/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/nayab-singh-saini.jpg)
Haryana Vidhan Sabha Election Results 2024 : પાર્ટી હાઈકમાન્ડે બધાને ચોંકાવી મનોહર લાલ ખટ્ટરના સ્થાને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
Haryana Vidhan Sabha Election Results 2024 : હરિયાણાની ચૂંટણીમાં ભાજપ અપ્રત્યાશિત જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ બતાવી રહ્યા છે કે રાજ્યમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. મોટી વાત એ છે કે આ વખતે ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમતી મળી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન પૂછવામાં આવશે કે 10 વર્ષની એન્ટિ-ઇન્કમ્બન્સીનું શું થયું? જાટોનો ગુસ્સો ક્યાં ગાયબ થઈ ગયો? હવે આ તમામ સવાલોનો એક જવાબ ચોક્કસપણે નાયબસિંહ સૈની છે, જે ખરા અર્થમાં ભાજપ માટે વિજેતા સાબિત થયા છે.
ઓબીસી ચહેરો આગળ ધરીને ભાજપે મોટો રાજનીતિક દાવ રમ્યો હતો
હરિયાણાની ચૂંટણીના થોડા મહિના પહેલા ભાજપે મોટો નિર્ણય લીધો હતો. અચાનક જ મનોહરલાલ ખટ્ટરને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બધાને આશ્ચર્ય થયું કે સ્વચ્છ છબી ધરાવતા નેતાને આવી વિદાય કેમ આપવામાં આવે છે. ત્યારે દરેકના મનમાં એક સવાલ પણ આવ્યો કે હવે ભાજપ ઘણા વર્ષો બાદ હરિયાણામાં જાટ ચહેરાને તક આપવા જઈ રહી છે? પરંતુ ત્યારબાદ પાર્ટી હાઈકમાન્ડે બધાને ચોંકાવી દીધા અને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી ચહેરો આગળ ધરીને ભાજપે મોટો રાજનીતિક દાવ રમ્યો હતો.
હરિયાણામાં ઓબીસીની વસ્તી 35 ટકાની આસપાસ
હરિયાણામાં ઓબીસીની વસ્તી 35 ટકાની નજીક છે. આ રાજ્યની ઓળખ જાટલેન્ડના રુપમાં થઇ છે, અહીં જાટોની આસપાસ દાયકાઓથી રાજકારણ ફરે છે પરંતુ ભાજપે છેલ્લા 10 વર્ષમાં બિન-જાટ મતો પર ધ્યાન કેન્દ્રિત કરતા તમામ સમીકરણો બદલી નાખ્યા હતા. આ કારણે ફરી એકવાર જાટ મતો પાછળ જવાના બદલે ભાજપે ચૂંટણી પહેલા જ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
આ પણ વાંચો - હરિયાણા વિધાનસભા ચૂંટણીના અખાડામાં વિનેશ ફોગાટે વિરોધીને ધૂળ ચટાડી, જુલાના સીટથી જીત
એટલે કે 35 ટકા ઓબીસી સમુદાયને એક સંદેશ આપવામાં આવ્યો હતો કે જો આ જાટ-પ્રભુત્વવાળા રાજ્યમાં કોઈ પણ પક્ષ તમારી વાત સાંભળવા જઈ રહ્યો છે તો તે ભાજપ છે, તો તે તમારા મુદ્દાઓ ઉઠાવશે. ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આ નેરેટિવ પાર્ટીના પક્ષમાં ગયો છે, તેને જબરદસ્ત ફાયદો થયો છે.
સૈનીએ એન્ટી ઇન્કમ્બન્સી નાબૂદ કરી
એક વાત સમજવા જેવી છે કે નાયબ સિંહ સૈનીના મુખ્યમંત્રી બનતાની સાથે જ ભાજપે ખટ્ટર સામેના સત્તા વિરોધી વિરોધમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. તેમણે ચૂંટણી પહેલા જ ગુજરાત, ઉત્તરાખંડ અને ત્રિપુરામાં સીએમ બદલવાની ફોર્મ્યુલા લાગુ કરી છે, ત્રણેય વખત તેમને ફાયદો મળ્યો અને સત્તામાં પાછા ફર્યા હતા. આવી સ્થિતિમાં નાયબ સિંહ સૈનીના સીએમ બનતા ભાજપને ફાયદો પણ થયો, જનતાને જમીન પર કોઈ ફરિયાદ હોય તો પણ સામેથી કહેવામાં આવતું હતું કે નાયબ સિંહ સૈની બધું ઠીક કરી દેશે, હવે સરકાર બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં નવા ચહેરાએ જૂની ફરિયાદોનો અંત લાવવાનું કામ કર્યું.
ખટ્ટરને ચૂંટણીના પોસ્ટરથી દૂર રાખવામાં આવ્યા હતા
બીજી રસપ્રદ વાત એ હતી કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે એક મોટો નિર્ણય લીધો અને મનોહર લાલ ખટ્ટરને પોસ્ટરોમાંથી બાકાત કરી દીધા હતા. પોસ્ટરમાં જગ્યા માત્ર નાયબ સિંહ સૈનીને આપવામાં આવી હતી, આવી સ્થિતિમાં જનતાને સીધો સંદેશો - હરિયાણામાં હવે ભાજપની કમાન સૈનીના હાથમાં છે. જો ખટ્ટર સામે નારાજગી છે તો પણ સૈનીને સુધારવાની તક આપવી જોઈએ. આવામાં નાયબ સિંહ સૈનીને પ્રચારમાં આગળ કરવા ભાજપને ફાયદો થયો હતો.
નાયબ સિંહ સૈનીના 3 કામ આપી ગયા લાભ
જો કે છેલ્લા 6 મહિનામાં નાયબ સિંહ સૈનીએ સીએમ રહીને કેટલાક એવા નિર્ણયો લીધા જેનાથી જનતા ખૂબ ખુશ થઈ ગઇ હતી. એવું પણ કહી શકાય કે ખાસ વર્ગોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે તેમણે 1 લાખ 20 હજાર કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયની સીધી અસર યુવાનો અને તે કર્મચારીઓ પર પડી જેઓ ઘણા વર્ષોથી આની માંગણી કરી રહ્યા હતા. તેવી જ રીતે ખેડૂતોને ખુશ કરવા માટે 24 પાક પર લઘુત્તમ ટેકાના ભાવ આપવાની વાત થઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us