બાંગ્લાદેશમાં હિન્દુઓની ઘટતી વસ્તીના કારણો શું છે? મુસ્લિમોની સંખ્યામાં ઝડપથી ઉછાળો, સમજો

Hindu population decline in Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી માં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે મુસ્લીમ વસ્તી વધી રહી છે. હિન્દુઓ પર, મંદિરો પર હુમલાથી લઈ અસુરક્ષાનમા અનેક કારણોસર સમય જતા વસ્તી સતત ઘટી.

Hindu population decline in Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી માં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે મુસ્લીમ વસ્તી વધી રહી છે. હિન્દુઓ પર, મંદિરો પર હુમલાથી લઈ અસુરક્ષાનમા અનેક કારણોસર સમય જતા વસ્તી સતત ઘટી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Hindu population decline in Bangladesh

બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી ઘટી રહી

Hindu population decline in Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા સતત ઘટી રહી છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 1941 માં લગભગ 29 મિલિયન હતી અને 2001 માં વધીને 100 મિલિયનથી વધુ થઈ ગઈ હતી. 1901 પછીની દરેક વસ્તી ગણતરીમાં બંગાળમાં હિંદુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આવું થવા પાછળ ઘણા કારણો હતા, જેમાંથી કેટલાક વિભાજન પહેલા હતા. હવે, 5 ઓગસ્ટે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા પછી અને દેશમાં રાજકીય ફેરબદલ થયા પછી, લઘુમતી હિન્દુઓ પર પણ હુમલાઓ શરૂ થયા છે.

Advertisment

હુમલાના અહેવાલો વચ્ચે, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે ઢાકાના ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ હિન્દુ સમુદાયના નેતાઓને મળ્યા અને તેમને હિંમત આપી અને કહ્યું કે, 'આપણે બધા એક છીએ, બધાને ન્યાય મળશે'.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 50થી વધુ જિલ્લામાં 200થી વધુ હુમલા થયા છે. આ દરમિયાન પાંચ લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સૌથી મોટી લઘુમતી વસ્તી છે.

સૌથી મોટી લઘુમતી વસ્તી

બાંગ્લાદેશમાં 2022માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આંકડાઓ સામે આવ્યા છે કે, અહીં હિન્દુઓની સંખ્યા 1 કરોડ 30 લાખથી થોડી વધારે છે. જે દેશની વસ્તીના 7.96 ટકા છે. હિંદુઓ (બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે) સિવાયના લઘુમતીઓ મળીને 1% કરતા પણ ઓછા છે.

Advertisment

અમે બાંગ્લાદેશના આઠ વિભાગોમાં હિન્દુઓની વસ્તી સંબંધિત નકશા નીચે શેર કરી રહ્યા છીએ. જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં સંખ્યાઓમાં મોટો તફાવત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, મૈમનસિંઘમાં માત્ર 3.94% હિંદુઓ છે, જ્યારે સિલ્હટમાં 13.51% વસ્તી છે.

બાંગ્લાદેશના 64 જિલ્લામાંથી ચારમાં દરેક પાંચમો વ્યક્તિ હિંદુ છે. જો આપણે ઢાકા વિભાગના ગોપાલગંજ જિલ્લાની વાત કરીએ તો, અહીં કુલ વસ્તી 26.94 ટકા હિંદુ છે. સિલહટ વિભાગના મૌલવીબજારમાં 24.44 ટકા, રંગપુર વિભાગના ઠાકુરગાંવમાં 22.11 ટકા અને ખુલના વિભાગના ખુલના જિલ્લામાં 20.75 ટકા વસ્તી હિન્દુ છે.

હિન્દુઓની વસ્તી ઘટી રહી છે

ઐતિહાસિક રીતે, બંગાળી બોલતા વિસ્તારોમાં હિંદુ વસ્તીનો હિસ્સો ઘણો મોટો હતો. એક સમયે અહીંની કુલ વસ્તીના લગભગ એક તૃતીયાંશ હિંદુઓ હતા. પરંતુ વસ્તીમાં મોટો ફેરફાર થયો છે.

