/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Calcutta-High-Court.jpg)
કલકત્તા હાઈકોર્ટ(ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 August 2024 Highlights, આજના તાજા સમાચાર: કલકત્તા હાઈકોર્ટે મંગળવારે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રેપ-મર્ડર કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે તમામ દસ્તાવેજો તાત્કાલિક સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનમની અધ્યક્ષતાવાળી બેંચે ટ્રેઇની ડોક્ટરના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ કેસની સીબીઆઈ તપાસ માટે અન્ય ઘણી અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.
દેશ છોડ્યા પછી પણ શેખ હસીનાની મુસીબતો ઓછી નથી થઈ રહી, હત્યાનો કેસ નોંધાયો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે પરંતુ તેમની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન શેખ હસીના વિરુદ્ધ કરિયાણાની દુકાનદારની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 19 જુલાઈના રોજ ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ગોળીબાર કર્યો હતો અને આ ફાયરિંગમાં મોહમ્મદપુર કરિયાણાની દુકાનના માલિક અબુ સઈદનું મોત થયું હતું. આ કેસમાં માત્ર શેખ હસીના જ નહીં પરંતુ તેમની પાર્ટીના મહત્વના નેતાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
સુપ્રીમ કોર્ટે મંગળવારે (13 ઓગસ્ટ 2024) યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલી રહેલા અવમાનના કેસને બંધ કરી દીધો. રામદેવ અને બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટ તરફથી લેખિત માફી બાદ આ રાહત મળી છે. આ માફીપત્રમાં કહેવામાં આવ્યું હતું કે હવેથી પતંજલિના ઉત્પાદનોને લઈને ભ્રામક દાવાઓ અને ભ્રામક જાહેરાતો આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ ભ્રામક જાહેરાત કેસમાં પતંજલિ આયુર્વેદ લિમિટેડ, યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કરી મહત્વની જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના અને આનંદના સમાચાર આપ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે કર્મચારીઓને રજા પ્રવાસ કે વતન પ્રવાસ માટે દર ચાર વર્ષે LTC નો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. જે અંતર્ગત, વંદે ભારત ટ્રેનની મુસાફરીને પણ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.
- Aug 13, 2024 23:38 IST
વિનેશ ફોગાટના મેડલ મામલે મહાવીર ફોગટે કહ્યું - અમને તારીખ પર તારીખ મળી રહી છે
ચરખી દાદરી, હરિયાણા: કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ની સુનાવણીના નિર્ણય પર વિનેશ ફોગટના તાઉ મહાવીર ફોગટે કહ્યું કે અમે છેલ્લા 5-6 દિવસથી નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. અમે પરિણામની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અમને તારીખ પર તારીખ મળી રહી છે. અમને આશા છે કે આ અમારા પક્ષમાં આવશે.
#WATCH चरखी दादरी, हरियाणा: कोर्ट ऑफ आर्बिट्रेशन फॉर स्पोर्ट्स (CAS) की सुनवाई के फैसले पर विनेश फोगाट के ताऊ महावीर फोगाट ने कहा, "हम पिछले 5-6 दिनों से फैसले का इंतजार कर रहे थे। हमें नतीजे का इंतजार था लेकिन हमें तारीख पर तारीख मिल रही है, हमें उम्मीद है कि यह हमारे पक्ष में… pic.twitter.com/9jo173AY8G
— ANI_HindiNews (@AHindinews) August 13, 2024
- Aug 13, 2024 22:37 IST
અદાણી-હિંડનબર્ગ વિવાદ: કોંગ્રેસ 22 ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
હિંડેનબર્ગનો નવો રિપોર્ટ આવ્યા બાદ વિરોધ પક્ષો સેબી ચીફ માધવી પુરી બુચના રાજીનામાની અને અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મામલામાં જેપીસીની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ 22મીએ આ મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારે આની જાહેરાત કરી છે. એઆઈસીસીના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે 22 ઓગસ્ટે દરેક રાજ્યની રાજધાનીમાં ઈડીની ઓફિસ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક કાર્યાલયનો ઘેરાવ કરશે.
