Gujarati News 05 December 2024 : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, એકનાથ શિંદે અને અજિત પવારે ડિપ્ટી સીએમ પદના શપથ લીધા

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 05 December 2024: આ શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 05 December 2024: આ શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Devendra Fadnavis, Maharashtra CM

Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ 15 ડિસેમ્બરે થશે. (Express Express Photo by Narendra Vaskar)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 05 December 2024, આજના તાજા સમાચાર: ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેમણે આઝાદ મેદાનમાં સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા.

Advertisment

અલ્લુની ફિલ્મ 'પુષ્પા-2'ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં મહિલાનું મોત

સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જૂનની પુષ્પા-2નો પ્રીમિયર શો બુધવારે હૈદરાબાદમાં યોજાયો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાનો તેવી જાણ થતાં ચાહકો મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોતનું મૃત્યુ નિપજ્યું હતું. દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકો 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુન ત્યાં આવતાની સાથે જ અભિનેતાને જોવા ચાહકોમાં નાસભાગ મચી હતી.

નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધીને 15 ડિગ્રી પહોંચ્યું

સામાન્ય રીતે આ દિવસોમાં ઠંડીનો પારો નીચો ઉતરે છે પરંતુ બુધવારના દિવસે ઠંડીનો પારો અચાનક ઉપર ઉઠ્યો હતો. જેના પગલે રાજ્યમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જ્યારે 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 16 ડિગ્રી, અમરેલીમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Dec 05, 2024 23:32 IST

    Today Live News : સીએમ ફડણવીસે મંત્રાલયનો હવાલો સંભાળ્યો

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ સમારોહ બાદ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર હતા.

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 19:22 IST

    Today Live News : સીએમ ફડણવીસ અને બન્ને ઉપ મુખ્યમંત્રી મંત્રાલય પહોંચ્યા

    મુંબઈ : શપથ ગ્રહણ કર્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી અજિત પવાર મંત્રાલય પહોંચ્યા.

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Advertisment
  • Dec 05, 2024 17:59 IST

    Today Live News : અજિત પવારે મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:58 IST

    Today Live News : એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:50 IST

    Today Live News : પીએમ મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર ફડણવીસને અભિનંદન પાઠવ્યા

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:42 IST

    Today Live News : પીએમ મોદી મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યો

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:36 IST

    Today Live News : દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, એકનાથ શિંદે શપથ માટે મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યો

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:30 IST

    Today Live News : મુકેશ અંબાણી પરિવાર સાથે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યો

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:26 IST

    Today Live News : શાહરુખ ખાન મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યો

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024



  • Dec 05, 2024 17:09 IST

    Today Live News : સચિન તેંડુલકર શપથ વિધિ સમારોહ સમારોહમાં પહોંચ્યો

    — ANI_HindiNews (@AHindinews) December 5, 2024

    https://platform.twitter.com/widgets.js



  • Dec 05, 2024 17:03 IST

    Today Live News : સચિન તેંડુલકર શપથ વિધિ સમારોહ સમારોહમાં પહોંચ્યો

    https://twitter.com/AHindinews/status/1864630407968509983



  • Dec 05, 2024 16:37 IST

    Today Live News : શિવસેના નેતાએ કહ્યું - શપથ લીધા પછી શિંદે અમિત શાહને મળશે

    શિવસેના નેતા સંજય સિરસાટે પીટીઆઈને કહ્યું કે એકનાથ શિંદે થોડીવારમાં સીએમ તરીકે શપથ ગ્રહણ માટે જશે. પછી તે અમિત શાહ સાથે મુલાકાત કરશે. તે રાજ્યના ગૃહ મંત્રી પદ અને અન્ય પદો પર ચર્ચા કરશે.



  • Dec 05, 2024 15:50 IST

    Today Live News : શિવસેવા નેતાનો દાવો - એકનાથ શિંદે ડિપ્ટી સીએમ પદના શપથ ગ્રહણ કરશે

    શિવસેવા નેતા ઉદય સામંતે દાવો કર્યો છે કે એકનાથ શિંદે આજે ડિપ્ટી સીએમ પદના શપથ ગ્રહણ કરશે.



  • Dec 05, 2024 15:09 IST

    Today Live News : BJPના ગિરીશ મહાજન શિંદેના ઘરે પહોંચ્યા

    દેવેન્દ્ર ફડણવીસ થોડા ક સમયમાં મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. ઉપમુખ્યમંત્રી પદ માટે અજીત પવારના નામની જાહેરાત થઈ ચૂકી છે જ્યારે શિવસેના જૂથના એકનાથ શિંદેના નામ પર હજી પણ સસ્પેન્સ છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવા માટે રાજી થઈ ચૂક્યા છે. આ વચ્ચે બીજેપીના ગિરીશ મહાજન એકનાથ શિંદેના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા છે.



  • Dec 05, 2024 13:50 IST

    Today Live News : અરબી સમુદ્રમાં ડૂબ્યું પોરબંદરનું જહાજ, 12 ક્રૂ મેમ્બરનો બચાવ

    પોરબંદરથી ઈરાનના અબ્બાસ બંદરે જઈ રહેલું વેપારી જહાજ ટેક્નિકલ ખામીના કારણે અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું. જોકે, ઘટનાની જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્થળે પહોંચીને જહાજ પર સવાર 12 ક્રૂ મેમ્બરોને બચાવી લીધા હતા.



