/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/CM-Yogi-Adityanath-.jpg)
એક કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો)
CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબરી મસ્જિદ ધ્વંસના 34 વર્ષ પૂર્ણ થવાની વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટ 2025માં એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અમે દરેક જગ્યાએ પહોંચી ગયા છીએ.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું હતું કે ભાજપની આગળ શું યોજના બનશે? શું જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ મસ્જિદ પણ એક મુદ્દો બનશે? તેના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે અમે દરેક જગ્યાએ પહોંચીશું અને પહોંચી ગયા છીએ.
કોઈપણ સમાજને તેની સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ - સીએમ યોગી
આ પછી મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ સમાજને તેની સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યાં છે. યોગીએ સુપ્રીમ કોર્ટનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ભારતીય લોકશાહીની સૌથી મોટી જીત છે કે દેશે આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે.
રામ મંદિરનું નિર્માણ તેમની કારકિર્દીનો એક ઐતિહાસિક સીમાચિહ્ન
આ કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીને તેમના 8 વર્ષના કાર્યકાળ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને છેલ્લા આઠ વર્ષમાં તેમની પાર્ટીને સેવા કરવાની તક મળી છે. આ આઠ વર્ષમાં યુપીમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને તેમને ખુશી છે કે તેઓ આ પરિવર્તનના સાક્ષી છે.
આ પણ વાંચો - હુમાયુ કબીરે બાબરી મસ્જિદનો પાયો નાખ્યો, ભાજપે કહ્યું – આગ સાથે રમી રહ્યા છે મમતા બેનર્જી
પોતાની સૌથી મોટી સફળતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે એક પગલું પસંદ કરવું મુશ્કેલ છે, પરંતુ તેઓ માને છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તેમની કારકિર્દીનો એક ઐતિહાસિક સીમાચિહ્ન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us