ટેરિફની ધમકી વચ્ચે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું આશ્વાસન, કહ્યું – દિવાલ બનીને ઉભો રહીશ

પીએમ મોદી 15 ઓગસ્ટ સ્પીચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચીરથી લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તેમના તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર જવાબ આપવામાં આવ્યો

Written by Ashish Goyal
Updated : August 15, 2025 17:39 IST
ટેરિફની ધમકી વચ્ચે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું આશ્વાસન, કહ્યું – દિવાલ બનીને ઉભો રહીશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચીરથી લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી (Pics : @BJP4India)

Independence day pm modi speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચીરથી લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તેમના તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર જવાબ આપવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ખેડૂતો અને માછીમારોના હકને મારશે નહીં અને તેમની સાથે મજબૂતીથી ઉભા રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે હું દિવાલની જેમ ઉભો રહીશ. આ પછી પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની વાત પણ કરી હતી. પીએમ મોદીએ એક મોટો સંદેશ આપતા તો ત્યાં સુધી કહ્યું કે ભારતે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ અને બીજાને વિચાર બતાવવાનો વિચાર ન કરવો જોઈએ.

પીએમ મોદીએ સુદર્શન ચક્રનો પણ ઉલ્લેખ કર્યો

આ પછી પીએમ મોદીએ સુદર્શન ચક્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહી રહ્યો છું કે આગામી 10 વર્ષમાં, 2035 સુધીમાં દેશના તમામ મહત્વપૂર્ણ સ્થાનો, જેમાં વ્યૂહાત્મક તેમજ નાગરિક ક્ષેત્રો પણ સામેલ છે. જેમ કે હોસ્પિટલો, રેલવે, આસ્થાના કેન્દ્રો સહિત તમામને તકનીકીના નવા પ્લેટફોર્મ દ્વારા સંપૂર્ણપણે સુરક્ષા કવચ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે આગામી 10 વર્ષમાં, 2035 સુધીમાં, હું આ રાષ્ટ્રીય સુરક્ષા કવચને વિસ્તૃત, મજબૂત અને આધુનિક બનાવવાનો ઇરાદો ધરાવું છું. ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને અમે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે. હવે દેશ મિશન સુદર્શન ચક્ર શરૂ કરશે.

આ પણ વાંચો – પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણની 10 મુખ્ય વાતો, જે કરશે વિકસીત ભારતનું નિર્માણ

ભારતનું જે પાણી છે તેના પર માત્ર ભારત અને ભારતના ખેડૂતોનો જ અધિકાર છે

પીએમ મોદીએ માત્ર સુદર્શન ચક્રની જ વાત નથી કરી, પરંતુ સિંધુ જળ સંધિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતે નક્કી કર્યું છે કે હવે લોહી અને પાણી એક સાથે નહીં વહે. સિંધુ સમજૂતી કેટલી અન્યાયી છે, તે કેટલી એકતરફી છે, તે હવે દેશવાસીઓને સારી રીતે ખબર પડી ગઈ છે. ભારતમાંથી નીકળતી નદીઓનું પાણી દુશ્મનોના ખેતરોને સિંચાઈ કરી રહ્યું છે અને મારા દેશના ખેડૂતો, મારા દેશની જમીન, પાણી વિના તરસી છે. આ એક એવો કરાર હતો જેણે છેલ્લા સાત દાયકામાં મારા દેશના ખેડૂતોને અકલ્પનીય નુકસાન પહોંચાડ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનું જે પાણી છે તેના પર માત્ર ભારત અને ભારતના ખેડૂતોનો જ અધિકાર છે. સિંધુ સંધિના એ સ્વરૂપને ભારત હવે આગળ સહન નહીં કરે. અમે ખેડૂતો અને રાષ્ટ્રના હિતમાં આ કરારનો સ્વીકાર કરતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