Gujarati News 11 March 2024 Highlight : પીએમ મોદી મંગળવારે 12 માર્ચે ગુજરાતની મુલાકાત આવશે

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 March 2024: આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

Written by Ankit Patel
Updated : March 11, 2024 23:54 IST
Gujarati News 11 March 2024 Highlight :  પીએમ મોદી મંગળવારે 12 માર્ચે ગુજરાતની મુલાકાત આવશે
પીએમ મોદી - photo - x @bjp4india

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 March 2024 Highlight, આજના તાજા સમાચાર : આજે 11 માર્ચ 2024, સોમવાર છે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આશરે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. બીજી તરફ આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

અહીં વાંચો આજના તાજા સમાચાર

CAA નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પછી આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવશે. સીએએને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે.

ધો.10નું પહેલું ગુજરાતી પેપર પુરુ

ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પહેલું પેપર ગુજરાતી વિષયનું હતું. ગુજરાતી વિષયનું આ પેપર લાંબુ પૂછાયું હતું અને અઘરું વ્યાકરણથી વિદ્યાર્થીઓ મુંઝાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે એકંદરે ગુજરાતી પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓ માની રહ્યા છે.

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી દીધી છે અને 12 માર્ચ સુધીમાં વિગતો આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ECને આ વિગતો 15 માર્ચ સુધીમાં જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે SBI પર મોટી ટિપ્પણી કરી છે. CJIએ કહ્યું કે અમે તમને ડેટા મેચ કરવા માટે નથી કહ્યું, તમે આદેશનું પાલન કરો. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તમારે ફક્ત સીલબંધ કવરમાંથી ડેટા કાઢીને મોકલવો પડશે.

CJI એ પણ SBI ને પૂછ્યું કે તમે છેલ્લા 26 દિવસમાં શું કામ કર્યું, તમારો કેટલો ડેટા મેચ થયો. મેચિંગ માટે સમય માંગવો યોગ્ય નથી. અમે તમને આમ કરવાની સૂચના આપી નથી. આખરે તમામ વિગતો મુંબઈની મુખ્ય શાખાને મોકલી દેવામાં આવી છે. તમે અરજીમાં કહ્યું છે કે એક સિલોથી બીજામાં માહિતી મેળવવી એ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.

Live Updates

બીજેપીની સીઈસી બેઠક પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી હેડક્વાર્ટરથી રવાના થયા

દિલ્હીમાં બીજેપીની સીઈસી બેઠક પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી હેડક્વાર્ટરથી રવાના થયા.

ચૂંટણી પહેલા ધ્યાન હટાવવા માટે આ જાહેરાત કરવામાં આવી - કે.સી. વેણુગોપાલ

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના જારી કરવા પર કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે આટલો વિલંબ શા માટે? જો સરકાર પાસે આ મુદ્દે સહેજ પણ ગંભીરતા હોત તો તેઓ ચાર વર્ષ પહેલા આ આદેશ આપી શક્યા હોત. ચૂંટણી પહેલા ધ્યાન હટાવવા માટે આ જાહેરાત કરવામાં આવી છે.

સીએએ પર સુવેન્દુ અધિકારીએ કહ્યું - પશ્ચિમ બંગાળમાં હિન્દુ શરણાર્થીઓ ખૂબ જ ખુશ છે

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ની સૂચના જારી કરવા પર પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિન્દુ શરણાર્થીઓ ખૂબ જ ખુશ છે. આ કોઈની નાગરિકતા છીનવી લેવા માટે કાયદો નથી. મમતા બેનર્જીએ ભ્રમ પેદા કરવાનો ઘણો પ્રયાસ કર્યો છે, આ કાયદો એકદમ સ્પષ્ટ છે. આ નાગરિકતા આપવાનો કાયદો છે, કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી.

દિલ્હીમાં બીજેપી સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠક શરૂ

બીજેપી સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠક દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં ચાલી રહી છે.

