/indian-express-gujarati/media/media_files/2026/03/05/mallikarjun-kharge-2026-03-05-11-26-23.jpg)
Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન અડગે સાથે રાહુલ ગાંધી. Photograph: (X/Mallikarjun Kharge)
Delhi Politics News: કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસના બે વર્તમાન સાંસદ અભિષેક મનુ સિંઘવી અને ફૂલો દેવી નેતમનો સમાવેશ થાય છે. આ બંને અનુક્રમે તેલંગાણા અને છત્તીસગઢથી મેદાનમાં છે.
આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાથી કરમવીર સિંહ બૌદ્ધ અને હિમાચલ પ્રદેશના અનુરાગ શર્માના નામની જાહેરાત કરી છે. અનુરાગ શર્મા હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નજીકના માનવામાં આવે છે. તેઓ કાંગડામાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે.
તામિલનાડુમાં DMK એ કોંગ્રેસને રાજ્યસભાની બેઠક આપી હતી. કોંગ્રેસે આ બેઠક પરથી એમ ક્રિસ્ટોફર તિલકને મેદાનમાં ઉતાર્યા છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નજીકના સહયોગી નરેન્દ્ર રેડ્ડીને તેલંગાણાથી રાજ્યસભાના નવા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.
— ANI (@ANI) March 5, 2026
Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.
Phulo Devi Netam from Chhattisgarh.
Karamvir Singh Boudh from Haryana.
Anurag Sharma from Himachal Pradesh.
M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ગુરુવાર છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ લોકોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
ભાજપ ઉમેદવારોની યાદી
| ક્રમ | રાજ્ય | ઉમેદવારનું નામ |
| 1 | બિહાર | નીતિન નવીન |
| 2 | બિહાર | શિવેશ કુમાર |
| 3 | અસમાન | તેરાશ ગોવાલા |
| 4 | અસમ | જોગેન મોહન |
| 5 | છત્તીસગઢ | લક્ષ્મી વર્મા |
| 6 | હરિયાણા | સંજય ભાટિયા |
| 7 | ઓડિશા | મનમોહન સામલ |
| 8 | ઓડિશા | સુજીત કુમાર |
| 9 | પશ્ચિમ બંગાળ | રાહુલ સિંહા |
| 10 | મહારાષ્ટ્ર | વિનોદ તાવડે |
| 11 | મહારાષ્ટ્ર | રામદાસ આઠવલે |
| 12 | મહારાષ્ટ્ર | માયા ચિંતામણ ઇવાનાતે |
| 13 | મહારાષ્ટ્ર | રામારાવ કુડકુતે |
બિહારના રાજકારણમાં અફરાતફરી, નીતિશ કુમારની વિદાયની સ્ક્રિપ્ટ તૈયાર!
બિહારના રાજકારણમાં અફરાતફરી મચી ગઇ છે. બુધવારે એવી અટકળો વહેતી થઇ કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે રાજીનામું આપી શકે છે અને રાજ્યસભામાં જઈ શકે છે. ગયા નવેમ્બરમાં એનડીએની પ્રચંડ જીત બાદ તેમણે શપથ લીધા ત્યારથી જ તેમની તબિયત અંગે લાંબા સમયથી ચિંતા હતી અને અટકળો ચાલી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના બહાર નીકળવા માટે બ્રેકગ્રાઉન્ટ તૈયારીઓ ચાલી રહી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us