/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/rahul-gandhi-1.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Express file photo by Partha Paul)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 June 2024 Highlight, આજના તાજા સમાચાર: મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણ થયા અને મંત્રીઓને પોત પોતાના મંત્રાલયોની ફાળવણી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ ગઠબંધન સરકાર કેવા નિર્ણયો કરે છે એ જોવાનું રહ્યું ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે સંસદમાં વિરોધી નહીં પરંતુ વિપક્ષ કહેવું. રાજકારણથી લઈને રમત જગત સુધીના તમામ સમાચાર અહીં વાંચો.
પ્રિયંકા ગાંધી વારાણસીથી લડ્યા હોત તો પીએમ મોદી 2-3 લાખ વોટથી હારી જાત - રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાયબરેલીમાં ધન્યવાદ યાત્રાને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ અયોધ્યાની સીટ હારી ગઈ. રામ મંદિરનું નિર્માણ થયું, જેના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે એક ગરીબ માણસ જોયો નહીં હોય. જવાબ અયોધ્યાની જનતાએ પણ આપી દીધો છે. માત્ર અયોધ્યામાં જ નહીં, વારાણસીમાં પણ વડાપ્રધાન જીવ બચાવીને નીકળ્યા છે. જો મારી બહેન (પ્રિયંકા ગાંધી) વારાણસીથી લડ્યા હોત તો આજે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી 2-3 લાખ મતોથી ચૂંટણી હારી જાત.
મોહન માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે, બુધવારે સીએમ તરીકે શપથ લેશે
ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોહન માંઝીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. મોહન માંઝી બુધવારે સીએમ તરીકે શપથ લેશે. તેમની સાથે કેવી સિંહ દેવ અને પ્રવતિ પરિદા પણ શપથ લેશે. આ બંને રાજ્યના ડેપ્યુટી સીએમ હશે. ઓડિશામાં ભાજપ પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. મોહન ચરણ માંઝી ઓડિશાની Keonjhar વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ સીટ પર બીજુ જનતા દળના મીના માંઝીને હરાવ્યા હતા.
સંગીત સોમે કહ્યું - આરએલડી સાથે ગઠબંધનથી કોઈ ફાયદો થયો નથી, જે સીટો જીતી રહ્યા હતા તે પણ હારી ગયા
લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 80માંથી માત્ર 33 બેઠકો જ જીતી શકી હતી. પૂર્વાંચલની જેમ પશ્ચિમ યુપીમાં પણ ભાજપને મોટું નુકસાન થયું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના બે મોટા દિગ્ગજ નેતાઓ વચ્ચે શીત યુદ્ધ ચાલુ છે. મુઝફ્ફરનગર લોકસભા સીટથી ચૂંટણી હાર્યા બાદ ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું કે સંગીત સોમે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. હવે સંગીત સોમે બાલિયાનના આરોપોનો જવાબ આપ્યો છે.
સંગીત સોમે કહ્યું કે સંજીવ બાલિયાન 5 વર્ષમાં ભ્રષ્ટાચારના કારણે હારી ગયા છે. લોકો નારાજ હતા તેથી તેઓ ચૂંટણી હારી ગયા હતા. સંગીત સોમે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન કરવાનો કોઈ ફાયદો નથી. આરએલડી પોતાની બેઠકો જીતવામાં સફળ રહી હતી. જે બેઠકો આપણે આપણા દમ પર જીતી શકતા હતા તે પણ પાર્ટી હારી ગઈ હતી.
રેણુકા સ્વામી હત્યા કેસમાં કન્નડ ફિલ્મ સ્ટાર દર્શન થૂગુદીપાની ધરપકડ
કર્ણાટકમાં નજીવી લાગતી હત્યાના રહસ્યની ગરમી કન્નડ ફિલ્મ સ્ટાર દર્શન થૂગુદીપા અને અભિનેત્રી પવિત્રા ગૌડા સુધી પહોંચી છે. દર્શનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પવિત્રાની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસ કમિશ્નર બી દયાનંદના જણાવ્યા અનુસાર રેણુકા સ્વામી નામની વ્યક્તિની હત્યાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ફાર્મસી કંપનીમાં કામ કરતા અને ચિત્રદુર્ગ જિલ્લાના મુખ્ય મથકના રહેવાસી સ્વામીની કથિત હત્યા બાદ તેમના મૃતદેહને કામક્ષીપાલ્યમાં એક નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
RSS ચીફ મોહન ભાગવતે શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સોમવારે નાગપુરમાં સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન કાર્યક્રમને સંબોધિત કર્યું. આ દરમિયાન ભાગવતે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી, રાજનીતિ અને રાજકીય પક્ષોના વલણ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આરએસએસ ચીફે કહ્યું, "આ દેશના લોકો ભાઈઓ છે, આપણે આ હકીકતને આપણા વિચારો અને આપણા કાર્યોમાં લાવવી પડશે." ભાગવતે સંસદમાં સરકારના વિરોધીઓને વિપક્ષ કહેવાની અપીલ કરી હતી.
