ભારતની ફૂટનીતિક જીત છે સીઝફાયર, સમજા કેવી રીતે પાકિસ્તાનને બતાવ્યું તેનું સ્થાન

India-Pakistan Ceasefire : ભારતે પોતાની શરતો પર પાકિસ્તાનને ઝાટકો આપ્યા બાદ આ સીઝફાયર માટે સહમતી દર્શાવી છે. આ સીઝફાયરને ભારત માટે મોટી કૂટનીતિક જીત પણ માનવામાં આવી રહી છે

India-Pakistan Ceasefire : ભારતે પોતાની શરતો પર પાકિસ્તાનને ઝાટકો આપ્યા બાદ આ સીઝફાયર માટે સહમતી દર્શાવી છે. આ સીઝફાયરને ભારત માટે મોટી કૂટનીતિક જીત પણ માનવામાં આવી રહી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pm modi meeting

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી - Photo X ANI

India-Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું છે. ભારતે પોતાની શરતો પર પાકિસ્તાનને ઝાટકો આપ્યા બાદ આ સીઝફાયર માટે સહમતી દર્શાવી છે. આ સીઝફાયરને ભારત માટે મોટી કૂટનીતિક જીત પણ માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કડક સંદેશ આપ્યા બાદ પોતાના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલો અહીં સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતે પાકિસ્તાનને તેનું યોગ્ય સ્થાન કેવી રીતે બતાવ્યું છે.

Advertisment

આતંકવાદ પર ભારતનું વલણ મજબૂત

ભારતે આ સીઝફાયર પોતાની શરતો પર કર્યો છે. આતંકવાદને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને જો કોઈ કૃત્ય કરશે તો તેનો જડબાતોડ જવાબ પણ મળશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. મોટી વાત એ છે કે જ્યારે પાકિસ્તાન સાથે તણાવ ચરમસીમા પર ચાલી રહ્યો હતો ત્યારે ભારતે વિશ્વના ઘણા દેશોને સંદેશ પણ આપ્યો હતો કે પાકિસ્તાને આતંકવાદી હુમલો કર્યો હોવાથી તેનો જવાબ આપવાનો તેને પૂરો અધિકાર છે.

આવી સ્થિતિમાં, જ્યારે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું ત્યારે તુર્કી અને ચીન જેવા દેશો સિવાય કોઈએ પણ પાકિસ્તાનને ટેકો આપ્યો ન હતો. ઘણા દેશોએ ફક્ત તણાવ ઘટાડવાની સલાહ આપી હતી અથવા ભારતને ટેકો આપ્યો હતો.

ઓપરેશન સિંદૂર કરીને બદલો પૂરો કર્યો

ભારતનું વલણ શરૂઆતથી જ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કે સેનાને નિશાન બનાવવાનું ન હતું, તેણે માત્ર આતંકવાદનો સફાયો કરવાનો હતો. પહેલગામ આતંકી હુમલા બાદ જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આતંકવાદ અને આતંકવાદને આશ્રય આપનારાઓને છોડવામાં નહીં આવે. આવી સ્થિતિમાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના 9 ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Advertisment

આ પણ વાંચો - ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા 5 પ્રમુખ આતંકીની વિગતો સામે આવી, મસૂદ અઝહરના સંબંધીઓ પણ સામેલ

મરકઝ સુભાન અલ્લાહ- બહાવલપુર, મરકઝ તૈયબા- મુરિદકે, સરજાલ/તેહરા કલાં, મહમૂના ઝોયા ફેસિલિટી-સિયાલકોટ, મરકઝ અહલે હદીથ બરનાલા- ભિમ્બર, મરકઝ અબ્બાસ-કોટલી, મસ્કર રાહિલ શાહિદ-કોટલી, મુઝફ્ફરાબાદમાં શાવઈ નાલા કૈમ અને મરકઝ સૈયદના બિલાલ જેવા સ્થળોએ ત્રણેય સેનાઓએ સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું અને કાર્યવાહી કરી હતી.

મોટી વાત એ છે કે ભારતે આ એક ઓપરેશન દ્વારા ઘણા વર્ષોનો બદલો પૂરો કર્યો. કંદહાર હાઇજેકથી લઇને સંસદ હુમલા સુધી 26/11થી લઇને પુલવામા સુધી તેણે દરેક મોટા આતંકીને પોતાના ગુનાની સજા આપી હતી.

india આતંકવાદી આતંકી હુમલો ઓપરેશન સિંદૂર પાકિસ્તાન ભારત પાકિસ્તાન સંઘર્ષ