હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સંકટ : સીએમ સુખુએ કહ્યું, રાજીનામાની વાત અફવા, હું યોદ્ધા, સંઘર્ષ કરીશ, પૂરા પાંચ વર્ષ સરકાર ચાલશે’

હિમાચલ પ્રદેશ ના રાજકારણમાં કોંગ્રેસ મંત્રી વિક્રમાદિત્ય સિંહના રાજીનામા બાદ ગરમાવો આવી ગયો છે, કોંગ્રેસ સરકાર બચાવવા પ્રયત્ન કરી રહી, તો, ભાજપ કહે છે અમે સરકાર બનાવીશું.

Written by Kiran Mehta
Updated : February 28, 2024 15:21 IST
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સંકટ : સીએમ સુખુએ કહ્યું, રાજીનામાની વાત અફવા, હું યોદ્ધા, સંઘર્ષ કરીશ, પૂરા પાંચ વર્ષ સરકાર ચાલશે’
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર સંકટમાં

હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સંકટ : હિમાચલ પ્રદેશ રાજ્યસભાની એક બેઠક પર કોંગ્રેસની હાર બાદ હવે રાજકીય તાપમાન વધી રહ્યું છે. જ્યાં એક તરફ સુખવિંદર સિંહ સુખુ પર સરકારને ચાલુ રાખવા પર પાર્ટીમાં દબાણ વધી ગયું છે, તો બીજી તરફ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે પોતાનું રાજીનામું આપી દીધું છે. વિધાનસભા સત્ર શરૂ થતાં જ હંગામા બાદ પૂર્વ સીએમ જયરામ ઠાકુર સહિત ભાજપના 10થી વધુ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક તરફ ભાજપ કહે છે કે, કોંગ્રેસ સરકાર પાસે બહુમતી નથી અને સીએમ સુખુએ રાજીનામું આપી દેવું જોઈએ. જોકે, વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે તેમની પ્રિયંકા ગાંધી સાથે વાતચીત થઈ છે અને તેઓ કોઈપણ કિંમતે સરકાર બચાવવા માંગે છે. કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે, તો જોઈએ હિમાચલ પ્રદેશના રાજકારણમાં શું થઈ રહ્યું.

કોંગ્રેસ સરકાર પાડવાનું ભાજપનું ષડયંત્ર, અમારી પ્રાથમિકતા સરકાર બચાવવી – જયરામ રમેશ

ક્રોસ વોટિંગને લઈને કોંગ્રેસ સરકારને પછાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખે નિરીક્ષકોને ધારાસભ્યોની ફરિયાદો સાંભળવા અને બને તેટલી વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે… ક્રોસ વોટિંગ કમનસીબ છે. અત્યારે અમારી પ્રાથમિકતા કોંગ્રેસ સરકારને બચાવવાની છેઃ હિમાચલ પ્રદેશના રાજકીય વિકાસ પર કોંગ્રેસના નેતા જયરામ રમેશ.

સીએમ સુક્ખુને પાર્ટી હટાવે તે પહેલા વિચારવું જોઈએ, આગામી સમયમાં કોંગ્રેસ સરકાર નહીં હોય – જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ દ્વારા રાજીનામું આપવાનો ઇનકાર કરવા પર, હિમાચલ પ્રદેશના વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું, “… અમે કહીએ છીએ કે જો થોડી પણ નૈતિકતા હોય તો પાર્ટી તેમને (સુખવિંદર સિંહ સુખુ) હટાવે તે પહેલા આ વિચારવું જોઈએ. હિમાચલ પ્રદેશની તમામ બાબતોને લઈને આવું પહેલા ક્યારેય બન્યું નથી. આજે તેઓ સરકાર બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર નહીં હોય.

