એર ઇન્ડિયા પર DGCA ની એક્શન, 3 અધિકારીઓને હટાવવાનો નિર્દેશ, સેફ્ટી પ્રોટોકોલના ભંગનો મામલો

Air India : મે મહિનામાં બેંગલુરુ-લંડન વચ્ચે ઉડાન ભરનારી બે ફ્લાઇટ્સે 10 કલાકની નિર્ધારિત ફ્લાઇટ સમય મર્યાદા કરતાં વધુ ઉડાન ભરી હોવા બદલ DGCA એ એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પણ જારી કરી

Air India : મે મહિનામાં બેંગલુરુ-લંડન વચ્ચે ઉડાન ભરનારી બે ફ્લાઇટ્સે 10 કલાકની નિર્ધારિત ફ્લાઇટ સમય મર્યાદા કરતાં વધુ ઉડાન ભરી હોવા બદલ DGCA એ એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પણ જારી કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
air India flight

એર ઈન્ડિયા ફ્લાઈટ - Express photo

DGCA warns Air India : એવિએશન સેફ્ટી વોચડોગ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ટાટા ગ્રુપ એરલાઇન એર ઇન્ડિયાને ફ્લાઇટ ક્રૂ રોસ્ટરિંગમાં વારંવાર અને ગંભીર ભૂલો બદલ કડક ચેતવણી આપી છે. કેરિયરને તેના ત્રણ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ ભૂમિકાઓમાંથી દૂર કરવા અને તેમની સામે આંતરિક શિસ્તબદ્ધ કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું છે, જાણકાર સૂત્રોએ આ જણાવ્યુ હતું.

Advertisment

સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમનકારે એરલાઇનને ચેતવણી પણ આપી છે કે ઓડિટ અથવા નિરીક્ષણમાં ક્રૂ શેડ્યુલિંગ ધોરણો, લાઇસન્સિંગ અથવા ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાઓનું ભવિષ્યમાં કોઈપણ ઉલ્લંઘન જોવા મળશે તો દંડ, લાઇસન્સ સસ્પેન્શન અથવા લાગુ પડતું ઓપરેટર પરવાનગી પાછી ખેંચી લેવા સહિત કડક અમલીકરણ કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓ ઘણી ગંભીર બેદરકારીમાં સંડોવાયેલા હતા

20 જૂનના રોજ DGCA દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આ અધિકારીઓ ઘણી ગંભીર બેદરકારીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ક્રૂની અનધિકૃત અને નિયમો વિરુદ્ધ તૈનાતી, લાઇસન્સિંગ અને ક્રૂ આરામ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન અને મોનિટરિંગ સિસ્ટમમાં વ્યાપક ખામીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ પછી થોડી મિનિટો પછી ક્રેશ થયાના થોડા દિવસો પછી આ આદેશ આવ્યો છે, જેમાં 270 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Advertisment

10 દિવસની અંદર આંતરિક શિસ્તભંગના પગલાં લેવાના નિર્દેશ

ડીજીસીએએ હવે એર ઇન્ડિયાને તાત્કાલિક આ અધિકારીઓને તેમની વર્તમાન ફરજો પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, એર ઇન્ડિયાને આ અધિકારીઓ સામે આંતરિક શિસ્તભંગના પગલાં શરૂ કરવાનો અને 10 દિવસની અંદર ડીજીસીએને પોતાનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ : DNA Test થી કેવી રીતે થાય છે લાશની ઓળખ, જાણો આખી પ્રોસેસ

ડીજીસીએના આદેશમાં જણાવાયું છે કે આ અધિકારીઓ સામે તાત્કાલિક આંતરિક શિસ્તભંગના પગલાં શરૂ કરવા જોઈએ અને આ કાર્યવાહીનો અહેવાલ 10 દિવસની અંદર સુપરત કરવો જોઈએ. આ ઉપરાંત આગામી સૂચના સુધી તેમને એવી કોઈ પોસ્ટ આપવામાં આવશે નહીં જેની ફ્લાઇટ સલામતી અને ક્રૂ પાલન પર સીધી અસર પડે.

એર ઇન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી

આ ઉપરાંત ડીજીસીએએ એર ઇન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ નોટિસ બેંગલુરુથી લંડન જતી બે ફ્લાઇટ્સ (AI 133) પર જારી કરવામાં આવી છે, જે 16 અને 17 મે 2025 ના રોજ 10 કલાકના મહત્તમ નિર્ધારિત ફ્લાઇટ સમય કરતાં વધુ ચાલી હતી. ડીજીસીએએ એર ઇન્ડિયાને 7 દિવસની અંદર જવાબ આપવા કહ્યું છે કે તેમની સામે એરક્રાફ્ટ એક્ટ અને નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.

અમદાવાદ પ્લેન ક્રેશ એરલાઇન્સ પ્લેન ક્રેશ india