Gujarati News 10 June 2024 Highlight : મોદી સરકાર 3.0 માં ખાતાની વહેંચણી, અમિત શાહ ગૃહમંત્રી, નીતિન ગડકરી સડક પરિવહન મંત્રી

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 June 2024 : મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય સામે આવ્યો છે. પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 June 2024 : મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય સામે આવ્યો છે. પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Modi Cabinet 2024, Modi Cabinet

શપથ ગ્રહણ સમારોહ પછી પીએમ મોદીએ પોતાના કેબિનેટ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રુપ ફોટો પડાવ્યો હતો (X/@narendramodi)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 June 2024 Highlight, આજના તાજા સમાચાર: મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમાં નીતિન ગડકરીને ફરી પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહને રક્ષા મંત્રી તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે. અમિત શાહ ફરી ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

Advertisment

મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવાશે

મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોનિયા ગાંધીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ઼્રા પણ હાજર રહ્યા હતા.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે લીધો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન નિધિનો 17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. આ મોદી સરકારની આ નિર્ણયથી લગભગ 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણય બાદ ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

શેરબજાર રેકોર્ડ હાઈ પર ખુલ્યું, નિફ્ટી 23400ને પાર, સેન્સેક્સ 77,000ને સ્પર્શ્યો

મોદી સરકાર 3.0ની રચનાની અસર આજે (10 જૂન 204) શેરબજારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 242.05 પોઈન્ટ (0.32 ટકા) વધીને 76,935.41 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પછી સેન્સેક્સ 77,000ના આંકડાને સ્પર્શી ગયો. NSE નિફ્ટી પણ 29 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને 23,319.15 (0.12 ટકા) પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 4.95 પોઈન્ટ વધીને 49,809.15 પર ટ્રેડ કરી રહ્યો હતો.

J&K બસ હુમલો : 'જો બસ ખીણમાં ન પડી હોત તો આતંકવાદીઓએ કોઈને જીવતા ન છોડ્યા હોત'

શિવખોડીથી કટરા પરત ફરી રહેલી બસ પર હુમલો કરવા માટે આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. બસ રિયાસી પહોંચી કે તરત જ આતંકવાદીઓ રસ્તાની વચ્ચે ઉભા થઈ ગયા અને ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં બચી ગયેલા ભાગ્યશાળી મુસાફરોના જણાવ્યા અનુસાર બસ ખાઈમાં પડી જવાથી અનેક મુસાફરોનો જીવ બચી ગયો હતો. જો બસ રસ્તા પર જ રહી હોત તો ગોળીઓ ચલાવી રહેલા આતંકવાદીઓ ભાગ્યે જ કોઈને જીવતા છોડ્યા હોત.

મુસાફરોના જણાવ્યા પ્રમાણે બસ નીચે ખાડામાં પડતાની સાથે જ ચીસાચીસ થઈ ગઈ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ નીચે પડી રહેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કરતા રહ્યા. આટલું જ નહીં, જ્યારે બસ નીચે ખાઈમાં પડી ગઈ હતી અને મુસાફરો ચીસો પાડી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ થોડીવાર સુધી ગોળીઓ વરસાવતા રહ્યા હતા. સ્થળ પરથી મળેલા ખાલી કારતુસ પણ આ વાતની સાક્ષી પૂરે છે. આ હુમલામાં નવ મુસાફરોના મોત થયા છે. તેમાં બે બાળકો પણ છે જેમાંથી એક બેથી ત્રણ વર્ષનો છે. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને પીડિતોને મદદ કરી હતી.

