India's First Bullet Train: ગુજરાતમાં અહીં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, રેલવે મંત્રીએ તારીખ અને સ્થળ વિશે જાણકારી આપી

Ahmedabad Mumbai Bullet Train Speed : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર દોડતી બુલેટ ટ્રેન શરૂ થવાની સંભવિત તારીખ વિશે જાણકારી આપી છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે કુલ 12 સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

Ahmedabad Mumbai Bullet Train Speed : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર દોડતી બુલેટ ટ્રેન શરૂ થવાની સંભવિત તારીખ વિશે જાણકારી આપી છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે કુલ 12 સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

author-image
Ajay Saroya
New Update
India First Bullet Train | Ahmedabad Mumbai Bullet Train

India First Bullet Train : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઇ વચ્ચે દોડશે. Photograph: (Social Media)

Railway Minister Ashwini Vaishnaw On Bullet Train : ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની રાહ જોઈ રહેલા લોકોને એક સારા સમાચાર આપ્યા છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર દોડતી બુલેટ ટ્રેન શરૂ થવાની સંભવિત તારીખ સામે આવી છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, દેશને 15 ઓગસ્ટ 2027ની આસપાસ પ્રથમ બુલેટ ટ્રેનની ભેટ મળવાની સંભાવના છે. જો કે, આ ટ્રેન એક સાથે સમગ્ર રૂટ પર નહીં, પરંતુ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે.

Advertisment

સૌ પ્રથમ ક્યા સ્ટેશન પર બુલેટ ટ્રેન દોડશે?

રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે શરૂઆતમાં બુલેટ ટ્રેન સુરત અને બિલિમોરા વચ્ચે ચલાવવામાં આવશે. આ પછી બીજા તબક્કામાં હાઈસ્પીડ ટ્રેન વાપીથી સુરત સુધી, પછી વાપીથી અમદાવાદ અને ત્યારબાદ થાણેથી અમદાવાદ સુધી હાઇ સ્પીડ દોડશે. અંતિમ તબક્કામાં બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેના સમગ્ર 508 કિમીના કોરિડોર પર નિયમિત દોડાવવામાં આવશે. આ તબક્કાવાર મોડલ ટેકનોલોજી ટેસ્ટિંગ, સલામતીના ધોરણો અને મુસાફરોની સુવિધાઓના વધુ સારા પરીક્ષણને સક્ષમ કરશે.

રેલવે મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે હવે ઉદ્ઘાટન સમયે બુલેટ ટ્રેન અગાઉની યોજના કરતા લાંબા ગાળા પર દોડશે. અગાઉ ઓગસ્ટ 2027માં માત્ર સુરત-બિલિમોરા (50 કિમી) સેક્શન પર જ ટ્રેન દોડાવવાની તૈયારી હતી, પરંતુ હવે સુરત-વાપી વચ્ચે લગભગ 100 કિલોમીટરના સેક્શન પર ટ્રેન સંચાલિત કરવાની યોજના છે. આનાથી પ્રારંભિક તબક્કામાં જ મુસાફરોને મોટો ફાયદો થશે.

સ્ટેશનો, ડેપો અને વિલંબના કારણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સાબરમતી અને મુંબઈમાં બીકેસી ટર્મિનલ સ્ટેશન હશે. આ સિવાય ત્રણ ડેપો તૈયાર કરવામાં આવી રહ્યા છે. રેલવે મંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે 508 કિમીના કોરિડોર માટે બે ડેપો પૂરતા હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં લાંબા સમયથી પરવાનગી અને મંજૂરીના અભાવને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. આ વિલંબને કારણે, વધારાની વ્યવસ્થા તરીકે ત્રીજા ડેપોની જરૂર હતી.

Advertisment

મુસાફરી કેટલી ઝડપી હશે?

આ હાઇ સ્પીડ રેલ કોરિડોર 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ કોરિડોર કાર્યરત થયા બાદ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરી લગભગ 2 કલાક અને 17 મિનિટમાં પૂર્ણ કરશે. હાઈ સ્પીડની સાથે, તેમાં અત્યાધુનિક સલામતી પ્રણાલી, આરામદાયક કોચ અને વિશ્વ સ્તરની સુવિધાઓ હશે. 

2017 થી શરૂઆત, હવે2027 પર  નજર 

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો અને અગાઉ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ જમીન સંપાદન અને અમલીકરણની અન્ય અડચણોને કારણે, સમયમર્યાદા આગળ ધપાવવામાં આવી હતી. હવે રેલવે મંત્રીના તાજેતરના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે 2027 એ વર્ષ હશે જ્યારે ભારત પહેલીવાર બુલેટ ટ્રેનની દુનિયામાં પગ મૂકશે.

હવે સવાલ માત્ર એટલો જ છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ દેશ હાઈ-સ્પીડ ટ્રાવેલની ભેટ જોઈ શકશે કે નહીં. હાલમાં, રેલ્વે મંત્રીના સંકેતોએ આ સ્વપ્નને પહેલા કરતા વધુ નજીક લાવ્યું છે.

રેલવે દેશ