India Canada Row: ભારત - કેનેડા વચ્ચે વધ્યું ટેન્શન, નિજ્જર હત્યાકાંડ અંગે ટ્રૂડોના મંત્રીએ કર્યો મોટો દાવો

India Canada Row : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે વારંવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડા પાસેથી પુરાવા માંગ્યા છે.

India Canada Row : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે વારંવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડા પાસેથી પુરાવા માંગ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Justin Trudeau

જસ્ટિન ટ્રુડો photo- X @JustinTrudeau

India-Canada Relations: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલુ છે અને વધી રહ્યો છે. કેનેડિયન રાજદ્વારીઓને સસ્પેન્ડ કર્યા બાદ અને ભારતે તેના અધિકારીઓને પરત બોલાવ્યા બાદ સ્થિતિ વધુ વણસી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે વારંવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડા પાસેથી પુરાવા માંગ્યા છે. હવે એક નવો દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં ગુનાહિત ષડયંત્ર પાછળ પીએમ મોદીના નજીકના લોકોમાંથી એકનો હાથ છે.

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાના વિદેશ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર ડેવિડ મોરિસને સાંસદોને કહ્યું કે, કેનેડામાં ગુનાહિત ષડયંત્ર પાછળ મોદીના નજીકના લોકોમાંથી એકનો હાથ છે ગુપ્ત માહિતી એકત્ર કરવાની કામગીરીનો આદેશ આપ્યો.

કેનેડાના પીએમે આક્ષેપો કર્યા હતા

એક વર્ષ પહેલા ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે એવા આરોપો છે કે નરેન્દ્ર મોદીની સરકારે કેનેડાની ધરતી પર શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવામાં મદદ કરી હતી. ભારતે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને કેનેડા પાસેથી પુરાવા માંગ્યા હતા. તેઓ હજુ સુધી પુરાવા રજૂ કરી શક્યા નથી.

કેનેડા એકમાત્ર એવો દેશ નથી જેણે ભારતીય અધિકારીઓ પર વિદેશી ધરતી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મહિને ન્યૂયોર્ક સિટીમાં રહેતા શીખ અલગતાવાદી નેતાની હત્યાના કથિત નિષ્ફળ કાવતરાના સંબંધમાં ભારત સરકારના કર્મચારી સામે ફોજદારી આરોપોની જાહેરાત કરી હતી.

Advertisment

વિદેશ મંત્રીનો જોરદાર જવાબ

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારતે કેનેડામાં સંગઠિત અપરાધનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કેનેડા સરકાર દ્વારા લાંબા સમય સુધી તેની અવગણના કરવામાં આવી હતી. એટલું જ નહીં, વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે પણ રાષ્ટ્રીય હિત, અખંડિતતા અને સંપ્રભુતાની વાત આવશે ત્યારે ભારત કડક પગલાં લેશે. તેમણે કહ્યું 'કેનેડાની સરકારે અમારા હાઈ કમિશનર અને રાજદ્વારીઓને નિશાન બનાવ્યા, જેનો અમે યોગ્ય જવાબ આપ્યો.'

કેનેડા india વિશ્વ