મોદી 3.0 સરકારના મંત્રીઓને મળ્યા કયા ખાતા

  • રાજનાથ સિંહ- સંરક્ષણ મંત્રી
  • અમિત શાહ- ગૃહ મંત્રી અને સહકાર મંત્રી
  • નીતિન ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી
  • જેપી નડ્ડા- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી
  • શિવરાજ સિંહ ચૌહાણ- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી
  • નિર્મલા સીતારમણ- નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી
  • ડૉ.સુબ્રમણ્યમ જયશંકર- વિદેશ મંત્રી
  • મનોહર લાલ- આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી
  • એચડી કુમારસ્વામી- ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી
  • પીયૂષ ગોયલ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
  • ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રી
  • જીતનરામ માંઝી- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
  • રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ- પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી
  • સર્બાનંદ સોનોવાલ- બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી
  • ડૉ. વીરેન્દ્ર કુમાર- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
  • કિંજરાપુ રામમોહન નાયડુ- નાગરિક ઉડ્ડયન મંત્રી
  • પ્રહલાદ જોશી- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી.
  • જુઅલ ઓરામ- આદિજાતિ બાબતોના મંત્રી
  • ગિરિરાજ સિંહ- કાપડ મંત્રી
  • અશ્વિની વૈષ્ણવ- રેલ્વે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી
  • જ્યોતિરાદિત્ય સિંધિયા- સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી
  • ભૂપેન્દ્ર યાદવ- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી
  • ગજેન્દ્ર સિંહ શેખાવત- સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી
  • અન્નપૂર્ણા દેવી- મહિલા અને બાળ વિકાસ મંત્રી
  • કિરેન રિજિજુ- સંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન
  • હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી
  • ડૉ. મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી
  • જી. કિશન રેડ્ડી- કોલસા મંત્રી અને ખાણ મંત્રી
  • ચિરાગ પાસવાન- ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી
  • સી.આર. પાટીલ- જલ શક્તિ મંત્રી

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

  1. રાવ ઈન્દ્રજીત સિંહ- આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
  2. ડૉ. જિતેન્દ્ર સિંહ- વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, રાજ્યમાં રાજ્ય મંત્રી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારતમાં અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી.
  3. અર્જુન રામ મેઘવાલ- કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
  4. જાધવ પ્રતાપરાવ ગણપતરાવ- આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
  5. જયંત ચૌધરી- કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
  • Jun 10, 2024 23:45 IST

    પીએમ મોદીએ એચડી દેવગૌડાને ફોન કર્યો

    ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડી(એસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ ટ્વિટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને નવી સરકાર પર પોતાના વિચારો અને સૂચનો શેર કરવા માટે ફોન કર્યો. તેમણે મારા સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી. હું તેમની ચિંતા માટે આભારી છું. તેમની હૂંફે મને ભાવુક કરી દીધો. ભગવાનના આશીર્વાદ હંમેશા તેમના પર બન્યા રહે. તે ભારતને વધારે ગૌરવ તરફ લઇ જાય.

    — ANI_HindiNews (@AHindinews) June 10, 2024



  • Jun 10, 2024 21:31 IST

    મુંબઈમાં વરસાદ શરૂ

    — ANI_HindiNews (@AHindinews) June 10, 2024



  • Jun 10, 2024 19:51 IST

    Modi 3.0 Cabinet : મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય

    પોરબંદરથી સાંસદ મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય અને ખેલ મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે.



  • Jun 10, 2024 19:50 IST

    Modi 3.0 Cabinet : પીયૂષ ગોયલને વાણિજ્ય મંત્રાલય

    પીયૂષ ગોયલને વાણિજ્ય મંત્રાલય મળ્યું છે. જ્યારે ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.



  • Jun 10, 2024 19:47 IST

    Modi 3.0 Cabinet : હરદીપ સિંહ પુરી પેટ્રોલિયમ મંત્રી

    હરદીપ સિંહ પુરીને ફરીથી પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગિરિરાજ સિંહને કાપડ મંત્રાલય આપવામાં આવ્યું છે.



  • Jun 10, 2024 19:47 IST

    Modi 3.0 Cabinet : સિંધિયાને દૂરસંચાર મંત્રાલય

    જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ અને દૂરસંચાર મંત્રાલય આપવામાં આવ્યું છે.



