Gujarati News 04 October 2024 Highlights : હરિયાણા વિધાનસભા ચૂંટણી : 90 બેઠકો પર શનિવારે મતદાન

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 04 October 2024: સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સરકારમાં પાછા ફરવાની આશા રાખી રહી છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 1,031 ઉમેદવારો 90 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 101 મહિલાઓ છે. આ ઉમેદવારોમાં 464 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે

Written by Ajay Saroya
Updated : October 04, 2024 23:42 IST
Gujarati News 04 October 2024 Highlights : હરિયાણા વિધાનસભા ચૂંટણી : 90 બેઠકો પર શનિવારે મતદાન
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન, (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 04 October 2024, આજના તાજા સમાચાર: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં શનિવારે 5 ઓક્ટોબરે રાજ્યની 90 બેઠકો પર મતદાન થશે. શનિવારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1027 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઇ જશે. જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણાની ચૂંટણીના પરિણામો પણ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સરકારમાં પાછા ફરવાની આશા રાખી રહી છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 1,031 ઉમેદવારો 90 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 101 મહિલાઓ છે. આ ઉમેદવારોમાં 464 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે.

વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે

વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. આ બેઠકમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો હાજરી આપે છે. . અગાઉ ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. આ વખતે SCOની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.

નસરાહલ્લાના ઉત્તરાધિકારીનું પણ રોકેટ હુમલામાં મોત, ઈઝરાયલનો મોટો દાવો

ઈઝરાયલ ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ મોડી રાત્રે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન પણ માર્યો ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ઈઝરાયલની મીડિયાએ આ દાવો કર્યો છે. આજે ઈઝરાયલ હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ પ્રમુખ નસરાલ્લાહના અંતિમ સંસ્કાર થવાના છે. એવું માનવામાં આવે છે કે આજે નસરલ્લાહને દફનાવવામાં આવશે. તેમજ આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની તેહરાન ભાષણ આપશે. માં બોલવા જઈ રહ્યા છે. નસરાલ્લાહના મોત બાદ ખામેનીને એક ગુપ્ત સ્થળે લઇ જવામાં આવી હતી. ત્યાર બાદ ખામેની પહેલી વાર દેખાશે.

Live Updates

હરિયાણા વિધાનસભા ચૂંટણી : 90 બેઠકો પર શનિવારે મતદાન

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં શનિવારે 5 ઓક્ટોબરે રાજ્યની 90 બેઠકો પર મતદાન થશે. શનિવારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1027 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઇ જશે. જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણાની ચૂંટણીના પરિણામો પણ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સરકારમાં પાછા ફરવાની આશા રાખી રહી છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 1,031 ઉમેદવારો 90 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 101 મહિલાઓ છે. આ ઉમેદવારોમાં 464 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે.

મહિલા ટી 20 વર્લ્ડ કપ : ભારતનો પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય

મહિલા ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમનો 58 રને પરાજય થયો છે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ રમતાં ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 160 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. આ જીત બાદ ન્યૂઝીલેન્ડને 2 પોઈન્ટ મળ્યા હતા.

છત્તીસગઢના બસ્તરમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 24 માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના બસ્તરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 24 માઓવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી અનેક ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. હાલ આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. નારાયણપુર-દંતેવાડા આંતર-જિલ્લા સરહદ પર અભુજમાડ જંગલમાં બપોરે એક વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટુકડી નક્સલ વિરોધી અભિયાન પર હતી.

વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે

વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. આ બેઠકમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો હાજરી આપે છે. . અગાઉ ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. આ વખતે SCOની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.

અજય તંવરની કોંગ્રેસમાં વાપસી, હરિયાણામાં ભાજપને ફટકો

હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન અશોક તંવર ભાજપ છોડી કોંગ્રેસમાં ફરી જોડાયા છે. કોંગ્રેસ નેતા અજય માકને અશોક તંવરને ખેસ પહેરાવી કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા હતા. અશોક તંવર વર્ષ 2009માં હરિયાણાના સિરસામાંથી લોકસભા ચૂંટણ જીત્યા હતા. જો કે 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

તિરૂપતિ લડ્ડુ વિવાદની તપાસ માટે SIT બનશે, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

તિરૂપતિ લડ્ડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે તિરૂપતિ લડ્ડમાં ભેળસેળ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. 5 સભ્યોની આ તપાસ ટીમમાં સીબીઆઈ અધિકારીથી લઇ એફએમસીજીના સભ્યો પણ સામેલ હશે. પાછલા સપ્તાહે સુનવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી હતી કે, આ કેસ કોઇપણ પ્રકારની રાજનીતિથી દૂર રાખવામાં આવે અને સંપૂર્ણ ધ્યાન માત્ર તપાસ ઉપર હોવું જોઇએ.

સેન્સેક્સ 252 પોઇન્ટ ઘટાડે ખુલ્યો, નિફ્ટી 25200 લેવલ નીચે

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે પણ ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 250 પોઇન્ટથી વધુ ઘટીને 82244 લેવલ પર ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 25181 લેવલ પર ખુલ્યો છે. નોંધનિય છે કે, ઈઝરાયલ ઈરાન યુદ્ધના પગલે ગુરુવારે શેરબજારમાં બે મહિનાનો સૌથી મોટો 1700 પોઇન્ટનો કડાકો બોલાયો હતો.

મિર્ઝાપુરમાં ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 10 મજૂરોના કરુણ મોત

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 મજૂરોના કરુણ મોત થયા છે અને 3 વ્યક્તિ ઘાયલ છે, જેમની વારાણસી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે 12.30 વાગેની આસપાસ ટ્રક ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક રોડની ડિવાઇડર કુદાવી બીજી બાજુ રહી અને ટ્રેક્ટરને ભયંકર ટક્કર મારી હતી. તે સમયે ટ્રેક્ટરની ટ્રોલમાં 13 મજૂરો હતા. ટ્રકની ટક્કર લાગતા ટ્રેક્ટરની ટ્રેલ રોડ નજીક નાળામાં પડી. અકસ્માત બાદ લોકો ગુસ્સે ભરાયા અને ગામના લોકોએ વારાણસી પ્રયાગરાજ હાઇવે જામ કરી દીધો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