  • Dec 05, 2024 11:31 IST

    Today Live News : યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા

    યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું, “ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને તેમના નેતૃત્વમાં મહાગઠબંધન સરકારની રચના કરવા બદલ તમામ અભિનંદન. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે અને ઉત્તર પ્રદેશના ઘણા લોકો મહારાષ્ટ્રમાં રહે છે. આ સરકાર બનવાથી મહારાષ્ટ્રના લોકોને જે ખુશી છે તે યુપીની ખુશી કરતાં પણ વધારે છે કારણ કે ભાજપ છે તો વિકાસ છે.



  • Dec 05, 2024 11:31 IST

    Today Live News : એકનાથ શિંદેનો સમય પૂરો થયો - સંજય રાઉત

    શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, “હવે એકનાથ શિંદેનો સમય પૂરો થઈ ગયો છે, તેમની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. હવે શિંદે આ રાજ્ય (મહારાષ્ટ્ર)માં ક્યારેય મુખ્યમંત્રી નહીં બને. આ લોકો શિંદેની પાર્ટીને પણ તોડી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ આજથી રાજ્યના સીએમ બનશે. બહુમતી હોવા છતાં તેઓ 15 દિવસ સુધી સરકાર બનાવી શક્યા નથી. મતલબ કે પાર્ટીની અંદર કંઈક ખોટું છે. કાલથી તમે આ ગડબડ જોશો. તેઓ દેશના હિત માટે કામ કરતા નથી, તેઓ સ્વાર્થ માટે ભેગા થયા છે પરંતુ તેમ છતાં અમે મુખ્યમંત્રીને અભિનંદન આપીએ છીએ અને આવનારા સમયમાં તમે મહારાષ્ટ્રના હિત માટે કામ કરો.



  • Dec 05, 2024 11:30 IST

    Today Live News : ફડણવીસના શપથ સમારોહ પર શહેઝાદ પૂનાવાલાએ શું કહ્યું?

    બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ANIને કહ્યું, “આજે દેવેન્દ્ર ફડણવીસ સરકારના શપથ સમારોહની તારીખ આવી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે મળીને આગામી 5 વર્ષ માટે મહારાષ્ટ્રને પ્રગતિશીલ, વિકાસશીલ સરકાર આપશે. કેટલાક લોકો હજુ પણ જનતાના જનાદેશને સ્વીકારવાને બદલે સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ લોકોનું અપમાન કરી રહ્યા છે અને ઈવીએમ પર આરોપ લગાવી રહ્યા છે. તેઓ બંધારણની વિરુદ્ધ છે.”



  • Dec 05, 2024 09:37 IST

    Today Live News :આજે દેવેન્દ્ર ફડણવિસ મહારાષ્ટ્ર CM ના શપથ લેશે

    મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની જંગી જીત બાદ એ નક્કી થઈ ગયું છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી સીએમ હશે. ફડણવીસ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મહાયુતિના ત્રણ મહત્વના નેતાઓ એટલે કે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આજે દેવેન્દ્ર ફડણવીસ સરકાર શપથ લેશે પરંતુ મુખ્ય શંકા એકનાથ શિંદેના નામ પર છે કે શું તેઓ ફડણવીસ સરકારમાં અજિત પવાર સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે કે નહીં.



  • Dec 05, 2024 09:37 IST

    Today Live News : નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધીને 15 ડિગ્રી પહોંચ્યું

    સામાન્ય રીતે આ દિવસોમાં ઠંડીનો પારો નીચો ઉતરે છે પરંતુ બુધવારના દિવસે ઠંડીનો પારો અચાનક ઉપર ઉઠ્યો હતો. જેના પગલે રાજ્યમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જ્યારે 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 16 ડિગ્રી, અમરેલીમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



  • Dec 05, 2024 09:37 IST

    Today Live News : સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, બેંક શેરમાં વેચવાલી, આઈટી ઇન્ડેક્સ મજબૂત

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે વધીને ખુલ્યા બાદ મક્કમ હતા. સેન્સેક્સ પાછલા બંધ 80956 સામે ગુરુવારે 81182 ખુલ્યો હતો. રિલાયન્સ અને આઈટી શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 150 પોઇન્ટ વધીને 81100 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24467 સામે આજે 24539 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 300 પોઇન્ટ કરતા વધુ વધ્યો હતો. જો કે બેંકિંગ શેરમાં વેચવાલીથી બેંક નિફ્ટી રેડ ઝોનમાં હતો.



  • Dec 05, 2024 09:37 IST

    Today Live News :અલ્લુની ફિલ્મ 'પુષ્પા-2'ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં મહિલાનું મોત

    સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જૂનની પુષ્પા-2નો પ્રીમિયર શો બુધવારે હૈદરાબાદમાં યોજાયો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાનો તેવી જાણ થતાં ચાહકો મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોતનું મૃત્યુ નિપજ્યું હતું. દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકો 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુન ત્યાં આવતાની સાથે જ અભિનેતાને જોવા ચાહકોમાં નાસભાગ મચી હતી.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