  • Jun 10, 2024 19:45 IST

    Modi 3.0 Cabinet : જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલય

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે પ્રહલાદ જોષીને ફૂડ, કન્ઝ્યુમર અને રિન્યુએબલ એનર્જી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.



  • Jun 10, 2024 19:43 IST

    Modi 3.0 Cabinet : ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી

    ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે સુરેશ ગોપી અને રાવ ઈન્દ્રજીત સિંહને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:43 IST

    Modi 3.0 Cabinet : રામ મોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી

    રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું છે. અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રવનીત સિંહ બિટ્ટુને લઘુમતી બાબતોના વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:41 IST

    Modi 3.0 Cabinet : ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષા મંત્રી

    ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:39 IST

    Modi 3.0 Cabinet : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યું

    ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલને જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:37 IST

    Modi 3.0 Cabinet : જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી

    હિન્દુસ્તાન આવામ મોરચાના એકમાત્ર સાંસદ જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. શોભા કરંદલાજેને આ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:35 IST

    Modi 3.0 Cabinet : શિવરાજ સિંહ ચૌહાણ કૃષિ મંત્રી

    મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ કિસાન કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.



  • Jun 10, 2024 19:31 IST

    Modi 3.0 Cabinet : મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય

    મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે. શ્રીપદ નાઈકને આ વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:30 IST

    Modi 3.0 Cabinet : નિર્મલા સીતારમણ નાણા મંત્રી, જયશંકર વિદેશ મંત્રી

    મોદી સરકાર 3.0માં ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં નિર્મલા સીતારણને ફરી નાણાં મંત્રી અને એસ જયશંકરને ફરી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:28 IST

    Modi 3.0 Cabinet : મોદી સરકાર 3.0 - રાજનાથ સિંહ ફરી રક્ષા મંત્રી

    મોદી સરકાર 3.0માં ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં રાજનાથ સિંહને ફરી રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:23 IST

    અમિત શાહ ફરી ગૃહમંત્રી બન્યા

    મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમાં નીતિન ગડકરીને ફરી પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહને રક્ષા મંત્રી તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે. અમિત શાહ ફરી ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 19:17 IST

    નીતિન ગડકરીને સડક પરિવહન મંત્રી તરીકે યથાવત્

    એનડીએ સરકારમાં મંત્રીઓને ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના નેતાઓને પોતાના ખાતા જાળવી રાખ્યા છે. નીતિન ગડકરીને સડક પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે.



  • Jun 10, 2024 18:48 IST

    રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ માલદીવના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

    — ANI_HindiNews (@AHindinews) June 10, 2024



  • Jun 10, 2024 18:24 IST

    મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવાશે

    મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.



  • Jun 10, 2024 18:16 IST

    પીએમ નરેન્દ્ર મોદી કેબિનેટની પ્રથમ મિટિંગ શરુ

    પીએમ નરેન્દ્ર મોદી કેબિનેટની પ્રથમ મિટિંગ શરુ થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મિટિંગમાં મોદી સરકાર ઘણા મોટા નિર્ણયો લઇ શકે છે.

    https://twitter.com/AHindinews/status/1800145703395832061



  • Jun 10, 2024 17:40 IST

    સિક્કિમના મુખ્યમંત્રી તરીકે પ્રેમ સિંહ તમાંગે શપથ ગ્રહણ કર્યા

    ગંગટોક: સિક્કિમના મુખ્યમંત્રી તરીકે પ્રેમ સિંહ તમાંગે પલજોર સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કર્યા. તેઓ સતત બીજી વખત સિક્કિમનું મુખ્યમંત્રી પદ સંભાળશે.

    — ANI_HindiNews (@AHindinews) June 10, 2024



  • Jun 10, 2024 16:43 IST

    સોનિયા ગાંધીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી

    કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ઼્રા પણ હાજર રહ્યા હતા.

