ઓપરેશન સિંદૂરનો દુનિયાભરમાં સંદેશ આપશે સરકાર, ઓવૈસી, થરુર સહિત આ નેતાઓને મોકલી શકે છે વિદેશ

Operation Sindoor Message : ઓપરેશન સિંદૂર પછી ભારત ફૂટનીતિ પગલાં લઈ રહ્યું છે. મોદી સરકાર હવે ઓપરેશન સિંદૂરનો સંદેશ દુનિયા સુધી પહોંચાડવા માંગે છે. જેના માટે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળને ઘણા દેશોમાં મોકલવાની યોજના બનાવી રહી છે

Operation Sindoor Message : ઓપરેશન સિંદૂર પછી ભારત ફૂટનીતિ પગલાં લઈ રહ્યું છે. મોદી સરકાર હવે ઓપરેશન સિંદૂરનો સંદેશ દુનિયા સુધી પહોંચાડવા માંગે છે. જેના માટે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળને ઘણા દેશોમાં મોકલવાની યોજના બનાવી રહી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Operation Sindoor, india air strike

"ઓપરેશન સિંદૂર 2025" હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં ફેલાયેલા નવ આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

Operation Sindoor Message : ઓપરેશન સિંદૂર પછી ભારત ફૂટનીતિ પગલાં લઈ રહ્યું છે. મોદી સરકાર હવે ઓપરેશન સિંદૂરનો સંદેશ દુનિયા સુધી પહોંચાડવા માંગે છે. જેના માટે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળને ઘણા દેશોમાં મોકલવાની યોજના બનાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે વિપક્ષના ઘણા સાંસદોનો સંપર્ક કર્યો છે અને તેમને વિશ્વની રાજધાનીઓમાં મોકલવામાં આવેલી ટીમોનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.

Advertisment

સરકાર ખાસ દૂતોને વિદેશમાં મોકલવાની યોજના વિશે વિચારી રહી છે

સરકાર ખાસ દૂતોને વિદેશમાં મોકલવાની યોજના વિશે વિચારી રહી છે, જેથી એ બતાવી શકાય કે ભારત એકજુટ છે અને પહેલગામમાં આતંકવાદી હુમલો ઝેલ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર અલગ-અલગ સમૂહ બનાવવા પર વિચાર કરી રહી છે, જેની શરૂઆત મુખ્યત્વે સંસદીય સ્થાયી સમિતિઓથી થાય છે, જે અસરકારક રીતે બતાવી શકે છે કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત એકજૂથ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ પહેલા યુરોપ અને ગલ્ફ દેશોમાં જશે.

વિદેશ મંત્રાલય લોકસભા અને રાજ્યસભા સચિવાલયો સાથે સંકલન કરીને આ પ્રેક્ટિસમાં ભાગ લેનારા સાંસદોની યાદી તૈયાર કરી રહ્યું છે. તેમાંનો એક હેતુ અસરકારક રીતે એ સંદેશ આપવાનો છે કે ભારત પર પહેલા હુમલો કરવામાં આવ્યો હતો, અને પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકી લોન્ચ પેડ પર હુમલો કરીને તેનો બદલો લેવામાં આવ્યો હતો. 1994માં અને ફરીથી 2008માં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી જૂથો અને નેટવર્ક્સ દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલા બાદ આવી જ કવાયત હાથ ધરવામાં આવી હતી.

શશિ થરૂર વિદેશ મામલાની સંસદીય સ્થાયી સમિતિના પ્રમુખ છે

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષના ઘણા સાંસદોને "રાષ્ટ્રીય હિતમાં" પ્રતિનિધિમંડળનો ભાગ બનવા આમંત્રણ આપવા બોલાવ્યા છે. જે સાંસદો સાથે સરકાર સંપર્કમાં છે તેમાં કોંગ્રેસના શશિ થરૂર અને સલમાન ખુર્શીદ, એનસીપી (સપા)ના સુપ્રિયા સુલે, ટીએમસીના સુદીપ બંદ્યોપાધ્યાય, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, ડીએમકેના કનિમોઝી અને ભાજપના બીજે પાંડાનો સમાવેશ થાય છે. ખુર્શીદ પૂર્વ વિદેશ મંત્રી છે તો થરૂર વિદેશ મામલાની સંસદીય સ્થાયી સમિતિના પ્રમુખ છે.

Advertisment

પાકિસ્તાનથી ઉત્પન આતંકવાદ અંગે નવી દિલ્હીની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે વિવિધ દેશોમાં 5-6 પ્રતિનિધિમંડળ મોકલવાનો વિચાર છે, જેમાં પહેલગામ આતંકવાદી હુમલો અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલા અન્ય આતંકવાદી કૃત્યો, ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન વિરુદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલી રાજદ્વારી પહેલની વિગતો આપવામાં આવી છે.

પીવી નરસિંહ રાવ સરકારે વાજયેપીને મોકલ્યા હતા

આ પગલું પીવી નરસિંહ રાવે સરકારને યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન (યુએનએચઆરસી)ના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે તત્કાલીન વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને જીનીવા મોકલવાની યાદ અપાવી હતી, જ્યાં જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના મુદ્દે ભારતની નિંદા કરવાના પાકિસ્તાન પ્રાયોજિત ઠરાવને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - રામગોપાલ યાદવનું વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર વિવાદિત નિવેદન, જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ખુર્શીદે કહ્યું કે ગુરુવારે રાત્રે તેમને સરકાર તરફથી ફોન આવ્યો અને તેમણે કોંગ્રેસ નેતૃત્વ સુધી આ વાત પહોંચાડી, જે આના પર નિર્ણય લેશે. આ એક સર્વપક્ષીય પ્રયાસ છે. સર્વપક્ષીય જૂથો. તેથી મને લાગે છે કે પાર્ટી તેનું ધ્યાન રાખશે, તેમણે કહ્યું કે તેઓ કદાચ પાર્ટીનો સંપર્ક કરશે. મેં પાર્ટીને કહ્યું છે કે મને એક સંદેશ મળ્યો છે. તે પક્ષનો વિશેષાધિકાર છે કે તેઓ કોને મોકલે છે.

આ પગલું સ્થાનિક રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે આ એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરારમાં અમેરિકાની ભૂમિકાને લઈને સરકાર પર હુમલો કરી રહી છે. આવી સ્થિતિમાં ભાજપના નેતાઓ તિરંગા રેલીઓમાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ કોંગ્રેસે એક ડઝન શહેરોમાં જય હિન્દ રેલીઓ કાઢવાનો પણ નિર્ણય કર્યો છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે એનડીએના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે માત્ર એનડીએના મુખ્યમંત્રીઓને જ શા માટે બોલાવવામાં આવ્યા હતા અને તમામ મુખ્યમંત્રીઓને કેમ બોલાવવામાં આવ્યા ન હતા?

(ઇન્ડિયન એક્સપ્રેસ માટે શુભાજીત રોય અને મનોજ સીજીનો રિપોર્ટ)

ઓપરેશન સિંદૂર આતંકી હુમલો પહલગામ કેન્દ્ર સરકાર india