CAAની નોટિફિકેશન પર ઋષિકેશ પટેલે કહ્યું - ખૂબ જ આનંદ અને ખુશીની વાત છે

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ની સૂચના જારી કરવા પર ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ખૂબ જ આનંદ અને ખુશીની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધુ એક ગેરંટી પૂરી થઈ છે. વડાપ્રધાન મોદી 370, રામ મંદિર અને CAA જેવી ગેરંટી પૂરી કરીને દેશને એક નવા સ્તરે લઈ જઈ રહ્યા છે.

સાંસદ સંજય રાઉતે કહ્યું - આ તેમની (BJP) છેલ્લી રમત છે

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ની સૂચના જારી કરવા પર શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ તેમની (BJP) છેલ્લી રમત છે. ચાલવા દો, તેને લાગુ થવા દો. તેઓ ખેલ કરતા રહે છે. જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી તેઓ CAA-CAA રમશે, તેમને રમવા દો.

દેશભરમાં CAA લાગુ, કેન્દ્ર સરકારે સીએએ નોટિફિકેશન જાહેર કર્યું

આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પછી આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવશે. સીએએને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે.

મિશન દિવ્યાસ્ત્ર માટે પીએમ નરેન્દ્ર મોદીએ DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

મિશન દિવ્યાસ્ત્ર માટે પીએમ નરેન્દ્ર મોદીએ DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલના પ્રથમ ઉડાન પરિક્ષણ મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે.

આજથી દેશમાં લાગુ થઈ શકે છે સીએએ, મોદી સરકાર જાહેર કરશે નોટિફિકેશન

આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રોના મતે તો સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ પછી આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવશે. હકીકતમાં સીએએને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં સીએએ લાગુ કરવા જઈ રહી છે.

જંગી બહુમતી મેળવીને ભાજપનો ઇરાદો બંધારણ બદલવાનો છે - મલ્લિકાર્જુન ખડગે

જંગી બહુમતી મેળવીને, તેમનો (ભાજપ) ઇરાદો બંધારણ બદલવાનો છે. દેશને આઝાદ કરાવવામાં તેમનું કોઈ યોગદાન નથી. તેમણે ત્રિરંગાનો પણ વિરોધ કર્યો હતો. આજે પણ RSS પોતાનો ભગવો ધ્વજ ફરકાવે છે, રાષ્ટ્રધ્વજને એટલું મહત્વ આપતું નથી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

ઉત્તર પ્રદેશમાં ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, હાઈટેન્શન વાયરના ચપેટમાં આવતા બસમાં લાગી આગ, 5 લોકો ના મોત

ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 11 હજાર વોલ્ટના હાઈ ટેન્શન વાયરને અડક્યા બાદ આગ લાગી હતી. આગ લાગતાં જ બસ બળીને ખાખ થઇ ગઇ હતી. આ આગની ઝપેટમાં અનેક મુસાફરો આવી ગયા હતા. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

PM મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. દેશમાં આ પ્રકારનો પહેલો એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે જે લગભગ 9 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. PMએ હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોપ પ્લાઝા નજીકથી દિલ્હીના મહિપાલપુર તરફ આવતા દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું.

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પહેલું ગુજરાતીનું પેપર પૂર્ણ

આજથી શરુ થયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 માટે પહેલું પેપર ગુજરાતીનું હતું. વિદ્યાર્થીઓના મત પ્રમાણે ગુજરાતીનું પેપર એકંદરે સરળ હતું લખવાની મજા પડી જાય એવું. પરંતુ વ્યાકરણ થોડું અઘરું પૂછાયું હતું.

BTP નેતા મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે સી.આર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા છે.

પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બદલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના કરતા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક અમેરિકન રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2022 માં રશિયા-યુક્રેન સંઘર્ષ ફાટી નીકળ્યા પછી, અમેરિકાએ કિવ સામે મોસ્કો દ્વારા સંભવિત પરમાણુ હુમલાનો સામનો કરવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CNNએ બે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના સમજાવટથી પણ આ સંકટને દૂર કરવામાં મદદ મળી.

