/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Chinese-flag-spaceport-ad.jpg)
તમિલનાડુ સરકારે ઇસરોના રોકેટ પર ચીનનો ઝંડો દર્શાવ્યો
Tamil Nadu Government : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની બે દિવસની મુલાકાતે છે. તેમણે કુલાશેખરપટ્ટિનમ ખાતે ઇસરોના નવા લોન્ચ સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. હવે તે પ્રોજેક્ટને લઈને એક નવો વિવાદ પણ શરૂ થયો છે. અનિતા રાધાકૃષ્ણન તમિલનાડુ સરકારમાં મંત્રી છે. તેમના વતી આ પ્રોજેક્ટ વિશે સ્થાનિક મીડિયામાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં બધું જ કહેવામાં આવ્યું હતું ફક્ત એક મોટું આશ્ચર્ય - રોકેટ પર ચીનનો ધ્વજ હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો પ્રહાર
દરેકના મનમાં સવાલ એ છે કે જ્યારે મિશન ઈસરોનું છે, રોકેટ ભારતનું છે તો તેના પર ચીનનો ઝંડો કેવી રીતે આવ્યો. હવે ડીએમકે સરકાર આ અંગે કોઈ દલીલ કરે તે પહેલાં ભાજપે તેને મુદ્દો બનાવ્યો હતો અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટો રાજકીય હુમલો કર્યો હતો. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે ડીએમકે ભારતની પ્રગતિને સહન કરી શકતી નથી. ડીએમકેના લોકો ભારતીય વૈજ્ઞાનિકોનું અપમાન કરી રહ્યા છે. આ લોકો તમિલનાડુની જનતાનું અપમાન કરી રહ્યા છે, તેમના ટેક્સના પૈસાનું અપમાન કરી રહ્યા છે.
ડીએમકેનો ચીન પ્રત્યેનો પ્રેમ ખુલ્લો પડી ગયો - ભાજપ
ભાજપના અન્ય નેતાઓએ પણ ભાર આપીને જણાવ્યું હતું કે ડીએમકેનો ચીન પ્રત્યેનો પ્રેમ ખુલ્લો પડી ગયો છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈએ વિવાદિત જાહેરાત વિશે લખ્યું તે આ જાહેરાતમાં ડીએમકેની ચીન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. આ બતાવે છે કે આપણા દેશની સાર્વભૌમત્વની અવગણના કરવામાં આવી છે. હવે ડીએમકેના મોટા નેતા કનિમોઝીએ આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
This advertisement by DMK Minister Thiru Anita Radhakrishnan to leading Tamil dailies today is a manifestation of DMK’s commitment to China & their total disregard for our country’s sovereignty.
DMK, a party flighing high on corruption, has been desperate to paste stickers ever… pic.twitter.com/g6CeTzd9TZ— K.Annamalai (@annamalai_k) February 28, 2024
આ પણ વાંચો - રાજ્યસભા ચૂંટણી : કપિલ સિબ્બલનું સપામાં શું યોગદાન? ધારાસભ્યએ અખિલેશને કર્યો સવાલ
કનિમોઝીનું કહેવું છે કે મને ખબર નથી કે આ તસવીર ક્યાંથી આવી છે. પરંતુ હું જાણું છું કે ભારતે ચીનને પોતાનો દુશ્મન દેશ જાહેર કર્યો નથી. મેં જોયું છે કે વડા પ્રધાન પોતે ચીનના વડા પ્રધાનને આમંત્રણ આપે છે અને પછી મહાબલિપુરમ જાય છે. તેઓ સત્યને સ્વીકારતા નથી એટલા માટે જ આ પ્રકારે ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
આ જાહેરાતમાં પીએમ મોદી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને રોકેટની પૃષ્ઠભૂમિમાં ચીનના ધ્વજથી ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ જાહેરાતમાં કનિમોઝી અને યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રી ઉધયનિધિ સ્ટાલિન, વેલુ અને પશુપાલન મંત્રી અનિથા રાધાકૃષ્ણનની તસવીરો પણ દર્શાવવામાં આવી હતી. તેમાં પૂર્વ સીએમ એમ કરુણાનિધિ , તેમના પુત્ર એમકે સ્ટાલિન અને સાંસદ કનિમોઝી સહિતના ડીએમકે નેતાઓના પ્રયાસોને પ્રકાશિત કરતા શબ્દો પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us