- Aug 13, 2024 21:45 IST
વિનેશ ફોગાટને મેડલના કેસમાં હજુ રાહ જોવી પડશે, હવે 16 ઓગસ્ટે નિર્ણય જાહેર થશે
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટના કેસમાં નિર્ણય આવવાનો બાકી છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) મંગળવારે (13 ઓગસ્ટ) તેના નિર્ણયની જાહેરાત કરવાની હતી. પરંતુ હવે તેને ટાળી દેવામાં આવ્યો છે. હવે કોર્ટનો નિર્ણય 16 ઓગસ્ટે આવશે. હવે 16 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં.
- Aug 13, 2024 20:35 IST
જમ્મુ કાશ્મીર: ચિનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર તિરંગા રેલી યોજાઇ
રિયાસી, જમ્મુ કાશ્મીર: સ્વતંત્રતા દિવસ પહેલા ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 750 મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી.
#WATCH रियासी, जम्मू-कश्मीर: स्वतंत्रता दिवस से पहले चिनाब नदी पर बने दुनिया के सबसे ऊंचे रेलवे पुल पर 750 मीटर लंबे तिरंगे के साथ तिरंगा रैली निकाली गई। pic.twitter.com/9TbjE78KVd
— ANI_HindiNews (@AHindinews) August 13, 2024
- Aug 13, 2024 18:56 IST
આસારામને રાજસ્થાન હાઇકોર્ટમાંથી મળી રાહત, 11 વર્ષ પછી 7 દિવસની પેરોલ મળી
બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે સારવાર માટે સાત દિવસની પેરોલ આપી છે. 85 વર્ષીય આસારામ પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. આસારામને લગભગ 11 વર્ષ બાદ પેરોલ મળ્યા છે. આસારામ છેલ્લા ચાર દિવસથી જોધપુર એમ્સમાં દાખલ છે.
થોડા દિવસો પહેલા આસારામની તબિયત બગડી હતી અને તેમણે કહ્યું હતું કે તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. આ પછી જેલ પ્રશાસને ફરિયાદની નોંધ લીધી અને જોધપુર એમ્સમાં દાખલ કર્યા હતા. તેમને AIIMSમાં દાખલ કરતા પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેઓ 10 ઓગસ્ટથી જોધપુર AIIMSમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આસારામ અહીં સારવાર માટે આવ્યા છે તેવી જાણ થતા જ તેમના સમર્થકો હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા હતા.
- Aug 13, 2024 17:46 IST
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં હર ઘર તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હર ઘર તિરંગા રેલીમાં ભાગ લીધો.
#WATCH गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह और गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने अहमदाबाद में 'हर घर तिरंगा' रैली में हिस्सा लिया। pic.twitter.com/8xPAzwe8zJ
— ANI_HindiNews (@AHindinews) August 13, 2024
- Aug 13, 2024 16:26 IST
મમતા બેનર્જી સરકારને મોટો ફટકો, હાઇકોર્ટે કોલકાતા રેપ કેસ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો
કલકત્તા હાઈકોર્ટે મંગળવારે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રેપ-મર્ડર કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે તમામ દસ્તાવેજો તાત્કાલિક સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનમની અધ્યક્ષતાવાળી બેંચે ટ્રેઇની ડોક્ટરના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ કેસની સીબીઆઈ તપાસ માટે અન્ય ઘણી અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.
- Aug 13, 2024 15:14 IST
દેશ છોડ્યા પછી પણ શેખ હસીનાની મુસીબતો ઓછી નથી થઈ રહી, હત્યાનો કેસ નોંધાયો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે પરંતુ તેમની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન શેખ હસીના વિરુદ્ધ કરિયાણાની દુકાનદારની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 19 જુલાઈના રોજ ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ગોળીબાર કર્યો હતો અને આ ફાયરિંગમાં મોહમ્મદપુર કરિયાણાની દુકાનના માલિક અબુ સઈદનું મોત થયું હતું. આ કેસમાં માત્ર શેખ હસીના જ નહીં પરંતુ તેમની પાર્ટીના મહત્વના નેતાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
- Aug 13, 2024 13:37 IST
આતિશી 15 ઓગસ્ટે તિરંગો ફરકાવી શકશે નહીં, GADએ કેજરીવાલનો પ્રસ્તાવ નકારી કાઢ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પ્રસ્તાવ જ્યાં તેમણે કહ્યું હતું કે મંત્રી આતિષી 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવશે તેને ફગાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં, સીએમ કેજરીવાલના પ્રસ્તાવને GAD દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. થોડા દિવસો પહેલા જેલ કેજરીવાલે એક પત્ર જારી કર્યો હતો જેમાં લખ્યું હતું કે 15 ઓગસ્ટે માત્ર આતિષીને જ તિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવે.
