Gujarati News Today 14 February Highlights : કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું – સરકાર વાતચીત માટે તૈયાર છે

Gujarati News Today 14 February Highlights : કિસાન આંદોલન સરકાર માટે મુસીબત બન્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું - સરકાર વાતચીત માટે તૈયાર છે.

Written by Ankit Patel
Updated : February 26, 2024 11:45 IST
Gujarati News Today 14 February Highlights : કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું – સરકાર વાતચીત માટે તૈયાર છે
ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Express Photo by Gurmeet Singh)

Today News in Gujarati,14 February 2024,આજના તાજા સમાચાર : આજે બુધવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં જાણો

કેન્દ્રી કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું – સરકાર વાતચીત માટે તૈયાર છે

કેન્દ્રી કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે વાતચીતના માધ્યમથી ખેડૂત નેતા સમાધાનનો પ્રયત્ન કરે. સરકાર વાતચીત માટે તૈયાર છે. સામાન્ય લોકોને આ કારણે કોઇ પરેશાની થવી જોઈએ નહીં. કાનૂન બનાવવા પર બધી બાબતો પર ધ્યાન આપવું પડે છે. જેથી આગળ કોઇ પરેશાની ના થાય. આ માટે ચર્ચા અને સમય બન્નેની જરૂર હોય છે.

Live Updates

અરવિંદ કેજરીવાલને ED એ છઠ્ઠુ સમન્સ પાઠવ્યું, 19 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ

Arvind Kejriwal ED Summons : દારૂ કૌભાંડમાં ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલને છઠ્ઠુ સમન્સ પાઠવવામાં આવ્યું છે. સીએમને 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ ઘણા સમન્સ સીએમ પાસે ગયા છે પરંતુ તે સમન્સને તેમણે ગેરકાયદે ગણાવ્યા હતા. આ જ કારણોસર તેઓએ એક પણ વાર તપાસમાં સહકાર આપ્યો ન હતો. પરંતુ આ વખતે જે સમન્સ આપવામાં આવ્યું છે. તેને કોર્ટની સુરક્ષા મળેલી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સીએમ કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે.

Adani Group : ગૌતમ અદાણી માટે 3 મોટા સમાચાર, હિંડનબર્ગ કેસ વિશે પણ એક મહત્વપૂર્ણ અપડેટ

Lazy Load Placeholder Image

Adani Hindenburg Case Supreme Court : અદાણી પાવરને કોસ્ટલ એનર્જી હસ્તગત કરવા સીસીઆઈએ મંજૂરી આપી છે. તો અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ એક રિવ્યૂ પિટિશન દાખલ થઇ છે. વધુ વાંચો

રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડને મુશ્કેલ ટીમ માનવાથી ઇન્કાર કર્યો, રાજકોટ પિચને લઇને કહી આવી વાત

Lazy Load Placeholder Image

IND vs ENG Rajkot Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં ત્રીજી ટેસ્ટ રમાશે. હાલ શ્રેણી 1-1થી સરભર છે. ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની વાપસી. વધુ વાંચો

ખેડૂત વિરોધ પ્રદર્શન : સ્વામીનાથન કમિશનના જે રિપોર્ટ પર થઇ રહી છે બબાલ, કોંગ્રેસે 2010માં તેને ફગાવી દીધો હતો

Lazy Load Placeholder Image

Farmers Protest Updates : કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વચન આપી રહી છે કે સરકાર બનતા જ તે સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ કરશે. જો કે તેમની સરકારે 2010માં આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. વધુ વાંચો

રાજ્યસભા ચૂંટણી : ભાજપે ગુજરાતમાંથી જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા

Lazy Load Placeholder Image

રાજ્યસભા ચૂંટણી : ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને આ વખતે ઉમેદવાર બનાવ્યા નથી. વધુ વાંચો

જેપી નડ્ડા ગુજરાત અને અશોક ચવ્હાણ મહારાષ્ટ્રથી રાજ્યસભા જશે, બીજેપીએ યાદી બહાર પાડી

જેડી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતમાંથી જે.પી.નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક, યશવંતસિંહ સામલસિંહ પરમારને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડેને સ્થાન આપવામાં આવ્યું છે.

