Quit WTO Day Farmers Protest: કૃષિને ડબલ્યુટીઓ કરારથી બાકાત રાખવાની માંગ સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

Quit WTO Day: કૃષિને ડબલ્યુટીઓ કરારથી બહાર રાખવાની માંગ સાથે ખેડૂતો Quit WTO Day વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. સરકારને અલ્ટીમેટમ આપી શંભુ અને ખાનૌરી બોર્ડર ખાતે પૂતળા દહન અને બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.

Quit WTO Day: કૃષિને ડબલ્યુટીઓ કરારથી બહાર રાખવાની માંગ સાથે ખેડૂતો Quit WTO Day વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. સરકારને અલ્ટીમેટમ આપી શંભુ અને ખાનૌરી બોર્ડર ખાતે પૂતળા દહન અને બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ખેડૂત આંદોલન : ખેડૂતોનો ક્વિટ ડબ્લ્યુટીઓ ડે સાથે વિરોધ પ્રદર્શન, જાણો વિશ્વ વેપાર સંગઠનની નીતિઓ ભારતના ખેતી ક્ષેત્ર માટે કેમ નુકસાનકારક છે

Quit WTO Day: કૃષિને ડબલ્યુટીઓ કરારથી બાકાત રાખવાની માંગ સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

હરિયાણા પંજાબની સરહદ ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી ગૂંજી રહી છે. કૃષિ ક્ષેત્રને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) કરારમાંથી બાકાત રાખવાની માંગ સાથે ખેડૂતો લોહી ઉકાળી રહ્યા છે. કિસાન મજદૂર મોરચા (KMM), સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત ખેડૂતો દિલ્હી ચલો કૂચ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ સોમવારે ભારે રોષ સાથે ડબલ્યુટીઓ છોડો દિવસ મનાવ્યો હતો.

Advertisment

પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળોએ ખેડૂતોએ સોમવારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. હાઈવે પર ટ્રેક્ટર મુકી દઇ રસ્તા બ્લોક કર્યા અને વિવિધ બેનરો સાથે પ્રદર્શન કર્યું. ખેડૂતોએ પૂતળા દહન અને નારા લગાવ્યા જેના પડઘા પડ્યા અબૂ ધાબીમાં. સોમવારથી અબુ ધાબીમાં ડબલ્યુટીઓની 13મી મંત્રી સ્તરની પરિષદ યોજાઇ છે. જે 29 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. ખેડૂતોએ આ પરિષદની સામે સોમવારે Quit WTO Day નોંધાવ્યો.

ડબલ્યુટીઓ કરારથી હાલત કફોડી બનશે

ખેડૂતોએ ડબલ્યુટીઓ છોડો બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂત આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો કે, અમારી માંગ છે કે કૃષિને ડબલ્યુટીઓ કરારમાંથી બાકાત રાખવામાં આવે. આ કરારથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનશે. આ કરારને કારણે કૃષિ પર જોખમ વધશે, ખેડૂતો અને ગ્રાહકોએ આ સમજવાનો સમય આવી ગયો છે.

WTO નીતિથી MSP નથી મળતી

ખેડૂતોની આગામી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં અખિલ ભારતીય કિસાન સભાા પ્રદેશ ઉપાધ્યાક્ષ શમશેર સિંહે મીડિયાને જણાવ્યું કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) નીતિઓને કારણે ખેડૂતોને તમામ પર લઘુત્તમ ટેકાના ભાવ નથી મળી રહ્યા. સરકાર ખેડૂતોને અમુક પાક પર જ એમએસપી આપી રહી છે.

Advertisment

ખેડૂતોની માંગણીઓ શું છે?

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના ખેડૂતો કૃષિને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) કરારથી અલગ રાખવા માંગે છે. ખેડૂતો કૃષિને ડૂબલ્યૂટીઓ વેપારથી દૂર રાખવા ઇચ્છી રહ્યા છે. આ ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવ, દેવા માફી, સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ અને ખેડૂતોને પેન્શનની માંગ કરી રહ્યા છે.

ખેડૂત કેન્દ્ર સરકાર