Diwali 2025 : ગ્રીન ફટાકડા ખરેખર ઇકો ફ્રેન્ડલી હોય છે? જાણો નિષ્ણાંતો શું કહે છે

Diwali 2025 Green Crackers : દિવાળી પર ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે. આથી સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં દિવાળી દરમિયાન ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે.

Diwali 2025 Green Crackers : દિવાળી પર ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે. આથી સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં દિવાળી દરમિયાન ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Green Crackers | diwali 2025 | diwali Green Crackers

Diwali Green Crackers : ગ્રીન ફટાકડાથી ઓછું પ્રદૂષણ ફેલાય છે. (Photo: Social Media)

Diwali 2025 Green Crackers : દિવાળી પર ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે. આવી સ્થિતિમાં પરંપરાગત ફટાકડાના બદલે ગ્રીન ફટાકડા ફોડવાની ભલામણ કરવામાં આવે છે. લગભગ 30 ટકા ઉત્સર્જન ઘટાડવા માટે રચાયેલ ગ્રીન ફટાકડા પરંપરાગત ફટાકડા કરતા ઓછા પ્રદૂષિત છે. ભારતમાં તહેવારો દરમિયાન, ખાસ કરીને દિવાળી દરમિયાન વધતા હવા અને અવાજના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તે બનાવાય છે. આમ તો સંપૂર્ણપણે હાનિકારક નથી, તે પરંપરાગત ફટાકડા કરતા વધુ પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે.

Advertisment

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) અને નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એનઇઇઆરઆઈ) દ્વારા 2018 માં ગ્રીન ફટાકડા રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં સીપીસીબીના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર અને દિલ્હીમાં એર લેબોરેટરીઝના વડા દિપાંકર સાહાના જણાવ્યા અનુસાર, આ ફટાકડા ખાસ કરીને દિલ્હી જેવા શહેરો માટે બનાવવામાં આવ્યા હતા, જ્યાં શિયાળામાં હવાની ગુણવત્તા ઘણીવાર ભયજનક સપાટી પર પહોંચી જાય છે. પરંપરાગત ફટાકડાથી વિપરીત, ગ્રીન ફટાકડા ઓછા ઝેરી કાચા માલનો ઉપયોગ કરે છે અને તેમાં બેરિયમ નાઇટ્રેટ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક તત્વો હોતા નથી, જે પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.

આ ફટાકડાની વિશેષતા એ છે કે, જ્યારે તેને સળગાવવામાં આવે છે, ત્યારે તેમાંથી પાણીની વરાળ અથવા ધૂળ દબાવનાર નીકળે છે, જે હવામાં કણો (પીએમ) ની માત્રા ઘટાડે છે. પ્રયોગશાળાના પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તે લગભગ ૩૦ ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત, તેમાં અવાજનું સ્તર પણ ઓછું છે, જે તહેવારો દરમિયાન અવાજ ઘટાડે છે અને બાળકો, વૃદ્ધો અને પ્રાણીઓ માટે પ્રમાણમાં સલામત માનવામાં આવે છે.

Advertisment

તેમ છતાં નિષ્ણાતો સંમત થાય છે કે ગ્રીન ફટાકડા એ સંપૂર્ણ ઉકેલ નથી. પર્યાવરણ કાર્યકર્તા ભવરીન કંધારી કહે છે કે, આ ફટાકડા વધુ સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે સલામત નથી. તેમના જણાવ્યા અનુસાર, તે હજી પણ અલ્ટ્રાફાઇન કણો અને ઝેરી વાયુઓનું ઉત્સર્જન કરે છે, તેથી મર્યાદિત ઉપયોગ અને મધ્યસ્થતા એ સૌથી સમજદાર પગલું છે.

આ પણ વાંચો | ગ્રીન ફટાકડા શેમાંથી બને છે? સામાન્ય ફટકાડની તુલનામાં કિંમત કેટલી હોય છે? જાણો A to Z

સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી એનસીઆરમાં દિવાળી દરમિયાન ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેનો ઉપયોગ નિર્ધારિત સમયગાળામાં જ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 2014-15માં સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે પરંપરાગત ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

પ્રદૂષણ diwali india