રાજીનાાની વાત ભાજપે ફેલાવી, હું યોધ્ધા છુ, ગભરાઈશ નહી, કોંગ્રેસ પક્ષ એકજૂટ છે : સીએમ સુખવિન્દર સિંહ સુક્ખુ

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું, “હું ગભરાઈ જવાનો વ્યક્તિ નથી. હું નિશ્ચિતપણે કહી શકું છું કે બજેટ માટેના મતદાનમાં અમે જીતીશું. ભાજપ રાજીનામાની અફવાઓ ફેલાવી રહી છે… તમે વિચારી રહ્યા હશો. આનાથી કોંગ્રેસમાં નાસભાગ મચી જશે, પરંતુ કોંગ્રેસ પક્ષ એકજૂટ છે અને નાની નાની ફરિયાદોનું પણ નિરાકરણ કરવામાં આવશે.

ભાજપ પૈસા અને મશીનરીનો દુરુપયોગ કરી રહી છે – પ્રમોદ તિવારી

કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું, જ્યારથી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી છે, પૈસા અને મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે. એજન્સીઓ એવું કામ કરી રહી છે કે જાણે તે તેમનું આગળનું સંગઠન હોય. આ બધાને કારણે ક્રોસ વોટિંગ શરૂ થઈ ગયું છે અને પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ કોઈ નવી વાત નથી, દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારા એક પ્રખ્યાત ઉમેદવાર અભિષેક સિંઘવી ચૂંટણી જીતી ન શક્યા, અમે નિરાશ છીએ. અમારા બે વરિષ્ઠ નેતાઓ ત્યાં ગયા છે, મને ખાતરી છે કે, તેઓ પરિસ્થિતિની તપાસ કરશે અને સમગ્ર અહેવાલ સ્થળ પર લઈ જશે અને હાઈકમાન્ડને આપશે.

કોંગ્રેસની સરકાર અહીં પડી રહી છે – હર્ષ મહાજન

ભાજપના વિજયી રાજ્યસભાના ઉમેદવાર હર્ષ મહાજને કહ્યું- કોંગ્રેસની સરકાર પડી રહી છે. તેથી તેમને સસ્પેન્ડ કરવાના આવા પ્રયાસો થઈ રહ્યા છે. આ વિલંબની રણનીતિ છે અને દરેક વિધાનસભામાં અપનાવવામાં આવે છે. કોંગ્રેસ અહીંથી ખતમ થઈ ગઈ છે. હા… તેઓ જે પણ પ્રયાસ કરશે તે નિષ્ફળ જશે…ભાજપ અહીં સરકાર બનાવશે. નવ ધારાસભ્યો (જેમણે ક્રોસ વોટ નથી આપ્યો) મારા સમર્થનમાં છે.

હિમાચલની સ્થિતિ પર પ્રિયંકા ગાંધીની નજર

કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી છે.

પૂર્વ સીએમ જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા સત્ર શરૂ થતાની સાથે જ સ્પીકરે વિપક્ષી ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. આ ધારાસભ્યોમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, રણધીર શર્મા, લોકેન્દ્ર કુમાર, વિનોદ કુમાર, હંસ રાજ, જનક રાજ, બલબીર વર્મા, ત્રિલોક જામવાલ, સુરેન્દ્ર શોરી, દીપ રાજ, પુરન ઠાકુર, ઈન્દર સિંહ ગાંધી, દિલીપ ઠાકુર અને ઈન્દરનો સમાવેશ થાય છે.

શું કહ્યું વિક્રમાદિત્ય સિંહે?

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે હિમાચલ પ્રદેશ કેબિનેટમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાર્ટીમાં ચાલુ રહેશે તો તેમણે કહ્યું, “હું જ્યાં છું ત્યાં છું. આગામી સમયમાં હું મારા લોકો, સમર્થકો અને શુભેચ્છકો સાથે ચર્ચા કરીશ. “અમે ચર્ચા કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું.”

મંત્રી વિક્રમાદિત્યનું રાજીનામું, સ્પીકરે 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર છે. કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્યએ કહ્યું કે હું એટલું જ કહેવા માંગુ છું કે વર્તમાન સંજોગોમાં સરકારનો હિસ્સો રહેવું મારા માટે યોગ્ય નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