/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Gujarat-Police.jpg)
ગુજરાત પોલીસ (પ્રતિકાત્મક તસવીર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 April 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 14 એપ્રિલ, 2024 રવિવાર છે. આજના સમાચારની વાત કરીયે તો ઈરાને ઈઝરાયલ પર ડોન મિસાઇલ હુમલો કર્યો છે. જેના કારણે મિડલ ઇસ્ટમાં ફરી અશાંતિ ઉભી થઇ છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિએ બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે તેનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જે એક રીતે ચૂંટણી ઢંઢેરો છે. ગૂજરાતમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર અને આક્રમક બન્યો છે. આજે રવિવારે સાંજે રાજકોટના મોરબી રોડ સ્થિત રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. ગુજરાત, દેશ અને દુનિયાના તમામ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ અહીં વાંચો.
કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી
Congress Candidates List: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે, તે ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે દિલ્હીના ચાંદની ચોકથી જેપી અગ્રવાલ, નોર્થ ઇસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમાર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી છે. આ સિવાય પંજાબના અમૃતસરથી ગુરજીત સિંહ, જાલંધરથી ચરણજીત સિંહ ચન્ની, ફતેહગઢ સાહિબથી અમર સિંહ, બઠિંડાથી જીત મોહિન્દર સિંહ સિદ્ધુ, સંગરૂરથી સુખપાલ સિંહ ખૈરા, પટિયાલાથી ધર્મવીર ગાંધી અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
પીએમ મોદી એ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપનો સંકલ્પ જાહેર કર્યો છે, જે એક પ્રકારનો ચૂંટણી ઢંઢેરો છે. પીએમ મોદીએ પાર્ટી મુખ્યાલયમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેને એક પ્રકારનો ચૂંટણી ઢંઢેરો છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
- Apr 14, 2024 22:04 IST
કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી
Congress Candidates List: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે, તે ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે દિલ્હીના ચાંદની ચોકથી જેપી અગ્રવાલ, નોર્થ ઇસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમાર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી છે. આ સિવાય પંજાબના અમૃતસરથી ગુરજીત સિંહ, જાલંધરથી ચરણજીત સિંહ ચન્ની, ફતેહગઢ સાહિબથી અમર સિંહ, બઠિંડાથી જીત મોહિન્દર સિંહ સિદ્ધુ, સંગરૂરથી સુખપાલ સિંહ ખૈરા, પટિયાલાથી ધર્મવીર ગાંધી અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
कांग्रेस ने आम चुनाव के लिए 10 उम्मीदवारों की एक और सूची जारी की।
कन्हैया कुमार उत्तर पूर्वी दिल्ली से चुनाव लड़ेंगे (भाजपा उत्तर पूर्वी दिल्ली के उम्मीदवार मनोज तिवारी के खिलाफ), जे.पी. अग्रवाल चांदनी चौक से चुनाव लड़ेंगे (चांदनी चौक से भाजपा उम्मीदवार प्रवीण खंडेलवाल के… pic.twitter.com/0OxhYTL0gt— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
- Apr 14, 2024 17:06 IST
સલમાનના ઘરની બહાર ગોળીબાર, મહારાષ્ટ્રના સીએમે કહ્યું - આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે
મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. આરોપીઓને પકડવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદાનું પાલન કરવામાં આવશે. મુંબઈ પોલીસ કમિશનરને સલમાન ખાન અને તેના સમગ્ર પરિવારની સુરક્ષા વધારવા માટે જાણ કરવામાં આવી છે, સરકાર તેમની સાથે છે અને તેમણે ચિંતા કરવાની જરૂર નથી.
