દળ (પક્ષ) મળ્યા પણ દિલ નહીં! રાહુલ ગાંધીએ ગુજરાતની ભારત જોડો ન્યાય યાત્રામાં આપ નેતાઓનો ઉલ્લેખ કેમ ન કર્યો?

Rahul Gandhi Bharat Jodo Nyaya Yatra In Gujarat : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં છે. શનિવારે ભરૂચમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે આપ નેતા ચૈતર વસાવા પણ હતા જો કે કોંગ્રેસ સાંસદે પોતાના ભાષણમાં આપ નેતાનો ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો.

Rahul Gandhi Bharat Jodo Nyaya Yatra In Gujarat : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં છે. શનિવારે ભરૂચમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે આપ નેતા ચૈતર વસાવા પણ હતા જો કે કોંગ્રેસ સાંસદે પોતાના ભાષણમાં આપ નેતાનો ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
રાહુલ ગાંધી સંપત્તિ : રાહુલ ગાંધી પાસે ₹ 9.24 કરોડથી વધુની સંપત્તિ, 55 હજાર રોકડ, ચાલી રહ્યા છે 18 ક્રિમિનલ કેસ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે (એક્સપ્રેસ ફોટો)

Rahul Gandhi Bharat Jodo Nyaya Yatra In Gujarat : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં છે. રાહુલ ગાંધી શનિવારે ભરૂચમાં હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે બધું બરાબર દેખાતું ન હતું. આપ કાર્યકર્તાઓ રાહુલની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોંગ્રેસ નેતા તરફથી અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો. જેમ જેમ ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીથી નર્મદાના રાજપીપળા અને પછી ભરૂચના નેત્રંગ તરફ આગળ વધી ત્યારે કોંગ્રેસ અને AAP પાર્ટીના ઝંડા એક સાથે જોવા મળ્યા હતા. જો કે, મતભેદ સ્પષ્ટ દેખાતા હતા.

Advertisment

રાહુલની યાત્રામાં અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ હાજરી ન આપી

ગુજરાતમાં કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ રાહુલની યાત્રામાં જોડતા ન હતા. અગાઉ બંનેએ લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધન હેઠળ યોજાયેલી સીટ શેરિંગમાં ભરૂચમાંથી AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડવા વિશે ખુલ્લેઆમ નિરાશા વ્યક્ત કરી હતી.

rahul gandhi, bharat jodo nyay yatra, nitish kumar
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી (Express photo by Partha Paul)

શનિવારે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ફૈઝલ પટેલે કહ્યું, હું દિલ્હીમાં છું. મારી માતા અને પુત્રીની સંભાળ રાખું છું કારણ કે હું સિંગલ પેરન્ટ છું. મારા મતે, વિશ્વાસ પહેલા આવે છે, પછી કુટુંબ અને પછી અન્ય બાબતો. શનિવારે રાહુલ ગાંધી જે ચમકતી લાલ જીપમાં બેઠા હતા તેમા ચૈતર વસાવા પણ સાથે હતા પરંતુ રાહુલે તેમનો ઉલ્લેખ કર્યો નહીં. કોંગ્રેસ સાંસદે નેત્રંગમાં સ્થાનિક લોકો સાથેની વાતચીત દરમિયાન પણ તેમનો ઉલ્લેખ કર્યો ન હતો.

Advertisment

રાહુલ ગાંધીએ આપ નેતાનો ઉલ્લેખ કર્યો ન હતો

ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશી ત્યારે રાહુલ ગાંધી એ તેમના સંબોધનમાં AAP ગુજરાતના વડા ઇસુદાન ગઢવી અને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાનો ઉલ્લેખ કર્યો ન હતો. રાહુલ ગાંધીએ આપ નેતાઓ સાથે મંચ શેર કર્યો અને મુખ્ય AAP નેતાઓ તરફથી પરંપરાગત આદિવાસી ધનુષ અને તીર સ્મૃતિ ચિહ્ન પણ સ્વીકાર્યું.

ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ એકમના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પણ જીપમાં હતા, પરંતુ બંને નેતાઓ એકબીજાની સામે જોયું પણ નહીં. આ પહેલા શનિવારે સવારે છોટા ઉદેપુરના બોડેલીમાં કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા અને AAP નેતા રાધિકા રાઠવાને ઈન્ડિયા ગઠબંધન વિશે ઈન્ટરવ્યુ આપતા જોવા મળ્યા હતા.

તેઓએ કહ્યું કે તેઓ પોતપોતાની પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાધિકા રાઠવા કોંગ્રેસના પૂર્વ નેતા અને સાંસદ અમરસિંહ રાઠવાની પુત્રી છે, જે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં જોડાયા હતા અને પાવી જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી.

અર્જુન રાઠવા ગુજરાતમાં આપના કેટલાક અગ્રણી સભ્યોમાં સામેલ હતા. તાજેતરમાં, તેઓ AAPમાં નેતૃત્વ અને દિશાના અભાવને ટાંકીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. રાધિકા રાઠવાએ કહ્યું, “પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય લીધો છે અને અમે તેનું પાલન કરીશું. કોંગ્રેસ અમારા નેતાઓ (ભરૂચમાં ચૈતર વસાવા અને ભાવનગરમાં ઉમેશ મકવાણા) માટે પ્રચાર કરશે નહીં, તો આપ કાર્યકર્તા પણ ગુજરાતની વચ્ચે 24 લોકસભા બેઠક પર કોંગ્રેસની માટે પ્રચાર કરશે.

આ પણ વાંચો | ભાજપે દિલ્હીની લોકસભા બેઠક માટે બાંસુરી સ્વરાજની પસંદગી કેમ કરી, શું સુષ્મા સ્વરાજ જેવો જાદુ દેખાડશે?

અમે મોટા ભાઇ છીએ - કોંગ્રેસ

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ માટે AAP સાથેના જોડાણને સ્વીકારવું મુશ્કેલ બન્યું છે. AAP સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે ગોધરામાં જણાવ્યું હતું કે, “અમે પક્ષના સૈનિકો છીએ. અમે પાર્ટીના નિર્ણયને સ્વીકાર્યો છે અને અમે નિર્ણયનું પાલન કરીશું. ભાજપ એ પાર્ટી હતી જેણે કહ્યું હતું કે પીડીપીના પિતા-પુત્રીની જોડી (મુફ્તી મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તી)એ કાશ્મીરને બરબાદ કરી દીધું છે, પરંતુ જ્યારે તક મળી ત્યારે ભાજપે પહેલા મુફ્તી મોહમ્મદ અને પછી મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધન કર્યું. અમે ગુજરાતમાં (આપના) મોટા ભાઈ બની રહીશું.

ચૈતર વસાવા લોકસભા ચૂંટણી 2024 ગુજરાત રાહુલ ગાંધી આપ congress