/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Indian-Army-C17-Globemaster.jpg)
Indian Army C17 Globemaster Aircraft: ભારતીય સેના પાસે રહેલું સી17 ગલોબમાસ્ટર એરક્રાફ્ટ 60થી 70 ટન સુધીનો ભાર વહન કરી શકે છે. (Photo: @Boeing_In)
Indian Army Lands C17 Globemaster Aircraft In Kargil: ભારતીય સેનાએ કારગિલમાં સી-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે, જેનાથી તેની યુદ્ધની તૈયારી વધુ મજબૂત બની છે. આ પગલું પાકિસ્તાન માટે મોટો આંચકો માનવામાં આવે છે કારણ કે તે મોટા પ્રમાણમાં સૈન્ય પુરવઠો અને સૈનિકોને કોઈપણ મોરચા પર ઝડપથી પરિવહન કરવામાં સક્ષમ છે. ભારતીય સેના પહેલેથી જ લદ્દાખ અને કારગિલ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં કનેક્ટિવિટીની તૈયારી કરી રહી હતી, અને હવે ગ્લોબમાસ્ટરના ઉતરાણથી આ વ્યૂહાત્મક લાભને મજબૂત બનાવવામાં આવ્યો છે.
સેનાની તાકાતમાં જબરદસ્ત વધારો
સી-17 ગ્લોબમાસ્ટર વિમાનની તૈનાતીથી ભારતીય સેનાની લોજિસ્ટિક સપોર્ટ ક્ષમતામાં ચાર ગણો વધારો થશે. અગાઉ કારગિલ એરફિલ્ડ પરથી માત્ર સી-130જે સુપર હરક્યુલસ અને એએન-32 એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવતું હતું, જેની લોડ ક્ષમતા મર્યાદિત હતી. પરંતુ ગ્લોબમાસ્ટર એકલા જ 60થી 70 ટન સુધીનો ભાર વહન કરી શકે છે અને એક સાથે 150થી વધુ સૈનિકોને તેમના ઉપકરણો સાથે સરહદ પર લઈ જઈ શકે છે. આવી સ્થિતિમાં, આ વિમાન પાકિસ્તાન અને ચીન બંને માટે મોટો માથાનો દુખાવો બની શકે છે.
VIDEO | Indian Air Force's C-17 Globemaster lands on Kargil airstrip for first time.
(Source: Third Party)
(Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/zbgoZqLzi3— Press Trust of India (@PTI_News) March 6, 2025
કારગિલથી ચીન સરહદ સુધી સેના તૈનાત કરવી સરળ બનશે
કારગિલના વ્યૂહાત્મક સ્થાનને જોતા આ એરફિલ્ડ પાકિસ્તાન અને ચીન બંને માટે ચિંતાનો વિષય રહ્યો છે. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને પણ આ એરફિલ્ડને નિશાન બનાવ્યું હતું. હવે ભારતે અહીં સી-17 ગ્લોબમાસ્ટરને ઉતાર્યું છે ત્યારે જરૂર પડ્યે તરત જ ચીન સરહદે સૈન્ય મોકલવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત લદ્દાખને દરેક હવામાનમાં જોડવા માટે બનાવવામાં આવી રહેલો જોજિલા ટનલ અને ઓલ વેધર રોડ પણ સેનાની તાકાતમાં જબરદસ્ત વધારો કરશે.
ઠંડા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ મજબૂત પ્રદર્શન
સી-17 ગ્લોબમાસ્ટરને ખાસ કરીને ઊંચાઈ અને અત્યંત ઠંડા પ્રદેશ માટે બનાવવામાં આવ્યું છે. આ વિમાન લેહ અને શ્રીનગર વચ્ચેના અંતરને પૂરવાનું કામ પણ કરશે, જેના કારણે સેનાને લોજીસ્ટીક અને સૈન્ય પુરવઠો મોકલવામાં સરળતા રહેશે. જો કે કારગિલ એરફિલ્ડ પર નો પાર્કિંગ બે હોવાના કારણે ત્યાં એક સમયે માત્ર એક જ સી-17 વિમાન તૈનાત કરી શકાય છે, પરંતુ સેના આ પડકારને પહોંચી વળવા માટે કામ કરી રહી છે.
સી-17 ગ્લોબમાસ્ટરની આ તૈનાતીથી હવે પાકિસ્તાન અને ચીન બંનેની નજર ભારતની સૈન્ય સજ્જતા પર ટકેલી છે. આ એરફિલ્ડથી પાકિસ્તાન પહેલેથી જ ચિડાઈ ગયું હતું, પરંતુ હવે ભારતના વ્યૂહાત્મક ફાયદાએ તેની ચિંતા વધારી દીધી છે. આવનારા દિવસોમાં ભારત આ ક્ષેત્રમાં વધુ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરી શકે છે, જેનાથી ભારતીય સેનાની રિસ્પોન્સ ક્ષમતામાં અનેકગણો વધારો થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us