Hindu population decline in Bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી ઘટી રહી - ચાર્ટ

1901 પછીની દરેક વસ્તી ગણતરીમાં બંગાળની વસ્તીમાં હિંદુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 1941 અને 1974 ની વસ્તી ગણતરી વચ્ચે સૌથી વધુ હતો, જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું.

જો 1951 ની વસ્તી ગણતરીની સરખામણી 1941 ની વસ્તી ગણતરી સાથે કરવામાં આવે તો, ભારે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ત્યારે વસ્તી લગભગ 1 કરોડ 1 લાખથી ઘટીને લગભગ 90 લાખ થઈ ગઈ હતી. 2001ની વસ્તી ગણતરીમાં આ સંખ્યા ધીમે ધીમે ફરી વધીને 1 કરોડ 1 લાખ થઈ ગઈ.

મુસ્લિમોની વસ્તી 1941માં અંદાજે 2 કરોડ 90 લાખથી વધીને 2001માં 10 કરોડથી વધુ થઈ ગઈ. આવું થવા પાછળ ઘણા કારણો હતા, જેમાંથી કેટલાક વિભાજન પહેલા હતા.

જન્મ દર (પ્રજનન દર)

ઘણા વિદ્વાનો અને ડેટા રિપોર્ટ્સને ટ્રેક કરતા લોકો માને છે કે, બંગાળ પ્રદેશમાં મુસ્લિમોમાં પ્રજનન દર હિંદુઓ કરતા ઐતિહાસિક રીતે વધારે છે. ભારતની પ્રથમ વસ્તીગણતરી (1872) પછીની માહિતી આના ઉદાહરણ તરીકે ગણી શકાય. આ ડેટા ખાસ કરીને હિન્દુ બહુમતી ધરાવતા પશ્ચિમ બંગાળ અને મુસ્લિમ બહુમતી પૂર્વ બંગાળ વચ્ચેની સરખામણી પર આધારિત છે. વસ્તીના ઘટાડા અને વધારા માટે આ પણ એક મહત્વપૂર્ણ કારણ છે.

પાર્ટીશન અને સ્થળાંતર

બંગાળ અને પંજાબ બ્રિટિશ ભારતના બે પ્રાંત હતા, જે ધર્મના આધારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજિત થયા હતા. આ વિભાજન આડેધડ હતું. જેના કારણે હિંસા થઈ અને હિંસાના એવા ઘા રહી ગયા જે આજે પણ જોઈ શકાય છે.

ઈતિહાસકાર જ્ઞાનેશ કુદૈસ્યાએ લખ્યું છે કે, ભાગલા પછી 1 કરોડ 1 લાખથી વધુ હિંદુઓ પૂર્વ બંગાળમાં રહી ગયા. 1947માં માત્ર 344,000 હિંદુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળમાં આવ્યા હતા અને પૂર્વ પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓને આશા હતી કે, તેઓ ત્યાં શાંતિથી જીવી શકશે.

આ પણ વાંચો - બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત કેવી છે? આપબીતી જાણી તમારી પણ આત્મા હચમચી જશે

આસામ (હાલના મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમ સહિત), પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાએ 1951 અને 1961 વચ્ચે ખૂબ જ ઝડપી વસ્તી વૃદ્ધિનો અનુભવ કર્યો. આ તમામ લોકો પૂર્વ પાકિસ્તાનમાંથી આવ્યા હતા.

1971 માં સ્થળાંતરનું બીજું મોજું આવ્યું, જ્યારે પાકિસ્તાની સેના અને તેના સાથીઓએ મુક્તિ યુદ્ધ પહેલા બંગાળીઓ વિરુદ્ધ ખૂની ઝુંબેશ શરૂ કરી. ભારતીય અંદાજ મુજબ, સંઘર્ષ દરમિયાન 9 મિલિયનથી વધુ બંગાળીઓએ ભારતમાં આશ્રય લીધો હતો, જેમાંથી લગભગ 70% હિંદુઓ હતા.

bangladesh હિંસા એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ Express Exclusive વિશ્વ