/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Indian-Army.jpg)
કઠુઆ આતંકવાદી હુમલો
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 September 2024 Highlights, આજના તાજા સમાચાર: ચીન અને ભારત વચ્ચે વર્તમાન પરિસ્થિતિ શું છે અને કેટલા ટકા સમસ્યાઓ ઉકેલાઈ છે? આ પ્રશ્નનો જવાબ વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે (12 સપ્ટેમ્બર, 2024) આપ્યો હતો. જયશંકરે કહ્યું કે ચીન સાથેની લગભગ 75 ટકા છૂટાછેડાની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. પરંતુ સૌથી મોટો મુદ્દો સરહદ પર વધી રહેલા લશ્કરીકરણનો છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના સૈન્ય અવરોધને ઉકેલવા માટે ભારતીય અને ચીની રાજદ્વારીઓ દ્વારા કેટલીક પ્રગતિના સંકેતો દર્શાવ્યાના બે અઠવાડિયા પછી વિદેશ પ્રધાનનું નિવેદન આવ્યું છે.
- Sep 13, 2024 22:10 IST
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, 4 સૈનિક ઘાયલ
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં ભારતીય સેના અને આતંકવાદી વચ્ચે ગોળીબાર ચાલુ છે. આ ફાયરિંગમાં 4 ભારતીય સૈનિક ઘાયલ થયા છે. સેના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઓપરેશન ચાલુ છે.
#WATCH | J&K: Encounter underway between security forces and terrorists at Pingnal Dugadda forest area, upper reaches of Naidgham village under the jurisdiction of Police Station Chhatroo, district Kishtwar.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/SXYtzd3P4q— ANI (@ANI) September 13, 2024
- Sep 13, 2024 21:19 IST
મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 8 યુવકોના ડુબી જવાથી મોત
ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં 8 યુવકોના ડુબી જવાથી કરુણ મોત થયા છે. ગાંધીનગર દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક મેશ્વો નદીમાં આજે ગણેશ વિસર્જન કરતી વથે 8 યુવકો ડુબી જવાથી શોકનો માહોલ છવાઇ ગયો છે. ગાંધીનગરના CP ડીટી ગોહિસે જણાવ્યું કે, સોગઠી ગામના 9 યુવક બપોરના સમયે મેશ્વો નદી પર બનેલા ડેમ પર આવ્યા હતા. તેઓ નદીમાં નાહી રહ્યા હતા, ત્યારે ગણેશ વિસર્જન માટે આવેલા તે 9 લોકો માંથી એક યુવક નાહતી વખતે ડુબવા લાગ્યો, તેને બચાવવા માટે અન્ય યુવકો પણ ગયા, જો કે કમનસીબે તે તમામ યુવકો નદીમાં ડુબી ગયા. અત્યાર સુધી નદીમાંથી 8 મૃતદેહ મળ્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, માત્ર 8 લોકો ડુબ્યા છે.
#WATCH गुजरात: गांधीनगर के डिप्टी SP डी.टी. गोहिल ने कहा, "देहगाम तहसील में वासना सोगाथी गांव है। गांव के 9 युवक दोपहर के समय मेशवो नदी पर बने बांध पर आए थे। वे यहां नहा रहे थे, तभी भगवान गणेश की मूर्ति विसर्जन के लिए आई... उन 9 लोगों में से एक युवक नहाते समय डूब रहा था। इसलिए,… https://t.co/JaIJ1c1t0opic.twitter.com/3dI9xX6GPk
— ANI_HindiNews (@AHindinews) September 13, 2024
- Sep 13, 2024 21:12 IST
અરવિંદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થયા બાદ ઘરે પહોંચ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ ઘરે પહોંચ્યા છે. તેઓ સિવિલ લાઇન્સ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા જ્યાં તેમના પરિવારજનો અન આપ પાર્ટીના નેતા સભ્યોએ ખુશીપૂર્વક સ્વાગત કર્યું હતું.