    — Congress (@INCIndia) June 10, 2024



  • Jun 10, 2024 13:53 IST

    મણિપુરમાં મુખ્યમંત્રીના સુરક્ષા કાફલા પર હુમલો

    મણિપુરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઓચિંતો હુમલો કરીને હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે.



  • Jun 10, 2024 13:05 IST

    ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન નિધિનો 17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. આ મોદી સરકારની આ નિર્ણયથી લગભગ 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણય બાદ ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.



  • Jun 10, 2024 10:31 IST

    શેરબજાર રેકોર્ડ હાઈ પર ખુલ્યું

    મોદી સરકાર 3.0ની રચનાની અસર આજે (10 જૂન 204) શેરબજારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 242.05 પોઈન્ટ (0.32 ટકા) વધીને 76,935.41 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પછી સેન્સેક્સ 77,000ના આંકડાને સ્પર્શી ગયો. NSE નિફ્ટી પણ 29 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને 23,319.15 (0.12 ટકા) પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 4.95 પોઈન્ટ વધીને 49,809.15 પર ટ્રેડ કરી રહ્યો હતો.



  • Jun 10, 2024 09:11 IST

    J&K બસ હુમલો : જો બસ ખાડામાં ન પડી હોત તો આતંકવાદીઓએ કોઈને જીવતા ન છોડ્યા હોત

    આ ઘટનામાં બચી ગયેલા ભાગ્યશાળી મુસાફરોના જણાવ્યા અનુસાર બસ ખાઈમાં પડી જવાથી અનેક મુસાફરોનો જીવ બચી ગયો હતો. જો બસ રસ્તા પર જ રહી હોત તો ગોળીઓ ચલાવી રહેલા આતંકવાદીઓ ભાગ્યે જ કોઈને જીવતા છોડ્યા હોત. મુસાફરોના જણાવ્યા પ્રમાણે બસ નીચે ખાડામાં પડતાની સાથે જ ચીસાચીસ થઈ ગઈ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ નીચે પડી રહેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કરતા રહ્યા. આટલું જ નહીં, જ્યારે બસ નીચે ખાઈમાં પડી ગઈ હતી અને મુસાફરો ચીસો પાડી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ થોડીવાર સુધી ગોળીઓ વરસાવતા રહ્યા હતા. સ્થળ પરથી મળેલા ખાલી કારતુસ પણ આ વાતની સાક્ષી પૂરે છે. આ હુમલામાં નવ મુસાફરોના મોત થયા છે. તેમાં બે બાળકો પણ છે જેમાંથી એક બેથી ત્રણ વર્ષનો છે. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને પીડિતોને મદદ કરી હતી.



  • Jun 10, 2024 08:59 IST

    આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

    આજે અમદવાાદમાં તાપમાન મહત્તમ 41 ડિગ્રી અને લઘુતમ 29 ડિગ્રી જેટલું રહેશે. અમદાવાદમાં આજે યુવી ઇન્ડેક્સ 4 મોડરેટ રહેશે. પવનની ગતિ 17 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા રહેશે.આકાશમાં 63 ટકા ભાગ વાદળોથી ઘેરાયેલો રહેશે.



  • Jun 10, 2024 08:16 IST

    J&K બસ આતંકી હુમલો, પીએમ મોદીની સંભવ મદદની ખાતરી

    જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે વડા પ્રધાને તેમને પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશથી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ હતી. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.



  • Jun 10, 2024 08:13 IST

    સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?

    આજે 10 જૂન 2024, સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજના દિવસનું રાશિફળ.



  • Jun 10, 2024 08:12 IST

    દેશની નજર મંત્રીઓને મંત્રાલયની વહેચણી પર

    નરેન્દ્ર મોદી 3.0 સરકારના મંત્રીમંડળે શપથ ગ્રહણ કરી લીધા છે. નરેન્દ્ર મોદી અને બાકીના 71 મંત્રીઓએ શપથ લીધા છે. હવે દેશની નજર મંત્રીઓને મંત્રાલયની વહેચણી કરવામાં પર રહેશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