એવું કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ઇચ્છતા ન હતા કે એલજી વીકે સક્સેના તેમની ગેરહાજરીમાં ધ્વજ ફરકાવે, તેથી તેમણે આ જવાબદારી પોતાના જ એક મંત્રીને આપી. પરંતુ તેમને મોટો આંચકો લાગ્યો છે કારણ કે તેમની માંગ સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે દર વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ધ્વજ ફરકાવે છે. પરંતુ આ વખતે તે જેલમાં હોવાથી તેણે આતિશીને જવાબદારી સોંપી હતી, પરંતુ તે પ્રસ્તાવ સ્વીકારાયો ન હતો.
- Aug 13, 2024 12:11 IST
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
સુપ્રીમ કોર્ટે મંગળવારે (13 ઓગસ્ટ 2024) યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલી રહેલા અવમાનના કેસને બંધ કરી દીધો. રામદેવ અને બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટ તરફથી લેખિત માફી બાદ આ રાહત મળી છે. આ માફીપત્રમાં કહેવામાં આવ્યું હતું કે હવેથી પતંજલિના ઉત્પાદનોને લઈને ભ્રામક દાવાઓ અને ભ્રામક જાહેરાતો આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ ભ્રામક જાહેરાત કેસમાં પતંજલિ આયુર્વેદ લિમિટેડ, યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
- Aug 13, 2024 10:29 IST
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદની વાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના અને આનંદના સમાચાર આપ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે કર્મચારીઓને રજા પ્રવાસ કે વતન પ્રવાસ માટે દર ચાર વર્ષે LTC નો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. જે અંતર્ગત, વંદે ભારત ટ્રેનની મુસાફરીને પણ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.
https://twitter.com/Bhupendrapbjp/status/1823201678847361035
- Aug 13, 2024 09:27 IST
રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યા
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યા છે. આ વખતે તેમને ફર્લો મળી ગયો છે. તે 21 દિવસ જેલની બહાર રહેશે. મંગળવારે સવારે રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યો હતો. મળતી માહિતી મુજબ રામ રહીમનો કાફલો બરનવા આશ્રમ માટે રવાના થઈ ગયો છે. રામ રહીમ ફર્લોનો સમયગાળો બાગપતમાં વિતાવશે. તમને જણાવી દઈએ કે રામ રહીમને પેરોલ અથવા ફર્લો આપવા અંગે એક અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે સરકારને તેના પર નિર્ણય લેવા કહ્યું હતું.
- Aug 13, 2024 09:20 IST
ગુજરાતમાં 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમં 8 તાલુકા એવા છે જેમાં બે ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
જ્યારે 28 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં તાપીના વાલોડમાં આશરે બે ઈંચ, ડાંગના સુબિરાં પોણા બે ઈંચ, સુરતના મહુવામાં પોણા બે ઈંચ, નવસારીના વાંસદામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Aug 13, 2024 07:58 IST
આજનો મંગળવાર તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
આજે 13 ઓગસ્ટ 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજના દિવસનું રાશિ ભવિષ્ય.
- Aug 13, 2024 07:57 IST
આજે પણ દિલ્હીથી ચંદીગઢ સુધી ડૉક્ટરો હડતાળ
કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં મંગળવારે દેશભરના ડોક્ટરો પણ હડતાળ પર છે. આ સમયગાળા દરમિયાન, ડોકટરોએ પણ તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે. જો કે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર-હત્યાના મામલાને લઈને દેશભરના રેસિડેન્ટ ડોક્ટર્સમાં ગુસ્સો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us