Arjun Kapoor : ‘સિંઘમ અગેન” માં અર્જુન કપૂર હશે શૈતાનના રોલમાં, જુઓ ફર્સ્ટ લુક

Lazy Load Placeholder Image

Arjun Kapoor : અજય દેવગણનો ફર્સ્ટ લૂક જાહેર કર્યા બાદ કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ (Ranveer Singh), દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ અને હવે રોહિત શેટ્ટીએ અર્જુન કપૂર (Arjun Kapoor) ને સિંઘમ અગેઇન (Singham Again) માં પ્રચંડ પ્રતિસ્પર્ધી તરીકે રજૂ કર્યો છે. વધું વાંચો

હલ્દવાની હિંસા : તંગ વાતાવરણ, ઘરે-ઘરે તલાશી, કલમ 144 લાગું, હિંસાના છ દિવસ બાદ હલ્દવાનીમાં કેવી છે સ્થિતિ

Haldvani violence, હલ્દવાની હિંસા : ઉત્તરાખંડના હલ્દવાનીમાં જ્યાં હિંસા થઈ હતી ત્યાં હજુ પણ તણાવ છે. લોકો ડરી ગયા છે. સર્વત્ર ભયનો માહોલ છે. અહીં તણાવ જોઈ અને અનુભવી શકાય છે. એકંદરે અહીં સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. જે હિંસાએ 6 લોકોના જીવ લીધા છે, જ્યાં ઘણા લોકોનું લોહી વહાવ્યું છે, જ્યાં લોકોએ તેમના પ્રિયજનોને અચાનક ગુમાવ્યા છે, ત્યાં પરિસ્થિતિ આટલી જલ્દી સામાન્ય થઈ શકે નહીં. ઘા રૂઝાવવામાં કેટલો સમય લાગે છે તેનો અંદાજ હલ્દવાનીના બાણભૂલપુરાને જોઈને લગાવી શકાય છે. વધુ વાંચો

સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી, રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓ હાજર

27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો પર મતદાન થવાનું છે. આ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ શ્રેણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાંથી આજે સાત ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. જેમાં આરપીએન સિંહ, સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને નવીન જૈનનો સમાવેશ થાય છે. તે જ સમયે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ​​રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતે સુપ્રીમ કોર્ટ ને કહ્યું: બિલ્કીસ કેસના આદેશની ફરી સમીક્ષા કરો, રાજ્ય પર ટિપ્પણી અયોગ્ય છે

ગુજરાત સરકારે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને અપાયેલી ઇમ્યુનિટી રદ કરવાના તેના 8 જાન્યુઆરીના આદેશની રાજ્ય પર કરેલી કેટલીક ટીપ્પણી પર સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમાં કરવામાં આવેલા કેટલાક અવલોકનો માત્ર ખૂબ જ અયોગ્ય અને કેસના રેકોર્ડ સાથે અસંગત હતા, પરંતુ આની રાજ્ય પર ગંભીર પ્રતિકૂળ અસર પડી છે.” વધુ વાંચો

રાજ્યસભા ચૂંટણી : ભાજપે MP અને ઓડિશાના ઉમેદાવોરની યાદી જાહેર કરી, અહીં જાણો લીસ્ટ

Lazy Load Placeholder Image

Rajya Sabha Election 2024, રાજ્યસભા ચૂંટણી : ભાજપે બુધવારે રાજ્યસભા ચૂંટણી માટે મધ્યપ્રદેશ અને ઓડિશાના વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ ઉમેદવારોમાં ચાર નામ MP અને એક ઓડિશાના છે. ઓડિશાની પાર્ટીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રાજ્યસભા માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એ જ રીતે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મુરુગનને એમપીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંશીલાલ ગુર્જરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વધુ વાંચો

શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર, દિલ્હીની તમામ બોર્ડર સીલ, ઈન્ટેલિજન્સ યુનિટ એલર્ટ

– ખેડૂતોની દિલ્હી કૂચનો આજે બીજો દિવસ છે.

– શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

– દિલ્હીની તમામ સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.

– હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

– અથડામણમાં હરિયાણાના ડીએસપી સહિત 24 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

– ગાઝીપુર, સિંઘુ અને ટિકરી બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા.

– શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે.

44 વર્ષની ઉંમરે ઈમરાન તાહિરે બનાવ્યો રેકોર્ડ, આ પહેલા માત્ર 3 બોલરો જ આ સિદ્ધિ મેળવી શક્યા

Lazy Load Placeholder Image

ઈમરાન તાહિર રેકોર્ડ : દક્ષિણ આફ્રિકાના અનુભવી બોલર ઈમરાન તાહિરે 44 વર્ષની ઉંમરમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, ઇમરાન તાહિરે T20 ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે અને આવું કરનાર તે ચોથો બોલર બની ગયો છે. ઈમરાને મંગળવારે ખુલના ટાઈગર્સ સામે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રંગપુર રાઈડર્સ તરફથી રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. ઈમરાને આ મેચમાં 5 વિકેટ લીધી હતી. વધુ વાંચો

દિલ્હીની તમામ સરહદો સીલ, ગુપ્તચર એકમ સક્રિય, સીસીટીવી દ્વારા દેખરેખ

એમએસપીની કાયદાકીય ગેરંટી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ અને લોન માફી, વામીનાથન કમિશનના અહેવાલનો અમલ સહિતની અનેક માંગણીઓ પર પંજાબ અને હરિયાણાના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે બીજો દિવસ છે. દિલ્હીની સરહદો પર અનેક સ્તરોની સુરક્ષા બેરિકેડિંગ કરવામાં આવી છે. તમામ સરહદોની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચેની વાતચીત કોઈ ઉકેલ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા પછી, કિસાન મઝદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) એ ખેડૂતો દ્વારા ‘દિલ્હી ચલો’ કૂચની હાકલ કરી છે. મંગળવારે હરિયાણા પોલીસને પંજાબના ખેડૂતોને શંભુ બોર્ડર અને જીંદજીન બોર્ડર પર રોકવામાં ઘણી સફળતા મળી હતી. ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા રોકવા માટે ટિકરી બોર્ડર પરના કોંક્રિટ સ્લેબને મજબૂત કરવામાં આવી રહ્યો છે.

Valentine’s Day : અંકિતા લોખંડે પ્રેમની વ્યાખ્યા આવી આપી, કહ્યું..

Lazy Load Placeholder Image

Valentine’s Day : અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) છેલ્લે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો બિગ બોસ 17 (Bigg Boss 17) માં જોવા મળી હતી. તેની સફરથી, ટીવી સ્ટારે ઘણા લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ શોની ખાસ વાત એ તેનું અંગત જીવન હતું. ખાસ કરીને પતિ વિકી જૈન (Vicky Jain) સાથેના સતત ઝઘડા ચર્ચાનો વિષય બન્યા હતા. જ્યારે વિકીને રેડ ફ્લેગ તરીકે જોવામાં આવતો હતો, ત્યારે એવી ક્ષણો હતી જ્યાં અંકિતાનું વર્તન પણ તેમના પરિવારો સાથે સારું ન હતું. આ બધી સમસ્યામાંથી પસાર થતાં, અંકિતાએ બિગ બોસ સીઝન 17 માંથી ચોથા સ્થાનેથી બહાર નીકળી હતી. તાજેતરમાં, અભિનેત્રીએ Indianexpress.com સાથે ઝડપી ચેટ કરી હતી જ્યાં તેણે પ્રેમની વ્યાખ્યા શેર કરી હતી. અંકિતાએ એ પણ જાહેર કર્યું કે તે કેવી રીતે ઓલ્ડ સ્કૂલ રોમાંસમાં વિશ્વાસ કરતી હતી અને તે કઈ ફિલ્મી લવ સ્ટોરી સાથે સૌથી વધુ સંબંધિત હોઈ શકે છે. વેલેન્ટાઈન ડે (Valentine’s Day) અવસરે જાણીએ અંકિતા પ્રેમની વ્યાખ્યા કેવી આપે છે, વધુ વાંચો

Dairy Products : 30 દિવસ સુધી ડેરી પ્રોડક્ટસનું સેવન ટાળવાથી બોડી પર કેવી અસર થાય?