#WATCH दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल सिविल लाइंस स्थित अपने आवास पर पहुंचे जहां उनके परिवार के सदस्यों ने उनका गर्मजोशी से स्वागत किया।
दिल्ली आबकारी नीति मामले में सुप्रीम कोर्ट द्वारा जमानत दिए जाने के बाद आज उन्हें तिहाड़ जेल से रिहा कर दिया गया है।
(सोर्स: AAP) pic.twitter.com/5waQV8rOwJ— ANI_HindiNews (@AHindinews) September 13, 2024
- Sep 13, 2024 17:42 IST
પોર્ટ બ્લેયરનું નામ બદલી શ્રી વિજયપુરમ કરાયું, અમિત શાહે કરી ઘોષણા
કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત રાજ્ય અંદમાન નિકોબાર ટાપુના પાટનગર પોર્ટ બ્લેયરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર આની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, પોર્ટ બ્લેયર એક ગુલામીનું પ્રતિક હતું, આથી કેન્દ્રશાસિત પ્રદેશના પાટનગરનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
देश को गुलामी के सभी प्रतीकों से मुक्ति दिलाने के प्रधानमंत्री श्री @narendramodi जी के संकल्प से प्रेरित होकर आज गृह मंत्रालय ने पोर्ट ब्लेयर का नाम ‘श्री विजयपुरम’ करने का निर्णय लिया है।
‘श्री विजयपुरम’ नाम हमारे स्वाधीनता के संघर्ष और इसमें अंडमान और निकोबार के योगदान को…— Amit Shah (@AmitShah) September 13, 2024
- Sep 13, 2024 14:44 IST
Today News Live : ગુજરાતમાં વરસાદનો વિરામ, આજે બપોર સુધીમાં 17 તાલુકામાં માત્ર હાજરી પુરાવી
આજે શુક્રવારે વરસાદે સાવ વિરામ લીધો હોય એવું લાગે છે. આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 17 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. એમ કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે.
- Sep 13, 2024 12:12 IST
Today News Live : અમે ચીન સાથેની 75 ટકા સમસ્યાઓ ઉકેલી લીધી છે : વિદેશ મંત્રી એસ જયશંકર
ચીન અને ભારત વચ્ચે વર્તમાન પરિસ્થિતિ શું છે અને કેટલા ટકા સમસ્યાઓ ઉકેલાઈ છે? આ પ્રશ્નનો જવાબ વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે (12 સપ્ટેમ્બર, 2024) આપ્યો હતો. જયશંકરે કહ્યું કે ચીન સાથેની લગભગ 75 ટકા છૂટાછેડાની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. પરંતુ સૌથી મોટો મુદ્દો સરહદ પર વધી રહેલા લશ્કરીકરણનો છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના સૈન્ય અવરોધને ઉકેલવા માટે ભારતીય અને ચીની રાજદ્વારીઓ દ્વારા કેટલીક પ્રગતિના સંકેતો દર્શાવ્યાના બે અઠવાડિયા પછી વિદેશ પ્રધાનનું નિવેદન આવ્યું છે.
- Sep 13, 2024 11:27 IST
Today News Live : આજે શુક્રવારે સવારે 10 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 13 સપ્ટેમ્બર 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ તાલુકામાં માત્ર હાજરી પુરાવવા પુરતો વરસાદ નોંધાયો છે.
- Sep 13, 2024 11:08 IST
Today News Live : અરવિંદ કેજરીવાલને આ શરતો પર સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા
સુપ્રીમ કોર્ટે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. જસ્ટિસ કાંતે પોતાના નિર્ણયમાં કહ્યું કે કેજરીવાલને CBI કેસમાં 10 લાખ રૂપિયાના જામીન પર જામીન આપવામાં આવે છે. તેમને આ બાબતે જાહેરમાં કોઈ ટિપ્પણી ન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
- Sep 13, 2024 10:29 IST
Today News Live : દિલ્હીના ગ્રેટર કૈલાશમાં ભારે ગોળીબાર, જીમ સંચાલકનું મોત
દિલ્હીના ગ્રેટર કૈલાશમાં અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક ઓપરેટરનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં કેટલાક હુમલાખોરોએ એક જિમ માલિકની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ નાદિર શાહ તરીકે થઈ છે.
દિલ્હી પોલીસે કહ્યું, “તેના મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
- Sep 13, 2024 09:38 IST
Today News Live : શુક્રવારનો દિવસ તમારો કેવો રહેશે?
આજે 13 સપ્ટેમ્બર 2024, શુક્રવારનો દિવસ છે. આજનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Sep 13, 2024 09:35 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસું હવે અંત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વરસાદનું જોર પણ ઘટી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં કૂલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં માત્ર ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Sep 13, 2024 09:33 IST
Today News Live : અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે
એક્સાઇઝ પોલિસી "કૌભાંડ" કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે એટલે કે આજે પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી અને દારૂ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us