં જોડાયેલા હતા, એક વાયએસઆરસીપીમાંથી ટીડીપીમાં જોડાયો હતો, અને બે ઝારખંડ વિકાસ પાર્ટી અને પીઈપીમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. એજન્સીના સ્કેનર હેઠળના આઠ લોકો હતા જેઓ ભાજપમાં જોડાયા હતા, તેમાંથી છ ચૂંટણી હારી ગયા. તો શિવસેનાના શિંદે જૂથમાં જોડાયેલા બેમાંથી એક હારી ગયો, અને કોંગ્રેસમાં જોડાયેલા ઝારખંડ વિકાસ પાર્ટી અને પીઈપીમાંથી એક-એકની પણ હાર થઈ.

Advertisment

પક્ષપલટો કર્યા બાદ કોણ કોણ હાર્યું?

પક્ષપલટો કર્યા બાદ હારી ગયેલા અગ્રણીઓમાં રાજસ્થાનના નાગૌરથી જ્યોતિ મિર્ધા, યુપીના જૌનપુરથી કૃપાશંકર સિંહ, કોલકાતા ઉત્તરથી રોય, આંધ્રપ્રદેશના અરાકુથી કોથાપલ્લી ગીતા, પટિયાલાથી પ્રનીત કૌર અને ઝારખંડના સિંઘભૂમથી ગીતા કોડાનો સમાવેશ થાય છે. તો શિવસેના શિંદે જૂથમાંથી યામિની જાધવ મુંબઈ દક્ષિણથી ચૂંટણી હારી ગયા, જ્યારે કોંગ્રેસના પ્રદીપ યાદવ ઝારખંડના ગોડ્ડાથી હારી ગયા.

કેન્દ્રીય તપાસ એજન્સીના સકંજા બાદ પક્ષપલટો

કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિ મિર્ધા સપ્ટેમ્બર 2023 માં ભાજપમાં જોડાયા હતા, જ્યારે લોકસભા ચૂંટણીને લગભગ છ મહિના બાકી હતા. થોડા મહિના પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિપ્રા ગ્રુપની ફરિયાદના આધારે ઈન્ડિયાબુલ્સ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ઈન્ડિયાબુલ્સ મિર્ધાના સાસરિયાઓ ચલાવે છે - ઈન્ડિયાબુલ્સના પ્રમોટર સમીર ગેહલોત મિર્ધાના પતિ નરેન્દ્ર ગેહલોતના ભાઈ છે.

આ બાજુ મુંબઈ કોંગ્રેસના પૂર્વ વડા કૃપાશંકર સિંહ 2012 માં અપ્રમાણસર સંપત્તિના કેસમાં મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસનો સામનો કરી રહ્યા હતા. ED એ એસીબી કેસના આધારે તપાસ શરૂ કરી. ફેબ્રુઆરી 2018 માં, સિંઘને મંજૂરીના અભાવને કારણે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. 2019 માં, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને 2021 માં ભાજપમાં જોડાયા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મ્યુનિસિપલ ભરતીઓમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ વર્ષે જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલના મુખ્ય દંડકના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. માર્ચની શરૂઆતમાં, તાપસ રોય ભાજપમાં જોડાયા અને બીજેપીએ તેમને કોલકાતા ઉત્તરમાંથી મેદાનમાં ઉતાર્યા. જોકે, તેઓ ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય સામે હારી ગયા હતા.

ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાની પત્ની ગીતા કોડા 2019ની ચૂંટણીમાં રાજ્યમાંથી જીતનાર એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમના પતિને CBI અને ED દ્વારા તેમની સામે નોંધાયેલા અનેક કેસોમાંના એકમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોવાથી અને અન્ય કેસોમાં તપાસ ચાલુ હોવાથી, તે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ હતી અને તેના ગઢ સિંહભૂમમાંથી મેદાનમાં ઉતરી હતી. જોકે, તે જેએમએમના ઉમેદવાર સામે હારી ગઈ હતી.

તો આંધ્ર પ્રદેશમાં, વાયએસઆરસીપીના પૂર્વ સાંસદ કોથાપલ્લી ગીતા અને તેમના પતિ પી રામકોટેશ્વર રાવ પર સીબીઆઈ દ્વારા 2015 માં પંજાબ નેશનલ બેંકને તથ્યોને ખોટી રીતે રજૂ કરીને 42 કરોડ રૂપિયાની લોનમાં કથિત રીતે ડિફોલ્ટ કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટ કરવામાં આવી હતી. ગીતા જુલાઈ 2019માં ભાજપમાં જોડાઈ હતી. પરંતુ સપ્ટેમ્બર 2022 માં, તેણીને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવી હતી અને તેણીના પતિ સાથે પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતીને ટૂંક સમયમાં રાહત મળી કારણ કે તેલંગાણા હાઈકોર્ટે તેમને જામીન આપ્યા સાથે સજાને પણ સ્થગિત કરી દીધી. જોકે, દોષસિદ્ધ અકબંધ હોવાથી ગીતા ચૂંટણી લડી શકી ન હતી.

