ઇસ્કોનના ચિન્મય દાસને તાત્કાલિક છોડો, શેખ હસીનાએ બાંગ્લાદેશની યુનુસ સરકાર પાસે કરી માંગણી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે સનાતન ધર્મના અનુયાયીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. તેમને તરત જ છોડી દેવા જોઈએ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે સનાતન ધર્મના અનુયાયીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. તેમને તરત જ છોડી દેવા જોઈએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sheikh hasina, bangladesh violence, bangladesh

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સરકારની આકરી ટીકા કરી છે. તેમણે ઇસ્કોન મંદિરના પૂજારી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડને અન્યાયપૂર્ણ ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું કે યુનુસ સરકાર ચિન્મય દાસને તાત્કાલિક રિહા કરો.

Advertisment

બાંગ્લાદેશની કોર્ટની બહાર વકીલની હત્યા પર શેખ હસીનાએ કહ્યું કે આ હત્યામાં સામેલ લોકોને વહેલી તકે શોધીને સજા મળવી જોઈએ. તેમણે વકીલની હત્યામાં સામેલ લોકોને આતંકવાદી ગણાવ્યા હતા અને બાંગ્લાદેશના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદ સામે એક થવાની અપીલ કરી હતી.

દેશના લોકો આતંકવાદ અને ઉગ્રવાદ સામે એક થાય - શેખ હસીના

શેખ હસીનાએ કહ્યું કે ગેરબંધારણીય રીતે સત્તા પર કબજો જમાવનારી યુનુસ સરકાર જો આ આતંકીઓને સજા આપવામાં નિષ્ફળ જશે તો તેને માનવાધિકારના ભંગ બદલ પણ સજાનો સામનો કરવો પડશે. હું દેશના લોકોને અપીલ કરું છું કે તેઓ આવા આતંકવાદ અને ઉગ્રવાદ સામે એક થાય.

આ પણ વાંચો - બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડથી ગુસ્સામાં ભારત, PM મોદીને 68 રિટાયર્ડ ઓફિસરોની ચિઠ્ઠી

Advertisment

શેખ હસીના વતી અવામી લીગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય લોકોની સલામતી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. સત્તા પડાવનારા તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પાર્ટીના એક ટોચના નેતાએ કહ્યું કે સરકારે આતંકવાદ અને ઉગ્રવાદ સામે એક થવાનો નિર્ણય લીધો છે.

https://twitter.com/albd1971/status/1862071077918388588

સનાતન ધર્મના અનુયાયીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે સનાતન ધર્મના અનુયાયીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. તેમને તરત જ છોડી દેવા જોઈએ. તેમણે કહ્યું કે ચટગાવમાં એક મંદિરને સળગાવી દેવામાં આવ્યું છે. અગાઉ અહમદિયા સમુદાયની મસ્જિદો, દરગાહો, ચર્ચો, મઠો અને ઘરો પર હુમલા, તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. તમામ સમુદાયના લોકોની ધાર્મિક સ્વતંત્રતા અને જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

શેખ હસીના bangladesh india વિશ્વ