Lazy Load Placeholder Image

Dairy Products : તાજેતરમાં, શાકાહારી આહાર (Vegetarian Diet) ના નામે દૂધ અથવા ડેરી ઉત્પાદનો (Dairy Products) નું સેવન બંધ કરવાનો ટ્રેન્ડ વાયરલ થયો છે. અલબત્ત, કેટલાક માટે, લેક્ટોઝ એલર્જી અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ડેરી ઉત્પાદનો (Dairy Products) ને ટાળવાનું કારણ હોઈ શકે (Avoiding Dairy Products) છે. ધારો કે આપણે પણ એક પ્રયોગ તરીકે આપણા ડાયટમાંથી ડેરી પ્રોડક્ટનું સેવન કરવાનું બંધ કરીએ તો શું થશે? એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુની આગાહી કરવા માટે ઓછામાં ઓછા 21 દિવસ સુધી સતત તે વસ્તુને અજમાવવાની જરૂર છે. અહીં આગળ જોઈશું કે 1 મહિના માટે આહારમાંથી ડેરી ઉત્પાદનોને દૂર કરવાના ફાયદા કે ગેરફાયદા શું છે. આ પ્રયોગ માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક પાસાઓને પણ અસર કરી શકે છે. અહીં જાણો એક્સપર્ટ શું કહે છે. વધુ વાંચો

Abu Dhabi Temple : આજે પીએમ મોદી કરશે અબુ ધાબી મંદિર ઉદ્ઘાટન, લાઇવ અપડેટ્સ

Lazy Load Placeholder Image

Abu Dhabi Temple Inauguration live updates : અબુધાબી મંદિર ઉદ્ઘાટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે UAE પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વધુ વાંચો

Meta Threads : મેટા થ્રેડ્સ નવું ફીચર લોન્ચ કરશે, એલોન મસ્કના ટ્વિટરને ટક્કર આપશે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ

Meta Threads New Feature : એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે અગાઉના ટ્વિટરની વધતી જતી લોકપ્રિયતા સાથે સ્પર્ધા કરવા માટે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની માલિકીની મેટા કંપનીએ એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે, જેનું નામ છે થ્રેડ્સ (Threads). મેટાનુ આ પ્લેટફોર્મે લોન્ચ થયા બાદ થોડાક સમય સુધી ચર્ચામાં રહ્યુ હતુ અને તેના યુઝર્સમાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો પરંતુ સમયની સાથે તેની લોકપ્રિયતા ઘટી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ તેમાં એક મોટું અપડેટ આપ્યું છે. વધુ વાંચો

આજનો ઇતિહાસ 14 ફેબ્રુઆરી : પુલવામા એટેકમાં કેટલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા?

Lazy Load Placeholder Image

Today History 14 February : આજે 14 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પુલવામા એટેકની 5મી વર્ષગાંઠ છે. આજે વેલેન્ટાઇન ડે છે. ઉપરાંત ભાજપ નેતા સુષમા સ્વરાજ અને મધુબાલાનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

Today Horoscope : આજનું રાશિફળ : વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે તમારા માટે કેવો રહેશે?

Lazy Load Placeholder Image

Horoscope 14 February 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

today live darshan : આજના લાઇવ દર્શન, બુધવારે સિદ્ધિ વિનાયક મંદિરથી ગણપતિના કરો દર્શન

Lazy Load Placeholder Image

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