ચીનની વુહાન લેબમાંથી વધુ એક વાયરસ નીકળ્યો, કોરોના જેવા લક્ષણો, જાણો સંશોધકોએ શું કહ્યું

wuhan lab virus : ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ ચામાચીડિયામાં નવા કોરોનાવાયરસની ઓળખ કરી છે. તે કોવિડ -19 માટે જવાબદાર વાયરસ જેવો જ છે

Written by Ashish Goyal
February 22, 2025 17:39 IST
ચીનની વુહાન લેબમાંથી વધુ એક વાયરસ નીકળ્યો, કોરોના જેવા લક્ષણો, જાણો સંશોધકોએ શું કહ્યું
wuhan lab virus : ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ ચામાચીડિયામાં નવા કોરોનાવાયરસની ઓળખ કરી છે (તસવીર - સોશિયલ મીડિયા)

wuhan lab virus : ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ ચામાચીડિયામાં નવા કોરોનાવાયરસની ઓળખ કરી છે. તે કોવિડ -19 માટે જવાબદાર વાયરસ જેવો જ છે. આ વાયરસ માણસોમાં જોવા મળ્યો નથી અને તે માત્ર પ્રયોગશાળામાં જ મળી આવ્યો હતો. આ સંશોધનના સમાચારથી શુક્રવારે કેટલાક વેક્સીન ઉત્પાદકોના શેરની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો.

વૈજ્ઞાનિકોએ ન્યૂઝ એજન્સી રોયટર્સને ટાંકીને સેલ નામની પત્રિકામાં જણાવ્યું હતું કે HKU5-CoV-2 તરીકે ઓળખાતો આ વાયરસ SARS-CoV-2 ની જેમ આસાનીથી હ્યુમન સેલ્સમાં પ્રવેશતો નથી. આ ઉપરાંત માનવ વસ્તીમાં ઉભરવાનું જોખમ વધારીને બતાવવું જોઈએ નહીં.

નવો બેટ વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

HKU5-CoV-2 કોવિડ 19 સાથે-સાથે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (એમઇઆરએસ) નું કારણ બનનાર વાયરસથી શેર કરે છે. આ બધાની ઉત્પત્તિ HKU5 કોરોનાવાયરસથી નીકળે છે. સંશોધકોએ કહ્યું કે SARS-CoV-2 ની જેમ નવા વાયરસમાં પણ ફ્યુરિન ક્લીવેજ સાઇટ તરીકે ઓળખાતી એક લાક્ષણિકતા છે જે તેને કોષની સપાટી પર એસીઇ 2 રિસેપ્ટર પ્રોટીન દ્વારા કોશિકાઓમાં પ્રવેશવામાં મદદ કરે છે.

આ પણ વાંચો – શેખ હસીના સરકાર કાવતરાનો ભોગ બની? અમેરિકાની ગંદી નીતિનો પર્દાફાશ!

લેબોરેટરીના પરીક્ષણો દર્શાવે છે કે વાયરસ ચામાચીડિયામાં ફેલાયો છે, પરંતુ સંશોધકો હજુ પણ પ્રાણીમાંથી માનવમાં ફેલાતા વાયરસના સંભવિત જોખમ વિશે અનિશ્ચિત છે. દરેક કોરોના વાયરસ મનુષ્યને ચેપ લગાવી શકતો નથી, કારણ કે કોરોના વાયરસ એ વાયરસનો મોટો પરિવાર છે જે સામાન્ય શરદીથી લઈને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) અને કોરોનાવાયરસ રોગ -2019 (કોવિડ -19) સુધીની બીમારીઓનું કારણ બની શકે છે.

શું વાયરસના કોઈ લક્ષણો છે?

કોરોના વાયરસ અને એમઇઆરએસની એચકેયુ5 કેટેગરીના લક્ષણોમાં તાવ, ઉધરસ, થાક, છીંક, ઠંડી લાગવી, ભૂખ ન લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા અને ઉલટીનો સમાવેશ થાય છે.

વાયરસથી બચવા શું કરવું?

જો કે હજુ સુધી એ સાબિત નથી થયું કે આ વાયરસ મનુષ્યને સંક્રમિત કરી શકે છે, પરંતુ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલનું કહેવું છે કે દરેક વ્યક્તિને હંમેશા વેક્સીન કરાવવું જોઈએ. ચેપને ફેલાતો અટકાવવા માટે સાવચેતી રાખવી જોઈએ જેમ કે હાથને સારી રીતે ધોવા, માસ્ક પહેરવું અને અન્ય કોઈ જોખમ માટે તપાસ કરાવવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