Explained : ચંદીગઢનો ઇતિહાસ, પંજાબ - હરિયાણાનો દાવો અને કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત બિલ સામે વિરોધ કેમ?

Chandigarh Bill : ચંડીગઢ હાલ પંજાબ અને હરિયાણાના સંયુક્ત પાટનગર છે, જેને લઇ બંને રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર શિયાળું સત્રમાં પ્રસ્તાવિત ચંદીગઢ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે તેની પહેલા જ પંજાબના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

Chandigarh Bill : ચંડીગઢ હાલ પંજાબ અને હરિયાણાના સંયુક્ત પાટનગર છે, જેને લઇ બંને રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર શિયાળું સત્રમાં પ્રસ્તાવિત ચંદીગઢ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે તેની પહેલા જ પંજાબના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Chandigarh Bill | Chandigarh | Chandigarh article 240

Chandigarh Bill : ચંડીગઢ બિલ અંગે વિવાદ ઉભો થયો છે.

Chandigarh Bill : કેન્દ્રની મોદી સરકાર ચંડીગઢ માટે એક મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી રહી છે. ચંડીગઢને ભારતીય બંધારણની કલમ 240 હેઠળ સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આનો અર્થ એ થશે કે ચંડીગઢમાં લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂક કરવામાં આવશે. અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો પણ આ જ મોડેલને અનુસરે છે.

Advertisment

અહેવાલ છે કે આ શિયાળુ સત્રમાં મોદી સરકાર ચંડીગઢ વિધાયક બિલ રજૂ કરી શકે છે. પરંતુ તેની રજૂઆત પહેલા જ પંજાબના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને તેનો વિરોધ કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટપણે કહ્યું છે કે પંજાબ સાથે અન્યાય કરીને તેને નબળું પાડવામાં આવી રહ્યું છે.

હવે આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ કે ચંડીગઢ પ્રસ્તાવનો આખો વિવાદ શું છે અને શા માટે પંજાબ અને હરિયાણા આ મામલે આમનેસામને હોય છે.

ચંડીગઢની વર્તમાન સ્થિતિ શું છે?

ચંડીગઢ હાલ પંજાબ અને હરિયાણા બંનેની સંયુક્ત રાજધાની છે. બંનેનો દાવો છે કે ચંડીગઢ તેમના પાટનગર છે, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી એક સર્વસંમતિ છે કે જેના હેઠળ તેને સંયુક્ત પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Advertisment

આર્ટિકલ 240 શું છે ?

ભારતીય બંધારણની કલમ 240 કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ સાથે સંબંધિત છે જેમની પોતાની વિધાનસભા નથી. આ યાદીમાં હાલમાં આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી વગેરેનો સમાવેશ થાય છે. જો નવું બિલ પસાર થાય છે, તો ચંડીગઢને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો- ચંડીગઢમાં એક સ્વતંત્ર પ્રશાસક (એલજી) ની નિમણૂક કરવામાં આવશે.

ચંડીગઢનો હવાલો કોણ સંભાળે છે?

હાલમાં પંજાબના રાજ્યપાલ ચંડીગઢના પ્રશાસક તરીકે ફરજ બજાવે છે. પાટનગર ભલે સંયુક્ત હોય, પરંતુ વહીવટી સત્તા લાંબા સમયથી પંજાબના રાજ્યપાલ પાસે છે. જો આ બિલ પસાર થઈ જશે તો અહીં પણ મોટો ફેરફાર થશે અને પ્રશાસકની નિમણૂક કેન્દ્રીય સ્તર પરથી થશે.

ચંડીગઢ અંગે પંજાબ અને હરિયાણાના દાવા શું છે?

ચંડીગઢને બંને રાજ્યોના પાટનગર બનાવવામાં આવ્યા ત્યારથી દાવાનો વિવાદ ચાલી રહ્યો છે. પંજાબની દલીલ - ચંદીગઢમાં પંજાબી ભાષી વસ્તી મોટી છે. તેથી, તે પંજાબનું પાટનગર હોવું જોઈએ. હરિયાણાની દલીલ- અહીં મોટી સંખ્યામાં હરિયાણવી/હિન્દી ભાષી વસ્તી પણ છે, તેથી તેના પર અધિકાર હરિયાણાનો હોવો જોઈએ. બંને રાજ્યોએ ઐતિહાસિક, ભાષાકીય અને વહીવટી દલીલો આપીને તેને પોતાની તરફેણમાં મુદ્દો બનાવ્યો છે.

ચંડીગઢનો ઇતિહાસ શું છે?

સરકારી દસ્તાવેજો અનુસાર, આજનો ચંડીગઢ પ્રદેશ પ્રાચીન સમયમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો ભાગ માનવામાં આવે છે. 1947માં ભાગલા પછી લાહોર પાકિસ્તાનમાં ગયું. આવી સ્થિતિમાં, પૂર્વ પંજાબ (જે ભારતમાં રહ્યું હતું) પાસે પોતાનું કોઈ પાટનગર ન હતું. આ ખામીને દૂર કરવા માટે, 1950 ના દાયકામાં એક નવી આધુનિક પાટનગર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નવા શહેરનું નામ ચંડીગઢ રાખવામાં આવ્યું હતું.

હરિયાણા અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું?

આઝાદી પછી પંજાબ એક મોટું રાજ્ય હતું; તે સમયે હરિયાણા નામનું કોઈ અલગ રાજ્ય નહોતું. પરંતુ 1966માં પંજાબ પુનર્ગઠન કાયદો રજૂ કરવામાં આવ્યો. આ હેઠળ, પંજાબને ભાષાના આધારે વિભાજિત કરવામાં આવ્યું હતું - પંજાબી ભાષી વિસ્તાર પંજાબ બન્યો અને હિન્દી/હરિયાણવી ભાષી વિસ્તાર હરિયાણા બન્યો. આ પુનર્ગઠન પછી, હરિયાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, અને ત્યારથી ચંડીગઢ અંગેનો વિવાદ પણ તીવ્ર બન્યો.

હરિયાણા પંજાબ કેન્દ્ર સરકાર politics આપ ભાજપ