Gujarati News 11 August 2024 Highlights : શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલેનો ફોન અને વોટ્સએપ હેક, સોશિયલ મીડિયા X પર જાણકારી આપી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 August 2024 : મહારાષ્ટ્રના એનસીપી નેતા સુપ્રીય સુલેનો ફોન અને વોટ્સએસ એકાઉન્ટ હેક થયા છે. સુપ્રીયા સુલેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર આ વિશે પોસ્ટ કરી જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
Updated : August 11, 2024 23:34 IST
Gujarati News 11 August 2024 Highlights : શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલેનો ફોન અને વોટ્સએપ હેક, સોશિયલ મીડિયા X પર જાણકારી આપી
Supriya Sule: સુપ્રીયા સુલે એનસીપી નેતા અને શરદ પવારના પુત્રી છે. (Photo: @supriya_sule)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 August 2024 Highlights, આજના તાજા સમાચાર: અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબી વડા માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. માધવી પુરી બુચ અને ધવલ બુચ દ્વારા ઓફશોર ફંડમાં જંગી રોકાણ કરવાનો આરોપ કર્યો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિંસક ઘટનાઓ ચાલુ છે. ગુજરાતમાં ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મ્યાનરમા રોહિંગ્યા મુસ્લિમો પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે, જેમા લગભગ 200 લોકોના મોત થયા હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચ નો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આક્ષેપ

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા નવા રિપોર્ટમાં સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. શનિવારે જાહેર કરેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં આરોપ મૂકાયો છે કે, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ અદાણી મની સાઇફનિંગ ફ્રોડમાં સામેલ વિદેશી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. હિંડનબર્ગ રિસર્ચે જણાવ્યું હતું કે, માધવી પુરી બુચ અને તેમના પતિ પાસે અદાણી મની સાઇફનિંગ ફ્રોડમાં વપરાયેલી અબસુર ઓફશોર એન્ટિટીની હિસ્સેદારી છે.

મ્યાનમાર થી બાંગ્લાદેશ જઇ રહેલા રોહિંગ્યા મુસ્લિમ પર ડ્રોન એટેક

બાંગ્લાદેશમાં હિંસક ઘટના વચ્ચે વધુ એક નવુ મુશ્કેલી ઉભી થઇ છે. મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમ લોકો મ્યાનમાર માંથી બાંગ્લાદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દરમિયાન મ્યાનમાર માંથી બાંગ્લાદેશ જઇ રહેલા રોહિંગ્યા મુસ્લિમ લોકોના એક સમૂહ પર સરહદ પાર કરતી વખતે ડ્રોન એટેક કરવામાં આવ્યો છે, જેમા લગભગ 200 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.

Live Updates

ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા આવતીકાલ માટે સ્થગિત કરવામાં આવી

11 ઓગસ્ટે ભારે વરસાદને પગલે જાળવણી કાર્ય માટે પહેલગામ અને બાલટાલ બંને રૂટની અમરનાથ યાત્રા આવતીકાલ માટે સ્થગિત કરવામાં આવી હતી. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુડીએ જણાવ્યું હતું કે આજે ભારે વરસાદને કારણે અમરનાથ જી યાત્રા રૂટના બાલટાલ રૂટ પર તાત્કાલિક સમારકામ અને જાળવણી કાર્ય હાથ ધરવાની જરૂર છે. યાત્રાળુઓની સુરક્ષાના હિતમાં કાલે પણ બાલટાલ રૂટ દ્વારા યાત્રાની પણ પરવાનગી આપવામાં આવશે નહીં. આગળની માહિતી સમયાંતરે જારી કરવામાં આવશે.

હિંડનબર્ગ-અદાણી મામલામાં રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું - સેબી પ્રમુખે રાજીનામું કેમ ન આપ્યું?

હિંડનબર્ગ વિવાદ ફરી એક વખત રાજકીય ભૂકંપ લાવ્યો છે. સેબીએ જૂનમાં મોકલેલી નોટિસના જવાબમાં અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી કેસમાં કાર્યવાહી ન કરવા બદલ સેબીના વડા માધવી પુરી બુચને નિશાન બનાવ્યા હતા. આ રિપોર્ટ પછી કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સેબીના વડા પર સવાલો ઉઠાવ્યા હતા અને એમ પણ પૂછ્યું હતું કે સેબીના વડા માધવી પુરી બુચે હજી સુધી તેમના પદ પરથી રાજીનામું કેમ આપ્યું નથી?

સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સુરતમાં તિરંગા યાત્રામાં જોડાયા

કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.

ગોલ્ડ મેડલ મળવા જેટલું જ વિનેશને સન્માન મળવું જોઈએ - ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

પાણીપત : વિનેશ ફોગાટની અપીલ પર CAS દ્વારા સમય વધારવા પરહરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે જે પણ નિર્ણય આવે, હરિયાણા સરકાર પાસે અમારી માંગ છે કે ગોલ્ડ મેડલ મળવા જેટલું જ તેને સન્માન મળવું જોઈએ.

હરિદ્વારમાં ગંગા નદી ચેતવણીના નિશાનથી ઉપર વહી રહી છે

ઉત્તરાખંડઃ હરિદ્વારમાં ગંગા નદી ચેતવણીના નિશાનથી ઉપર વહી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

શેખ હસીનાએ પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું

બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઉથલપાથલ અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યાના થોડા દિવસ બાદ શેખ હસીનાએ મોટો ખુલાસો કર્યો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને ન સોંપવાના કારણે તેમને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ બંગાળની ખાડીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શક્યા હોત. તેમણે બાંગ્લાદેશી નાગરિકોને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે નહીં દોરાવવાની અપીલ કરી હતી. શેખ હસીના હાલ ભારતમાં છે.

શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલેનો ફોન અને વોટ્સએપ હેક, સોશિયલ મીડિયા X પર જાણકારી આપી

શરદ પવારના પુત્રી અને એનસીપી નેતા સુપ્રીયા સુલેનો મોબાઇલ ફોન અને વોટ્સએપ એકાઉન્ટ હેક થયા છે. સુપ્રીયા સુલેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ પર આ જાણકારી આપી છે.

હરિયાણા, ગુરુગ્રામમાં ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાાં પાણી ભરાયા

હરિયાણા, ગુરુગ્રામ સહિત ઉત્તર ભારતમાં ઘણા સ્થળે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

પેરિસ ઓલિમપિકમાં મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના ખેલાડીનું અમૃતરસમાં શાનદાર સ્વાગત

પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમના ખેલાડી અમૃતસર પહોંચ્યા છે. જ્યાં તેમના પરિવાર, ફેન્સ અને નેતાઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ, કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઓજલા અને ઘણા લોકો ઉપસ્થિત હતા.

ગુજરાત: સરદાર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદી કિનારના ગામડાઓને એલર્ટ

ગુજરાતના સરદાર સરોવર ડેમના 5 દરવાજા આજે સવારે ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 1લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાવચેતી હેતુ નર્મદા નદીના કિનારે આવેલા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