- Jun 11, 2024 23:28 IST
અમિત શાહ અને જેપી નડ્ડાએ ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી
આંધ્ર પ્રદેશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બુધવારે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
#WATCH विजयवाड़ा, आंध्र प्रदेश: केंद्रीय गृह मंत्री अमित शाह व केंद्रीय स्वास्थ्य मंत्री जे.पी. नड्डा ने TDP प्रमुख चंद्रबाबू नायडू से उनके आवास पर मुलाकात की।
कल वे TDP प्रमुख चंद्रबाबू नायडू के शपथ ग्रहण समारोह में शामिल होंगे। pic.twitter.com/vh3QeuDOAm— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
- Jun 11, 2024 21:11 IST
ઉત્તર પ્રદેશ: નોઈડામાં એક હાઉસિંગ સોસાયટીની બાઉન્ડ્રી વોલ સાથે બસ અથડાઈ, એકનું મોત
ઉત્તર પ્રદેશ: નોઈડા સેક્ટર 118માં એક હાઉસિંગ સોસાયટીની બાઉન્ડ્રી વોલ સાથે બસ અથડાઈ હતી. નોઇડાના ડીસીપી વિદ્યા સાગર મિશ્રાએ જણાવ્યું હતું કે સેક્ટર 118માં શ્રીરામ એપાર્ટમેન્ટ પાસે એક અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે. એક પ્રવાસી બસ કાબૂ બહાર ગઈ હતી જેના કારણે તે બાઉન્ડ્રી તોડીને અંદર આવી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
#WATCH उत्तर प्रदेश: नोएडा सेक्टर 118 में एक बस एक हाउसिंग सोसाइटी की बाउंड्री वॉल से टकराई।
नोएडा DCP विद्या सागर मिश्रा ने बताया, "सेक्टर 118 में श्रीराम अपार्टमेंट के पास एक सड़क हादसा हुआ है जिसमें एक व्यक्ति की मृत्यु हुई है और एक व्यक्ति का इलाज चल रहा है। एक टूरिस्ट बस… pic.twitter.com/fePAAuO4X9— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
- Jun 11, 2024 19:37 IST
પ્રિયંકા ગાંધી વારાણસીથી લડ્યા હોત તો પીએમ મોદી 2-3 લાખ વોટથી હારી જાત - રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાયબરેલીમાં ધન્યવાદ યાત્રાને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ અયોધ્યાની સીટ હારી ગઈ. રામ મંદિરનું નિર્માણ થયું, જેના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે એક ગરીબ માણસ જોયો નહીં હોય. જવાબ અયોધ્યાની જનતાએ પણ આપી દીધો છે. માત્ર અયોધ્યામાં જ નહીં, વારાણસીમાં પણ વડાપ્રધાન જીવ બચાવીને નીકળ્યા છે. જો મારી બહેન (પ્રિયંકા ગાંધી) વારાણસીથી લડ્યા હોત તો આજે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી 2-3 લાખ મતોથી ચૂંટણી હારી જાત.
#WATCH रायबरेली, उत्तर प्रदेश: कांग्रेस सांसद राहुल गांधी ने धन्यवाद यात्रा को संबोधित करते हुए कहा, "(भाजपा)अयोध्या की सीट हार गए। राम मंदिर बनाया, जिसकी प्राण-प्रतिष्ठा में एक गरीब आदमी आपने नहीं देखा होगा... जवाब अयोध्या की जनता ने भी दिया है। न केवल अयोध्या, वाराणसी में भी… pic.twitter.com/bxxB3ZYoit
— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
- Jun 11, 2024 18:13 IST
મોહન માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે, બુધવારે સીએમ તરીકે શપથ લેશે
ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોહન માંઝીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. મોહન માંઝી બુધવારે સીએમ તરીકે શપથ લેશે. તેમની સાથે કેવી સિંહ દેવ અને પ્રવતિ પરિદા પણ શપથ લેશે. આ બંને રાજ્યના ડેપ્યુટી સીએમ હશે. ઓડિશામાં ભાજપ પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. મોહન ચરણ માંઝી ઓડિશાની Keonjhar વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ સીટ પર બીજુ જનતા દળના મીના માંઝીને હરાવ્યા હતા.
#WATCH भुवनेश्वर: भाजपा विधायक मोहन चरण माझी ओडिशा के नए मुख्यमंत्री होंगे। कनक वर्धन सिंह देव और प्रवती परिदा उपमुख्यमंत्री होंगे। pic.twitter.com/QP5e1Ibvio
— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
- Jun 11, 2024 17:40 IST
સંગીત સોમે કહ્યું - આરએલડી સાથે ગઠબંધનથી કોઈ ફાયદો થયો નથી, જે સીટો જીતી રહ્યા હતા તે પણ હારી ગયા
લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 80માંથી માત્ર 33 બેઠકો જ જીતી શકી હતી. પૂર્વાંચલની જેમ પશ્ચિમ યુપીમાં પણ ભાજપને મોટું નુકસાન થયું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના બે મોટા દિગ્ગજ નેતાઓ વચ્ચે શીત યુદ્ધ ચાલુ છે. મુઝફ્ફરનગર લોકસભા સીટથી ચૂંટણી હાર્યા બાદ ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું કે સંગીત સોમે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. હવે સંગીત સોમે બાલિયાનના આરોપોનો જવાબ આપ્યો છે.
