Chhattisgarh Encounter: છત્તીસગઢમાં અબુજમાડના ગાઢ જંગલો કેમ મહત્વપૂર્ણ છે, જ્યાં સૈનિકોએ 31 માઓવાદીઓ ઠાર માર્યા

Chhattisgarh Naxals Encounter In Abujhmad : છત્તીસઘટમાં સૈનિકોએ 31 માઓવાદીઓ ડાર કરી, રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટું એન્કાઉન્ટર ઓપરેશન છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા છે.

Written by Ajay Saroya
October 05, 2024 23:16 IST
Chhattisgarh Encounter: છત્તીસગઢમાં અબુજમાડના ગાઢ જંગલો કેમ મહત્વપૂર્ણ છે, જ્યાં સૈનિકોએ 31 માઓવાદીઓ ઠાર માર્યા
Chhattisgarh Maoists Encounter: છત્તીસગઢના અબુજમાડમાં સૈનિકોએ 31 માઓવાદી ઠાર માર્યા છે. (Express File Photo)

Chhattisgarh Naxals Encounter In Abujhmad : છત્તીસગઢના અબુજમાદ વિસ્તારમાં શુક્રવારે સુરક્ષાદળોએ 31 માઓવાદીઓને ઠાર માર્યા હતા. છત્તીસગઢ પોલીસે જણાવ્યું છે કે, આ વર્ષે માર્યા ગયેલા ૧૮૫ માઓવાદીઓમાંથી ઓછામાં ઓછા ૯૭ અબુઝમદ જિલ્લામાં માર્યા ગયા છે. માનવામાં આવે છે કે આ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું નક્સલ વિરોધી અભિયાન છે. સુરક્ષા દળોના જણાવ્યા મુજબ આ વર્ષે માડ બચાવો અભિયાન હેઠળ 40થી વધુ નક્સલ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યા છે. જેમાં એપ્રિલથી અત્યાર સુધીમાં 6 મોટા ઓપરેશનનો સમાવેશ થાય છે, જેમાં કુલ 63 માઓવાદીઓ માર્યા ગયા છે.

ગુપ્તચર માહિતી બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, પૂર્વ બસ્તર વિભાગમાં માઓવાદીઓની હાજરી અંગેની ગુપ્તચર માહિતીના પગલે શુક્રવારનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સ ઇનપુટમાં, સુરક્ષા દળોને પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી) ની સશસ્ત્ર પાંખ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (પીએલજીએ) ની કંપની નંબર 6 અને પ્લેટૂન 16 ની હાજરી અને પાર્ટીની દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી (ડીકેએસઝેડસી) ના વરિષ્ઠ સભ્યોની હાજરી અંગે ચેતવણી આપવામાં આવી હતી.

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે આ વર્ષે અબુઝમદના મુખ્ય વિસ્તાર તેમજ તેની બહારના વિસ્તારમાં નક્સલ વિરોધી શ્રેણીબદ્ધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરીથી આ વિસ્તારમાં માઓવાદી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો છે. તેનો હેતુ એ ખાતરી કરવાનો છે કે માઓવાદીઓને અબુઝમદ અથવા બસ્તરના અન્ય કોઈ વિસ્તારમાં કોઈ સલામત ક્ષેત્ર ન મળે. તેમણે કહ્યું કે માઓવાદી નેતૃત્વ અને કાર્યકરો પાસે હવે હિંસાથી દૂર રહેવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવાનો એક જ વિકલ્પ બચ્યો છે.

સુરક્ષા દળો શું કહે છે?

સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે તેમણે લગભગ 50 ટકા અબુજમાદને કવર કરી લીધો છે, જેને તેઓ એક મોટી સિદ્ધિ ગણાવે છે. આ એક એવું ક્ષેત્ર છે જેનો ક્યારેય સર્વે કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે તે ગોવા કરતા મોટું છે અને 1980ના દાયકાથી તે માઓવાદીઓનો ગઢ છે. તે છત્તિસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લાઓ સુધી ફેલાયેલું છે અને મહારાષ્ટ્રના ગડચિરોલીની સરહદો સુધી જોડાયેલું છે. અબુજમાદ લગભગ 200 ગામોને આવરી લે છે. તેમાં 40,000 લોકોની વસ્તી હોવાનો અંદાજ છે. તે નારાયણપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અધિકારીઓનું કહેવું છે કે તેના 90 ટકા વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો નથી. અહીં રહેતા લોકોને અબુઝમડિયા કહેવામાં આવે છે, જે છત્તીસગઢની સાત વિશેશ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથો (પીવીટીજી) માટે એક નાનો શબ્દ છે.

રાજકીય પક્ષો માટે અબૂઝમાડ કેમ મહત્ત્વપૂર્ણ છે?

દરેક મત અહીં રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ ગણાય છે. વર્ષ 2018માં કોંગ્રેસના ચંદન કશ્યપે નારાયણપુરમાં ભાજપના કેદાર કશ્યપ, જે બે વખત મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમને માત્ર 2647 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે આ વખતે ભાજપના પાંચ નેતાઓ પર થયેલા જીવલેણ હુમલા બાદ ભય યથાવત હોવાથી મતદાન પણ ઓછું થવાની શક્યતા છે. નારાયણપુર જિલ્લા ભાજપના ચૂંટણી સંયોજક રતન દુબેએ કહ્યું, “મેં ભાજપના કાર્યકરોને કહ્યું છે કે અબુઝમાડના મતદાન મથકો પર જવાનું જોખમ લેવાની જરૂર નથી. કે કોંગ્રેસના કાર્યકરો પણ તે જોખમ લઈ રહ્યા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