ખાનગી શાળાએ શિક્ષક દંપતિને સસ્પેન્ડ કર્યા, હવે ₹ 50 લાખ ચૂકવશે - જાણો સમગ્ર મામલો

Teacher termination case: શિક્ષક દંપત્તિએ (Teacher Couple) નિયમ વિરુ્ધ નોકરીમાંથી સસ્પેન્ડ (termination) કરનાર ખાનગી શાળા (private school) વિરુદ્ધ અદાલતમાં કેસ (Court case) કર્યો અને જીત મેળવી. વાંચો આ શિક્ષક દંપતિની સંઘર્ષથી જીત સુધીની કહાણી

Teacher termination case: શિક્ષક દંપત્તિએ (Teacher Couple) નિયમ વિરુ્ધ નોકરીમાંથી સસ્પેન્ડ (termination) કરનાર ખાનગી શાળા (private school) વિરુદ્ધ અદાલતમાં કેસ (Court case) કર્યો અને જીત મેળવી. વાંચો આ શિક્ષક દંપતિની સંઘર્ષથી જીત સુધીની કહાણી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

ગુરુગ્રામની એક ખાનગી શાળાએ શિક્ષક દંપતિને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, હવે તેના બદલમાં શાળાએ આ શિક્ષક દંપતિને 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં ગુરુગ્રામની જીડી ગોએન્કા સ્કૂલને શિક્ષક દંપતીને વળતર સ્વરૂપે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, ખાનગી શાળા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને અને શિસ્તભંગની કાર્યવાહી માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ ખોટી રીતે શિક્ષક દંપતીને બરતરફ કરવામાં આવ્યા હતા.

Advertisment

ગુરુગ્રામની જીડી ગોએન્કા સ્કૂલે શિક્ષક દંપતીને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 2015માં જીડી ગોએન્કા સ્કૂલમાં શારીરિક શિક્ષણના શિક્ષક દંપતી પરવીન શેખાવત અને અજય સિંહ શેખાવતને નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેમની કામગીરી, નિર્ધારિત માપદંડોની સરખામણીએ નબળી હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંને શિક્ષક દંપતિને એક મહિનાની નોટિસ આપીને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિક્ષક દંપત્તિએ ખાનગી શાળાના આ મનમાની નિર્ણય વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો. જ્યારે આ કેસ અદાલતમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશોની ખંડપીઠે દંપતીને જૂના પગાર સાથે ફરી નોકરીએ રાખવાનો આદેશ આપ્યો હતો, જેની હાઇકોર્ટની સિંગલ જજની ખંડપીઠે પુષ્ટિ કરી હતી.

ત્યારબાદ આ કેસ જસ્ટિસ જીએસ સંધાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવનની ડિવિઝન બેંચની સમક્ષ આવ્યો, જ્યારે ખાનગી શાળાએ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશો અને હાઈકોર્ટની સિંગલ બેન્ચના ચુકાદા સામે ટુ- લેટર પેટન્ટ અપીલ દાખલ કરી. જો કે કેસનું અવલોકન કરતી વખતે નોંધવામાં આવ્યુ કે શિક્ષણ દંપતિને નોકરી પર પરત રાખવામાં આવી શકતા નથી, જે અમાન્ય ચુકાદો છે, તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ કેસમાં સુપ્રીમ કોર્ટના વિવિધ કેસોના ઉદાહરણોને ટાંકીને પીડિત દંપતિને વળતર ચૂકવવા શાળાને આદેશ કર્યો.

Advertisment

અવલોકન કરીને કે કપાલને રદબાતલ પુરસ્કાર તરીકે પુનઃસ્થાપિત કરી શકાતો નથી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ મામલે સુપ્રીમ કોર્ટના વિવિધ દાખલાઓને ધ્યાનમાં લઈને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ખાનગી શાળાએ દલીલમાં શું કહ્યું

ખાનગી શાળાએ ડિવિઝન ખંડપીઠ સમક્ષ એવી દલીલ કરી કે, કરારની કલમ - 1872ના નિયમ 73 હેઠળ વ્યક્તિગત સેવાના કરારને લગતા રોજગાર વિવાદમાં ફરી નોકરીએ રાખવાનો આદેશ આપી શકાય નહીં. આ કિસ્સામાં મહત્તમ નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ થઈ શકે છે. જોકે નુકસાનની ચૂકવણી થઈ ચૂકી હોવાથી, ટ્રિબ્યુનલ દ્વારા કોઈ વળતરનો આદેશ આપી શકાતો નથી.

શિક્ષણ દંપતિને વળતર ચૂકવવા અદાલતનો આદેશ

બીજી તરફ પીડિત શિક્ષક દંપતિએ એવી દલીલ કરી હતી કે નિમણૂક પત્ર મુજબ નોકરીમાંથી સસ્પેન્ડ કરવા માટે ત્રણ મહિનાની નોટિસ આપવી જોઈએ. આમ નોકરીમાંથી કાઢી મૂકવા એ નિયમનું ઉલ્લંઘન છે. હરિયાણા એજ્યુકેશન એક્ટ, 2003 હેઠળ, ટ્રિબ્યુનલે તેના આદેશમાં બે કર્મચારીઓને ત્રણ મહિનાની નોટિસ આપ્યા વિના અથવા તેમને પોતાની વાત રજૂ કરવાની તક આપ્યા વગર જ નોકરીમાંથી બરતરફ કરવાની ઘટનાને ગેરકાયદેસર ગણાવી હતી. આથી અદાલતે શિક્ષક દંપતિને નોકરીમાં કાઢી મૂક્યાની તારીખથી વાર્ષિક 6%ના દરે વ્યાજ સહિત સંપૂર્ણ પગાર સાથે ફરી નોકરીએ રાખવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાતી ન્યૂઝ દેશ સુપ્રીમ કોર્ટ