/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Hathras-baba-surajpal.jpg)
હાથરસ દુર્ઘટના ભોલે બાબા સુરજપાલ photo - ANI
Hathras Stampede Case, Hathras Stampede Incident: હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ બાદ ફાટી નીકળેલી નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માત બાદ ફરાર બાબા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ‘સાકર વિશ્વ હરી’ (બાબા સૂરજપાલ) પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે તેઓ લોકોના મૃત્યુથી ખૂબ જ દુખી છે અને કહ્યું છે કે આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં, હાથરસ દુર્ઘટના બાદ ફરાર બાબા સૂરજપાલનો આજે સવારે એક વીડિયો સામે આવ્યો છે અને તેણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરી છે. બાબા સૂરજપાલે કહ્યું કે 2 જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યથિત છીએ. બાબાએ કહ્યું છે કે ભગવાન આપણને દુ:ખના સમયને દૂર કરવાની શક્તિ આપે. તમામ સરકારી વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. બાબાએ લોકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જે પણ અકસ્માત સર્જશે તેને બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ- હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરે આત્મસમર્પણ કર્યું, બાબા સાથે ફોન પર લાંબી વાત કરી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Hatharas-bhole-baba-surajpal.jpg)
પીડિતોને જીવનભર મદદ કરવાનું આશ્વાસન આપ્યું
હાથરસની ઘટના બાદ પહેલીવાર નિવેદન આપનાર ફરાર બાબા સૂરજપાલે કહ્યું કે મેં મારા વકીલ એપી સિંહ મારફત સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવાની વિનંતી કરી છે. બાબાએ એમ પણ કહ્યું છે કે તેમણે તેમના સાથીદારો અને સમિતિના લોકોને કહ્યું છે કે તેઓ જીવનભર હાથરસ અકસ્માતના પીડિતોની મદદ કરતા રહેશે.
#WATCH | Hathras Stampede Accident | Mainpuri, UP: In a video statement, Surajpal also known as 'Bhole Baba' says, "... I am deeply saddened after the incident of July 2. May God give us the strength to bear this pain. Please keep faith in the government and the administration. I… pic.twitter.com/7HSrK2WNEM
— ANI (@ANI) July 6, 2024
નોંધનીય છે કે 2 જુલાઈ, મંગળવારે હાથરસમાં એક કાર્યક્રમ દરમિયાન નાસભાગને કારણે 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે યુપી પોલીસે ઉપદેશક બાબા સૂરજપાલના સેવકો અને સત્સંગના આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને પોલીસે આ મામલામાં 6 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય શુક્રવારે જ પોલીસે મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની પણ ધરપકડ કરી છે, જે અકસ્માત બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us