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી દીધી છે અને 12 માર્ચ સુધીમાં વિગતો આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ECને આ વિગતો 15 માર્ચ સુધીમાં જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

PM મોદી આવતીકાલે 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રૂ. 85,000 કરોડથી વધુની કિંમતના અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, આ તમામ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તેમની અમદાવાદ, ગુજરાતની મુલાકાત દરમિયાન કરવામાં આવશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી 10 નવા વંદે ભારતને પણ ફ્લેગ ઓફ કરશે.

ફુલ અને મોંઢુ મીઠું કરાવી વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત

ગુજરાત ભરમાં ચાલું થયેલી બોર્ડની પરીક્ષામાં કેન્દ્રો પર અધિકારીઓ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફૂલો અને મોંઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 981 કેન્દ્રો પર ધો.10ની પરીક્ષા શરુ

આજે સોમવારે સવારે 10 વાગ્યાથી ગુજરાતના 84 ઝોનના 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા શરુ થઈ ગઈ છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

11થી 17 માર્ચનું સાપ્તાહિક રાશિફળ

Lazy Load Placeholder Image

11 માર્ચથી 17 માર્ચ સુધીનું સપ્તાહ તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક

આજે સોમવારે કોંગ્રેસ રાષ્ટ્રીય રાજધાનીમાં પોતાના હેડક્વોર્ટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજશે. જેમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો પસંદ કરીને ઉમેદવારોની યાદી જાહેર કરશે.

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજથી શરુ થનારી ગુજરાત બોર્ડની પરીક્ષામાં હાજર રહેનાર વિદ્યાથીઓને સારા દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી છે.

ચૂંટણી કમિશ્નરોની નિમણૂક બાદ થશે ચૂંટણી તારીખની જાહેરાત

ચૂંટણી કમિશ્નર તરીકે અરુણ ગોયલના રાજીનામા બાદ આ જગ્યા ખાલી પડી છે જ્યારે આગામી દિવસોમાં આ જગ્યા પર નવા ચૂંટણી કમિશ્નરની નિમણૂક કર્યા બાદ લોકસભા ચૂંટણી તારીખો જાહેર કરાય તેવી શક્યતાઓ છે.

15 માર્ચે બે ચૂંટણી કમિશનરની નિમણૂક થવાની શક્યતા

15 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને ચૂંટણી કમિશનર (EC) તરીકે અરુણ ગોયલના રાજીનામાથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે આ એક પગલું છે.

ગુજરાત બોર્ડ પરીક્ષા : હેલ્પલાઇન નંબર

  • બોર્ડ હેલ્પલાઇન- 1800-233-5500
  • જીવન આસ્થા હેલ્પલાઈન – 1800-233-3330
  • સ્ટેટ કંટ્રોલ નંબર- 9909036768
  • DEO અમદાવાદ- 9909922648
  • DEO અમદાવાદ ગ્રામ્ય – 9909970202
  • ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા 21 માર્ચ અને ધો.12ની 26 માર્ચ સુધી ચાલશે

    ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આજે એટલે કે 11 માર્ચ 2024ના રોજથી શરુ થઈ છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે.

    ઇસરોના સમુદ્રયાન મિશને પાસ કર્યા ટેસ્ટ

    Lazy Load Placeholder Image

    ઇસરો દ્વારા બંગાળની ખાટીમાં સમુદ્રયાન મિશન પર કેટલાક પરીક્ષણો કર્યા હતા જેને સફળતા પુર્વક પાસ કરવામાં સમુદ્રયાન સફળ રહ્યું હતું. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર

    બસ્તરમાં નક્સલવાદીઓના ખતરાના પગલે 43 ભાજપ નેતાઓની સુરક્ષા વધારાઈ

    લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢમાં ભાજપના નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે નેતાઓના જીવને નક્સલવાદીઓથી જોખમ છે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. છત્તીસગઢની ભાજપ સરકારે બસ્તર ક્ષેત્રના 43 બીજેપી નેતાઓની સુરક્ષા વધારી દીધી છે.

    આ વર્ષે બે લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    ગયા વર્ષની બોર્ડની પરીક્ષા અંગે વાત કરીએ તો ગયા વર્ષે 2023માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આ વર્ષે 2024માં ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે.

    ગુજરાતમાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા આજથી શરુ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરુ થઈ રહી છે. ગુજરાત રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