ઓપરેશન સિંદૂર પછી ભારત-પાક સીઝફાયર પર કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું - કોઈની તરફથી મધ્યસ્થતા થઇ નથી

india pakistan ceasefire : વિદેશ સચિવ વિક્રમ મિસરીની બ્રીફિંગ બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજૂતીમાં કોઈએ હસ્તક્ષેપ કર્યો નથી, કોઈ મધ્યસ્થી થઈ ન હતી

india pakistan ceasefire : વિદેશ સચિવ વિક્રમ મિસરીની બ્રીફિંગ બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજૂતીમાં કોઈએ હસ્તક્ષેપ કર્યો નથી, કોઈ મધ્યસ્થી થઈ ન હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Salman Khurshid, સલમાન ખુર્શીદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

india pakistan ceasefire : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે 'ઓપરેશન સિંદૂર' વિશે મોટું નિવેદન આપ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ પછી મોદી સરકાર વિરોધ પક્ષોના નિશાના પર છે. જો કે હવે સલમાન ખુર્શીદે કહ્યું છે કે, કોઇએ દખલગીરી કરી નથી, કોઇ મધ્યસ્થી થઇ નથી.

Advertisment

સલમાન ખુર્શીદનું મોટું નિવેદન

વિદેશ સચિવ વિક્રમ મિસરીની બ્રીફિંગ બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજૂતીમાં કોઈએ હસ્તક્ષેપ કર્યો નથી, કોઈ મધ્યસ્થી થઈ ન હતી. પરંતુ દુનિયામાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અલગ-અલગ લોકો મેસેજ મોકલવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે કંઈ પણ થયું છે, તે માત્ર બે દેશો વચ્ચે જ થયું છે. જ્યારે મામલો વધ્યો ત્યારે તે આપણા બંને દેશો વચ્ચે હતો. જ્યારે તે સમાપ્ત થયો, ત્યારે તે બંને દેશો વચ્ચે સમાપ્ત થયો હતો. તેની શરૂઆત પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આપણે તેને સમાપ્ત કરી દેવું જોઈએ, આપણે કહ્યું કે જો તેઓ તૈયાર છે, તો તે થવું જોઈએ.

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ જવા પર સલમાન ખુર્શીદે કહ્યું કે દેશની અંદર રાજનીતિ અમારો અધિકાર છે, અમારી ફરજ છે, તે અલગ બાબત છે. પરંતુ દેશની બહાર અમારે જે કહેવું છે તે અલગ વાત છે. ”

મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો

તમને જણાવી દઈએ કે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્રમ્પના દાવાઓને લઈને મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. ખડગેએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિએ એમ કહીને આપણા દેશનું અપમાન કર્યું છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું અને ઓછામાં ઓછું સાત વખત તેનું પુનરાવર્તન કર્યું હતું.

Advertisment

આ પણ વાંચો - વિદેશ સચિવે સંસદીય સમિતિને આપી વિસ્તૃત જાણકારી, પરમાણુ હથિયારોને લઇને પણ આપ્યો જવાબ

તેમણે કહ્યું કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી માટે આખો દેશ એકજૂટ છે, પરંતુ મોદીજી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અંગે દેશની જનતાને સ્પષ્ટતા ન આપીને આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખડગેએ કહ્યું કે આઇએમએફએ પાકિસ્તાનને 1.4 અબજ ડોલરની બેલઆઉટ લોન આપી છે પરંતુ કોઈએ ભારતના વલણને સમર્થન આપ્યું નથી. તેમણે કહ્યું કે જ્યારે આપણા બહાદુર સશસ્ત્ર દળો આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત પાકિસ્તાન સંઘર્ષ ઓપરેશન સિંદૂર પાકિસ્તાન india congress ભાજપ