સિંધુ ખીણ સંસ્કૃતિ વિનાશ થવાના કારણ અંગે વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

Indus Valley Civilisation Destruction Study : ગુજરાતના કચ્છ સ્થિત લુના ક્રેટરના સર્જન અંગે વૈજ્ઞાનિકોને એક નવા સંસોધનમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 50,000 વર્ષોમાં પૃથ્વી ગ્રહ પર ત્રાટકેલી સૌથી મોટી ઉલ્કાપીંડના કારણે આ મહાકાય ખાડો સર્જાયો હોઈ શકે છે.

Indus Valley Civilisation Destruction Study : ગુજરાતના કચ્છ સ્થિત લુના ક્રેટરના સર્જન અંગે વૈજ્ઞાનિકોને એક નવા સંસોધનમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 50,000 વર્ષોમાં પૃથ્વી ગ્રહ પર ત્રાટકેલી સૌથી મોટી ઉલ્કાપીંડના કારણે આ મહાકાય ખાડો સર્જાયો હોઈ શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Indus Valley Civilisation | Indus Valley Civilisation Destruction | Gujarat crater | Luna crater In Gujarat | Luna crater In Kutch | Meteorite Impac Luna crater

સિંધુ ખીણ સભ્યતા અને ગુજરાતના કચ્છનું લુના ક્રેટર (Express Photo/@Astro_Neel)

Indus Valley Civilisation Destruction Study : સિંધુ ખીણ સંસ્કૃતિ વિનાશ થવા પાછળના કારણો અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનના આધારે પ્રાચીન સિંધુ ખીણની સભ્યતા લુપ્ત થવા પાછળ આકાશમાંથી વરસેલા અગનગોળા જવાબદાર છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લગભગ 2 કિમી પહોળા વિશાળ ખાડાનું સર્જન કેવી થયું તે અંગે વૈજ્ઞાનિકોએ નવો દાવો કર્યો છે. એક નવા સંસોધનમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 50,000 વર્ષોમાં પૃથ્વી ગ્રહ પર ત્રાટકેલી સૌથી મોટી ઉલ્કાપીંડના કારણે ગુજરાતમાં આ મહાકાય ખાડો સર્જાયો હોઈ શકે છે.

Advertisment

આ ઉલ્કાપીંડના કારણે મોટા પાયે અગનગોળા, આંચકા અને જંગલમાં આગ લાગી હશે જ્યાં હજારો વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો રહેતા હતા તે વિસ્તારમાં ફેલાઈ ગઈ હશે. સરળ શબ્દોમાં કહીયે તો ગુજરાતની સિંધુ ખીણની સંસ્કૃત્તિ નષ્ટ પામવા પાછળ આકાશમાંથી આફત અગનગોળા રૂપી ઉલ્કાપીંડ જવાબદાર હોઇ શકે છે.

કેનેડાના વેસ્ટર્ન યુનિવર્સિટીના ગોર્ડન ઓસિન્સ્કીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ઉલ્કાપીંડનો આંચકો ચોક્કસપણે પરમાણુ બોમ્બની સમકક્ષ હશે પરંતુ તેનાથી રેડિયો એક્ટિવ તરંગો ફેલાયા ન હતા.

કચ્છના લુના ગામ નજીક છે લુના સ્ટ્રક્ચર

લુના ક્રેટર ભૂસ્તર અને અવકાશ સંસોધન કરનાર વૈજ્ઞાનિકો માટે એક રસનો વિષય છે. લુના સ્ટ્રક્ચર ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લુના ગામની નજીક આવેલો છે. 1.8 કિલોમીટર પહોળા ખાડાને લુના ક્રેટર કહેવામાં આવે છે.

Advertisment

પ્રાપ્ત જાણકારી અનુસાર અવકાશમાં જોતા આ મહાકાય ખાડાનો વ્યાસ (ડાયામીટર) લગભગ 5 કિમી જેટલો અંદાજમાં આવે છે. એવું મનાય છે કે, 2000 ઈસ પૂર્વે એક ઉલ્કાપીંડથી આ ખાડો અસ્તિત્વમાં આવ્યો છે. ક્રેટરની વચ્ચે લગભગ 1.8 કિમી ક્ષેત્રફળનું નાનું તળાવ છે, જે ગરમીમાં સુકાયેલું હોય છે, પરંતુ ચોમાસામાં લગભગ 2 કિમી ઉંડાઇ સુધી પાણી સંગ્રહ થાય છે. આ ખાડાની જમીન સમતલ અને નરમ છે.

ગુજરાતના લુના ક્રેટરના સંશોધનમાં માટીમાં ઇરીડીયમનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે આયર્ન ઉલ્કાએ કદાચ સ્થળને અસર કરી હતી. સંશોધકોએ ઉલ્કાનાં અન્ય લક્ષણો પણ શોધી કાઢ્યાં, જેમ કે wüstite, kirschsteinite, hercynite and ulvöspinel.

જો કે, કેટલાક વૈજ્ઞાનિકો એવી દલીલ કરે છે કે જ્યારે ભૂ-રાસાયણિક વિશ્લેષણ મેળ ખાતું હોય તેમ લાગે છે, તેમ છતાં તે હજુ સુધી નિર્ણાયક રીતે સાબિત થયું નથી કે લુના ક્રેટરની રચના એક ઉલ્કા ખાડો છે. તે સાબિત કરવા માટે સંશોધકોને સુપર-હીટેડ ખડકો શોધવાની જરૂર પડશે જે સમય જતા ઊર્જાને કારણે પીગળી જાય છે.

આ પણ વાંચો | વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં શોધ્યા શિવ અને શક્તિ, આકાશગંગાની ઉત્પત્તિ વિશે ખુલશે મોટા રહસ્યો

પરંતુ જો તે ખરેખર ઉલ્કાની અસર હોત, તો તેણે આંચકાના તરંગો બનાવ્યા હોત જે પાંચ કિલોમીટર દૂર સુધી પહોંચી ગયા હોત અને જંગલમાં આગ પણ ફેલાઇ ગઇ હોત. ઉલ્કા દ્વારા ફેંકવામાં આવેલી ધૂળ ઘણા દિવસો સુધી સૂર્યને ઝાંખો કરી દેશે જે હવે ગુજરાતમાં છે. સંશોધકોએ આશરે 4,050 વર્ષ પહેલાં ઉલ્કાની અસરને તારીખ આપી હતી.

science ગુજરાતી ન્યૂઝ ગુજરાત