ED Raids Saurabh Bharadwaj: હોસ્પિટલ બાંધકામ કૌભાંડનો મામલો: AAP નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને EDના દરોડા

ED Raids Saurabh Bharadwaj Residence News in Gujarati: દિલ્હી ACBએ જૂન મહિનામાં ભારદ્વાજ અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે દિલ્હીભરમાં હોસ્પિટલોના બાંધકામમાં ખર્ચમાં વધારા અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ કેસ નોંધ્યો હતો.

Written by Ankit Patel
Updated : August 26, 2025 11:21 IST
ED Raids Saurabh Bharadwaj: હોસ્પિટલ બાંધકામ કૌભાંડનો મામલો: AAP નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને EDના દરોડા
aap નેતા સૌરભ ભારદ્વાજ - Photo- X

Saurabh Bharadwaj ED Raid News: હસ્પિટલોના બાંધકામમાં કથિત અનિયમિતતાઓના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી ACBએ જૂન મહિનામાં ભારદ્વાજ અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે દિલ્હીભરમાં હોસ્પિટલોના બાંધકામમાં ખર્ચમાં વધારા અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ કેસ નોંધ્યો હતો.

સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ, આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “આજે સૌરભજીના ઘરે દરોડો કેમ પાડવામાં આવ્યો? કારણ કે દેશભરમાં મોદીજીની ડિગ્રી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

શું મોદીજીની ડિગ્રી નકલી છે? આ ચર્ચા પરથી ધ્યાન હટાવવા માટે દરોડા પાડવામાં આવ્યા છે. જે સમયે આ કેસની જાણ થઈ રહી છે, તે સમયે સૌરભજી મંત્રી પણ નહોતા. તેનો અર્થ એ કે આખો કેસ ખોટો છે. સત્યેન્દ્રજીને પણ ત્રણ વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા અને પછી આખરે CBI/EDએ ક્લોઝર રિપોર્ટ આપવો પડ્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે દાખલ કરાયેલા તમામ કેસ ફક્ત જુઠ્ઠાણા અને રાજકારણથી પ્રેરિત છે.”

સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ ખોટો છે – સંજય સિંહ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, “સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ ખોટો અને પાયાવિહોણો છે. જે સમયે EDએ કેસ દાખલ કર્યો હતો, તે સમયે તેઓ મંત્રી પણ નહોતા. AAP નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરીને તેમને જેલમાં ધકેલી દેવા એ મોદી સરકારની નીતિ છે.

આ બધા AAP નેતાઓને એક પછી એક હેરાન કરવા અને જેલમાં ધકેલી દેવા માટે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની નકલી ડિગ્રી પરથી ધ્યાન હટાવવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની નકલી ડિગ્રી પર ચર્ચા અટકાવવા માટે EDએ દરોડા પાડ્યા છે.”

શું આ કેસ હોસ્પિટલ બાંધકામ સાથે સંબંધિત છે?

હવે કેસની વાત કરીએ તો, આ કથિત હોસ્પિટલ બાંધકામ કૌભાંડ 5590 કરોડ રૂપિયાનું છે. 2018-2019માં, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારે 24 હોસ્પિટલોના નિર્માણ માટે 5,590 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. ICU હોસ્પિટલનું બાંધકામ છ મહિનામાં પૂર્ણ થવાનું હતું, પરંતુ ત્રણ વર્ષ પછી પણ કામ અધૂરું રહ્યું છે. 800 કરોડ રૂપિયા ખર્ચવા છતાં, માત્ર ૫૦ ટકા કામ પૂર્ણ થયું છે.

આ પણ વાંચોઃ- સિંધુ જળ સંધિ સ્થગિત છતા ભારતે પાકિસ્તાનને મદદ કરી, મોટું નુકસાન થતા બચાવ્યું

LNJP હોસ્પિટલનો ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો. ઘણી જગ્યાએ પરવાનગી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. HIMSનું કામ 2016 થી પેન્ડિંગ છે અને તેમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવાના આરોપો છે. સૌરભ ભારદ્વાજ ઉપરાંત, AAP નેતા સત્યેન્દ્ર જૈન પણ આ કેસમાં તપાસ હેઠળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