#WATCH मुंबई में अभिनेता सलमान खान के आवास के बाहर फायरिंग की घटना पर महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "यह एक दुर्भाग्यपूर्ण घटना है। पुलिस इसकी जांच कर रही है। आरोपियों को पकड़ा जाएगा और उनके खिलाफ कड़ी कार्रवाई की जाएगी। कानून को अपने हाथ में लेने वालों को बख्शा… pic.twitter.com/Nt06vdGTJz
— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
- Apr 14, 2024 15:34 IST
સલમાન ખાન પર ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક મળી
સલમાન ખાનના મુંબઇ સ્થિર ઘરની બહાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું છે. આ હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. મુંબઇ પોલીસને આ ગુનામાં વપરાયેલી બાઇક મળી છે. ફોરેન્સિક ટીમ દ્વારા આ બાઇકની તપાસ કરવામાં આવી રહી છે.
मुंबई पुलिस को उन अज्ञात लोगों की मोटरसाइकिल मिल गई है जिन्होंने सलमान खान के आवास के बाहर गोलीबारी की थी। फोरेंसिक टीम द्वारा मोटरसाइकिल की जांच की जा रही है। https://t.co/p4lQxTY4J2
— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
- Apr 14, 2024 14:43 IST
ચૂંટણી પહેલા ગુજરાતના 35 આઈપીએસની બદલી અને બઢતી
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતના 35 આઈપીએસ ઓફિસની બદલી અને બઢતીનો ગૃહ વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
- Apr 14, 2024 14:35 IST
મધ્યપ્રદેશ: બોરવેલમાં પડેલા બાળકે જીવ ગુમાવ્યો
મધ્યપ્રદેશના રેવામાં એક ખુલ્લા બોરવેલમાં પડેલા 6 વર્ષીય બાળકે આખરે જીવ ગુમાવ્યો છે. 45 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકનો મૃતદેહ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
#WATCH रीवा, मध्य प्रदेश: एक खुले बोरवेल में गिरे 6 वर्षीय बच्चे को 45 घंटे के लंबे रेस्क्यू ऑपरेशन के बाद बाहर निकाला गया। pic.twitter.com/J35Z0V0Nee
— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
- Apr 14, 2024 12:30 IST
ઈરાનનો ઈઝરાયલ પર મિસાઈલ હુમલો, UNની સુરક્ષા સમિતિએ બેઠક બોલાવી
ઈરાને ઈઝરાયલ પર ડ્રોન મિસાઇલ એટેક કર્યો છે. સીરિયામાં તેના દૂતાવાસ પર 1 એપ્રિલના હવાઈ હુમલાનો બદલો લેતા ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલ પર ડ્રોન એટેક કર્યા હતા. આ હુમલાથી મિડલ ઇસ્ટમાં ફરી અશાંતિનો માહોલ સર્જાયો છે. પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાતી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિએ આજે રવિવાર બેઠક બોલાવી છે.
Watch Israel defending the Temple Mount and Al-Aqsa Mosque from Iranian missile and drones! For the murderous Ayatollah regime, murdering Israelis is more important than safeguarding Islamic holy sites. The UN must clearly and unambiguously condemn the Iranian attack on Israel… pic.twitter.com/ajeg7Fy2Ds
— Ambassador Gilad Erdan גלעד ארדן (@giladerdan1) April 14, 2024
- Apr 14, 2024 12:25 IST
બાબાસાહેબ આંબેડકર જયંત્તિ પર શ્રદ્ધાંજલી
આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ છે. દેશભરમાં વિવિધ સ્થળે ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જયપુરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ બાબાસાહેબ આંબેડકરે શ્રદ્ધાંજલી આપી હતી.
#WATCH जयपुर: राजस्थान के मुख्यमंत्री भजन लाल शर्मा ने बाबा साहेब डॉ. भीमराव अंबेडकर की 134वीं जयंती पर उन्हें श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/Ui51irOezQ
— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
- Apr 14, 2024 12:21 IST
પીએમ મોદી એ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપનો સંકલ્પ જાહેર કર્યો છે, જે એક પ્રકારનો ચૂંટણી ઢંઢેરો છે. પીએમ મોદીએ પાર્ટી મુખ્યાલયમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેને એક પ્રકારનો ચૂંટણી ઢંઢેરો છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
The BJP's Sankalp Patra provides a comprehensive overview of the NDA Government's achievements and charts the vision for building a Viksit Bharat by 2047.https://t.co/RwlzXLoxIj
— Narendra Modi (@narendramodi) April 14, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us