Goa Fire Incident: ગોવામાં નાઈટ ક્લબમાં આગ, 25 લોકોના કરુણ મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

Goa Fire Incident In Night Club : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે નાઇટ ક્લબમાં લાગેલી આગમાં માર્યા ગયેલા 23 લોકોમાંથી ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.

Goa Fire Incident In Night Club : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે નાઇટ ક્લબમાં લાગેલી આગમાં માર્યા ગયેલા 23 લોકોમાંથી ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Goa Fire Incident | Goa Fire Incident In Night Club

Goa Fire Incident In Night Club : ગોવામાં એક નાઇટ ક્લબમાં આગ ગોવાથી 25 લોકોના મોત થયા છે.

Goa Fire Incident In Night Club : ગોવામાં નાઇટ ક્લબમાં ભયંકર લાગ લાગવાથી 25 લોકોના કરુણ મોત થયા છે. દક્ષિણ ગોવાના અરપોરામાં એક ક્લબમાં આગ લાગી હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી મુજબ લગભગ 50 અન્ય લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ગોવા મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. ડીજીપી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઉત્તર ગોવા જિલ્લાની પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Advertisment

ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, અરપોરાની એક રેસ્ટોરન્ટ ક્લબમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. રાત્રે 12.04 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ફાયરની માહિતી મળી હતી અને પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ ઘટનાના કારણોની તપાસ કરશે અને અમે તારણોના આધારે કાર્યવાહી કરીશું. ”

અમે એક જોરદાર ધડાકો સાંભળ્યો

આગ લાગી હતી તે રેસ્ટોરન્ટની નજીકની એક રેસ્ટોરન્ટના સિક્યોરિટી ગાર્ડે કહ્યું, "અમે જોરદાર ધડાકો સાંભળ્યો. અમને પાછળથી જાણવા મળ્યું કે સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. એક સ્થાનિકએ જણાવ્યું હતું કે, જ્યારે હું ઘરે જઇ રહ્યો હતો ત્યારે મને બ્લાસ્ટ જેવો અવાજ સંભળાયો હતો. બાદમાં એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચતી જોઈ હતી. જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અમે જોયું કે આ ઘટના પહેલાથી જ બની ચૂકી છે. ”

પીએમ મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાય આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું અને લખ્યું, "ગોવાના અરપોરામાં આગની ઘટના ખૂબ જ દુ:ખદ છે. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતજી સાથે પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના આરપોરામાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

Advertisment

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. તેમણે કહ્યું કે, ગોવામાં આપણા બધા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. અરપોરામાં ભીષણ આગની ઘટનામાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. હું ખૂબ જ દુઃખી છું અને અકલ્પનીય ક્ષતિના આ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મેં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસમાં આગના ચોક્કસ કારણો અને ફાયર સેફ્ટીના ધોરણો અને બિલ્ડિંગ નિર્માણના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. કાયદા હેઠળ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ”

આગ india અકસ્માત દેશ