116થી વધુ લોકોનો ભોગ લેનાર હાથરસ દુર્ઘટના કેવી રીતે ઘટી, કેમ થયા આટલા મોત? પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી કહાની

Hathras Accident, હાથરસ દુર્ઘટના : ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.

Hathras Accident, હાથરસ દુર્ઘટના : ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Hathras Stampede, Hathras, Stampede

હાથરસ દુર્ઘટના Express photo

Hathras Accident, હાથરસ દુર્ઘટના : ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગ મચી ગઈ છે. નાસભાગમાં 116થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યાં નાસભાગ થઈ ત્યાં સત્સંગ ચાલી રહ્યો હતો. આ ઘટના હાથરસના રતિભાનપુર વિસ્તારની છે. કહેવાય છે કે ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisment

બાબાનો કાફલો નીકળ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક મેદાનમાં સાકર હરિ બાબાનો એક દિવસીય સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લગભગ 1:45 વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને બાબાનો કાફલો રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો. લગભગ 50,000 ફોલોઅર્સ ત્યાં હાજર હતા. જ્યારે બાબાનો કાફલો નીકળી રહ્યો હતો ત્યારે અનુયાયીઓને રોકી દેવામાં આવ્યા હતા. પરંતુ કાફલો નીકળતાની સાથે જ અનુયાયીઓ પણ ભાગવા લાગ્યા હતા.

ગરમી અને ભેજના કારણે ત્યાં હાજર લોકો પરેશાન થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડમાં ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા અને ભાગદોડ મચી ગઈ, ત્યારબાદ લોકો એકબીજા પર ચઢવા લાગ્યા.

ઉતાવળમાં નીકળવાના કારણે નાસભાગ મચી ગઈ હતી : પ્રત્યક્ષદર્શી

અમર ઉજાલાના અહેવાલ મુજબ, એક છોકરીએ જણાવ્યું કે સત્સંગમાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ઉતાવળમાં નીકળવાના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા સામે જોતા ન હતા અને પડી ગયેલા લોકો પર પણ ચઢી ગયા હતા. તેને બચાવવા માટે કોઈ ન હતું અને ચારે બાજુ ચીસો પડી રહી હતી.

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સત્સંગમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાંથી લોકો આવ્યા હતા. ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વાહનોની સંખ્યા ત્રણ કિલોમીટર સુધી ફેલાયેલી હતી.

Hathras Stampede Accident UP
ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગ મચતા અનેકના મોત (ફોટો - સોશિયલ મીડિયા)

સીએમ યોગીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ દુ:ખદ ઘટનાની નોંધ લીધી છે. તેમણે તાત્કાલિક બે મંત્રીઓને ઘટનાસ્થળે મોકલીને તપાસના આદેશ આપ્યા હતા. યોગી આદિત્યનાથે પોસ્ટ કરી હતી મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ

ઉત્તર પ્રદેશ સરકારમાં માન. મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી જી, સંદીપ સિંહ જી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સીએમ યોગીએ આગળ લખ્યું, “ADG, આગ્રા અને કમિશનર, અલીગઢના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામને વિનંતી છે કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.

ઉત્તર પ્રદેશ અકસ્માત દેશ