SIR Gujarat : ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કામગીરીની સમયમર્યાદા લંબાવી, જુઓ નવી ડેડલાઇન કઇ છે

EC SIR Deadline Extension : ચૂંટણી પંચે આજે જારી કરેલા ત્રણ પાનાના આદેશમાં કહ્યું છે કે મતદારોની ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરવા માટે ચૂંટણી અધિકારીઓને વધુ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. મતદાતા ગણતરીનો સમયગાળો 11 ડિસેમ્બરે સમાપ્ત થશે, જ્યારે અગાઉ 4 ડિસેમ્બર છેલ્લી તારીખ હતી.

EC SIR Deadline Extension : ચૂંટણી પંચે આજે જારી કરેલા ત્રણ પાનાના આદેશમાં કહ્યું છે કે મતદારોની ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરવા માટે ચૂંટણી અધિકારીઓને વધુ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. મતદાતા ગણતરીનો સમયગાળો 11 ડિસેમ્બરે સમાપ્ત થશે, જ્યારે અગાઉ 4 ડિસેમ્બર છેલ્લી તારીખ હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
SIR Gujarat 2025 | Gujarat SIR 2025 | Gujarat voter List | ECI SIR 2025 | Special intensive revision sir gujarat

SIR Gujarat 2025 : ગુજરાતમાં SIR અંતર્ગત મતદાતા યાદી ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે.

EC SIR Deadline Extension: ગુજરાતના મતદારો માટે SIR ફોર્મ ભરવા અંગે એક રાહતના સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાની સમયમર્યાદા એક અઠવાડિયા માટે વધારી દીધી છે. હવે ગુજરાતના લોકો 11 ડિસેમ્બર, 2025 સુધી SIR ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચના નવા શિડ્યુલ મુજબ હવે ગણતરી, બૂથનું પુનર્ગઠન અને ડ્રાફ્ટ રોલ પ્રકાશિત કરવા અને દાવા - વાંધા તમામ સુધારેલી તારીખો અનુસાર કરવામાં આવશે.

Advertisment

એસઆઈઆર પ્રક્રિયા હાલમાં ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોડુંચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. નોંધાયેલા મતદારો પાસે હવે તેમના ગણતરી ફોર્મ ભરવા અને બુથ લેવલ અધિકારી (BLO) પાસે સબમિટ કરવા માટે વધુ એક અઠવાડિયાનો સમય હશે. જે પછી તેમને ચૂંટણી પંચના ECINet પોર્ટલ પર અપલોડ કરશે. ડ્રાફ્ટ રોલ હવે 9 ડિસેમ્બરને બદલે 16 ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. 11 ડિસેમ્બર સુધીમાં ફોર્મ સબમિટ કરનારા તમામ લોકોને ડ્રાફ્ટ રોલમાં શામેલ કરવામાં આવશે. અંતિમ રોલ હવે 7 ફેબ્રુઆરીને બદલે 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

ક્રમકામગીરીછેલ્લી તારીખ
1ગણતરી સમયગાળો11.12.2025 (ગુરુવાર) સુધી
2મતદાન મથકોનું પુનર્ગઠન11.12.2025 (ગુરુવાર) સુધી
3કંટ્રોલ ટેબલ અપડેટ કરવું અને મતદાર યાદીની તૈયારી કરવી12.12.2025 (શુક્રવાર) થી 15.12.2025 (સોમવાર) સુધી
4ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન16.12.2025 (મંગળવાર)
5દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો16.12.2025 (મંગળવાર) થી 15.01.2026 (ગુરુવાર) સુધી
6નોટિસ તબક્કો16.12.2025 (મંગળવાર) થી 07.02.2026 (શનિવાર) સુધી
7અંતિમ મતદાર યાદીનું પ્રકાશન14.02.2026 (શનિવાર)

ચૂંટણી પંચે પોતાના પત્રમાં શું લખ્યું છે?

ચૂંટણી પંચે રવિવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે 27 ઓક્ટોબરે આપવામાં આવેલી સૂચનાઓની જગ્યાએ નવા શેડ્યૂલ અમલમાં આવશે. ચૂંટણી પંચે આ ફેરફારનું કારણ આપ્યું નથી. ચૂંટણી પંચે શનિવારે એક અખબારી યાદીમાં કહ્યું હતું કે 51 કરોડ મતદારો માટે 99.53 ટકા મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમાંથી 78.97 ટકા ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.

Advertisment

કોંગ્રેસે ચૂંટણી પંચના આ પગલાને આવકાર્યો

કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ ચૂંટણી પંચના આ પગલાને આવકાર્યું છે. "એસઆઈઆરને એક અઠવાડિયા સુધી લંબાવવાનો અર્થ એ છે કે ચૂંટણી પંચને ખ્યાલ છે કે આ પ્રક્રિયા આટલા ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શકશે નહીં. ”

ગુજરાત ચૂંટણી પંચ દેશ