સંગીત સોમે કહ્યું કે સંજીવ બાલિયાન 5 વર્ષમાં ભ્રષ્ટાચારના કારણે હારી ગયા છે. લોકો નારાજ હતા તેથી તેઓ ચૂંટણી હારી ગયા હતા. સંગીત સોમે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન કરવાનો કોઈ ફાયદો નથી. આરએલડી પોતાની બેઠકો જીતવામાં સફળ રહી હતી. જે બેઠકો આપણે આપણા દમ પર જીતી શકતા હતા તે પણ પાર્ટી હારી ગઈ હતી.
- Jun 11, 2024 17:19 IST
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રાયબરેલી પહોંચ્યા
#WATCH उत्तर प्रदेश: कांग्रेस सांसद राहुल गांधी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा रायबरेली पहुंचे। pic.twitter.com/6FADHGhhIa
— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
- Jun 11, 2024 16:06 IST
રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા ભુવનેશ્વર પહોંચ્યા
ઓડિશા: કેન્દ્રીય મંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા ભુવનેશ્વર પહોંચ્યા.
#WATCH ओडिशा: केंद्रीय मंत्री और भाजपा केंद्रीय पर्यवेक्षक राजनाथ सिंह और भूपेंद्र यादव विधायक दल का नेता चुनने के लिए भुवनेश्वर पहुंचे। pic.twitter.com/e93Dmg38m4
— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
- Jun 11, 2024 14:58 IST
રેણુકા સ્વામી હત્યા કેસમાં કન્નડ ફિલ્મ સ્ટાર દર્શન થૂગુદીપાની ધરપકડ
કર્ણાટકમાં નજીવી લાગતી હત્યાના રહસ્યની ગરમી કન્નડ ફિલ્મ સ્ટાર દર્શન થૂગુદીપા અને અભિનેત્રી પવિત્રા ગૌડા સુધી પહોંચી છે. દર્શનની ધરપકડ કરવામાં આવી છે
- Jun 11, 2024 12:57 IST
સુપ્રીમ કોર્ટે NEET UG 2024 અંગે NTAને નોટિસ જારી કરી
સુનાવણી કરતી વખતે કોર્ટે સ્વીકાર્યું કે NEET UG પરીક્ષાના પરિણામ પર ચોક્કસપણે અસર થઈ છે અને NTAએ પણ આ અંગે જવાબ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલે NTA અને સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી 8મી જુલાઈના રોજ નક્કી કરી છે.
- Jun 11, 2024 12:44 IST
અમૃતપાલ સિંહના માતા-પિતા આજે જામીન માટે અરજી કરશે
નજાબની ખદુર સાહિબ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતેલા ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ કામચલાઉ મુક્તિ માટે આગળ વધ્યા છે. તેના વકીલે કહ્યું કે પેરોલની માંગણી કરતી અરજી તેના માતા-પિતા મંગળવારે અમૃતસરના ડેપ્યુટી કમિશનરને રજૂ કરશે.
- Jun 11, 2024 10:03 IST
માલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન ગુમ
આફ્રિકન દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું આર્મી પ્લેન ગુમ થઈ ગયું છે. આ ઘટના સોમવારે બની હતી. પ્લેનનો રડાર સંપર્ક તૂટી ગયો છે. સુરક્ષા એજન્સીઓ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
- Jun 11, 2024 09:50 IST
સુરક્ષા પરિષદે અમેરિકાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. હમાસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ત્રણ તબક્કાના યુદ્ધવિરામ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે.
- Jun 11, 2024 08:40 IST
હું સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઇશ: કૉંગ્રેસના MLAને ધમકી
અમદાવાદના જમાલપૂરના કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ઘરની બાજુમાં ઓફિસ ધરાવતા યુવકે મકાન બનાવવાની બાબતે ખેડાવાલાની ભત્રીજી સાથે બોલચાલી કરીને કહ્યું હતું કે, હું સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઇશ... આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- Jun 11, 2024 07:57 IST
આજે મંગળવારનો દિવસ કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
આજે 11 જૂન 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ
- Jun 11, 2024 07:55 IST
RSS ચીફ મોહન ભાગવતે શું કહ્યું?
આરએસએસ ચીફે કહ્યું, "આ દેશના લોકો ભાઈઓ છે, આપણે આ હકીકતને આપણા વિચારો અને આપણા કાર્યોમાં લાવવી પડશે." ભાગવતે સંસદમાં સરકારના વિરોધીઓને વિપક્ષ કહેવાની અપીલ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us