12 માર્ચે તેલંગાણા હાઈકોર્ટે દોષિત ઠરાવવા પર રોક લગાવીને રસ્તો સાફ કર્યો હતો. 28 માર્ચે, બીજેપીએ જાહેરાત કરી કે, તે અરાકુ મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર છે. જોકે, તે YSRCPની ગુમ્મા રાની સામે ચૂંટણી હારી ગઈ.

કોંગ્રેસના પૂર્વ નેતા અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌરને ભાજપે પટિયાલાથી ચૂંટણી મેદાનમાં ઉતારી. તેમનો પુત્ર રાનીન્દર સિંહ 2020માં ફોરેક્સ ઉલ્લંઘનના કેસમાં EDની તપાસ હેઠળ આવ્યો હતો. અમરિંદર સિંહે નવેમ્બર 2021માં કોંગ્રેસ છોડી દીધી હતી. બીજા જ વર્ષે તેઓ ભાજપમાં જોડાયા. કૌર કોંગ્રેસના ધરમવીર ગાંધી અને AAP ના બલબીર સિંહ પછી ત્રીજા ક્રમે રહ્યા છે.

મહારાષ્ટ્રમાં, શિવસેનાના યામિની જાધવે જૂન 2022 માં એકનાથ શિંદે જૂથમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી, જેના કારણે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી. યામિની તેના પતિ યશવંત જાધવ સાથે અનેક કેસમાં EDની તપાસનો સામનો કરી રહી હતી. આ ચૂંટણીઓમાં એનડીએએ મુંબઈ દક્ષિણમાંથી યામિનીને મેદાનમાં ઉતારી હતી, પરંતુ તે શિવસેનાના યુબીટીના અરવિંદ સાવંત સામે હારી ગઈ હતી.

જૂન 2022 માં મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા રવિન્દ્ર વાયકર ઉદ્ધવ ઠાકરેની પડખે ઉભા હતા. જો કે, મહારાષ્ટ્રમાં નવી એકનાથ શિંદેની આગેવાની હેઠળની એનડીએ સરકારે ટૂંક સમયમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા તેમની સામે તપાસ શરૂ કરી હતી, જેના પગલે ઇડીએ પણ તપાસ શરૂ કરી હતી. આ માર્ચમાં, વાયકરે શિંદે કેમ્પમાં ભાગ લીધો અને કહ્યું કે તેણે જેલમાં જવું અથવા પાર્ટી બદલવાની વચ્ચે પસંદગી કરવી પડશે. તેમને મુંબઈ નોર્થ વેસ્ટમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેઓ માંડ 48 મતોથી જીત્યા હતા.

તો ઝારખંડથી ચૂંટણી લડેલા કોંગ્રેસના પ્રદીપ યાદવને આવું નસીબ નહોતું મળ્યું. ગયા વર્ષે EDએ તેમના પર દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ ભાજપના નિશિકાંત દુબે સામે ચૂંટણી હારી ગયા હતા. તેઓ JVPમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા. પંજાબના સંગરુરથી કોંગ્રેસના ઉમેદવાર સુખપાલ સિંહ ખૈરા, જે પંજાબ એકતા પાર્ટીમાંથી પાર્ટીમાં જોડાયા હતા, તેઓ પણ EDની તપાસનો સામનો કરી રહ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા.

કોણ પક્ષપલટા અને તપાસ હેઠળ આવ્યા છતા જીત્યા?

વાયકર જેવા બીજા ઘણા હતા જેઓ એજન્સીઓના પડછાયામાં રહ્યા હોવા છતા અને પક્ષ પલટો કર્યા બાદ પણ જીત્યા. આમાં મુખ્ય નામ નવીન જિંદાલનું હતું, જે ચૂંટણીના થોડા મહિના પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી જીત્યા હતા.કોલસા બ્લોક ફાળવણી કેસમાં ચાર્જશીટ કરાયેલા જિંદાલ ભાજપમાં જોડાયા તેના થોડા મહિના પહેલા જ એક નવા કેસમાં ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : ભાજપ કઈ 240 બેઠક પર જીતી? જુઓ વિજેતા ઉમેદવારોની પૂરી યાદી

એ જ રીતે, ટીડીપીના પૂર્વ રાજ્યસભા સાંસદ સીએમ રમેશ, જેઓ 2019 માં તેમની સાથે જોડાયેલી કંપનીના પરિસરમાં આવકવેરાના દરોડા પછી ભાજપમાં જોડાયા હતા, અને હવે આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેથી જીત્યા.

આ બાજુ TDP ના મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી પણ, જેમના પુત્રની ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સરકારી ગવાહ બન્યા પછી છોડી દેવામાં આવ્યા હતા, તે ઓંગોલમાંથી જીત્યા હતા.

ચૂંટણી પરિણામ 2024 લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