Gujarati News 16 April 2024 Highlights : પટના રોડ અકસ્માત: ક્રેન સાથે રીક્ષાની ટક્કર, 7 લોકોના મોત

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 April 2024 : બિહારના પટનામાં રીક્ષા અને ક્રેન વચ્ચે અકસ્માતમાં સાત લોકોના મોત, મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 April 2024 : બિહારના પટનામાં રીક્ષા અને ક્રેન વચ્ચે અકસ્માતમાં સાત લોકોના મોત, મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bihar Patna Road Accident

બિહારના પટનામાં રીક્ષા અને ક્રેન વચ્ચે અકસ્માતમાં સાતના મોત (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 16 એપ્રિલ 2024, મંગળવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, બિહારની રાજધાની પટનામાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. પટનામાં એક સ્પીડમાં આવી રહેલી ઓટો મેટ્રો ક્રેન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

Advertisment

પીએમ મોદી બિહાર પ્રવાસે હતા તેમણે ગયામાં જનસભા સંબોધી આરજેડી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડીએ બિહારમાં ભ્રષ્ટાચાર અને જંગલરાજની ભેટ જ આપી છે. ગુજરાતમાં વિવાદ વચ્ચે આજે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. આ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ બેઠકો ઉપરથી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ફોર્મ ભર્યા છે. બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર અને પશ્વિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અને રેલી કરી છે. આજે આઈપીએલની 31મી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. વાંચતા રહો આજના તાજા સમાચાર.

જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી હોડી પલટી ગઈ હતી. જેમાં ચાર બાળકોના મોત થયા છે. બાળકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે. સરકારી-વહીવટની ટુકડી સ્થળ પર હાજર છે. મળતી માહિતી મુજબ કાશ્મીર ઘાટીમાં હવામાન ખરાબ છે. છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

રાજ્યમાં વિવિધ પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરશે

આજે અમદાવાદ પશ્વિમથી કોંગ્રેસના ભરત મકવાણા, ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલ, બનાસકાંઠામાંથી રેખાબેન ચૌધરી, સુરતથી મુકેશ દલાલ, આણંદથી મિતેષ પટેલ સહિત મોટાભાગના ઉમેદવારો આજે લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

Advertisment
  • Apr 16, 2024 20:33 IST

    ગુવાહાટીમાં પીએમ મોદીનો રોડ શો

    આસમના ગુવાહાટીમાં પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો

    — ANI_HindiNews (@AHindinews) April 16, 2024



  • Apr 16, 2024 16:30 IST

    પટના રોડ અકસ્માત: ક્રેન સાથે રીક્ષાની ટક્કર, 7 લોકોના મોત

    બિહારની રાજધાની પટનામાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. પટનામાં એક સ્પીડમાં આવી રહેલી ઓટો મેટ્રો ક્રેન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યુ બાયપાસ નજીક બની હતી. આ ઓટો રિક્ષા મીઠાપુરથી ઝીરોમીલ જઈ રહી હતી, જેમાં આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા. બીજી તરફ મીઠાપુર પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. ઓટોની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. ત્યારબાદ ઓટો મેટ્રો ક્રેન સાથે ટકરાઈ હતી.



  • Apr 16, 2024 13:44 IST

    પતંજલિ ભ્રામક જાહેરાત મામલો: સુપ્રીમ કોર્ટ નારાજ, એક અઠવાડિયામાં સાર્વજનિક માફી માંગવા કહ્યું

    પતંજલી ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ, સુપ્રીમ કોર્ટે પતંજલિ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે કોર્ટની અવમાનના કેમ કરી. તમારી ગરીમા છે, ઘણા કામ તમે કર્યા છે, પરંતુ તમે કોર્ટ વિરુદ્ધ જે કર્યું તે શું સારૂ છે? જસ્ટિસ કોહલીએ કહ્યું, આપણા દેશમાં આયુર્વેદ ઘણુ જુનુ છે, મહર્ષિ ચરક સમયથી. દાદી-નાની પણ ઘરેલુ ઈલાજ કરે છે, પરંતુ તમે બીજી પદ્ધતીઓને ખરાબ કેમ કહો છો? શું એક જ પદ્ધતી રહેવી જોઈએ. કોર્ટે આ મામલે રામદેવ પતંજલિને એક અઠવાડિયાનો સમય આપ્યો, સાર્વજનિક માફી માંગવા. આગામી સુનાવણી 23 એપ્રિલે થશે.



  • Apr 16, 2024 12:26 IST

    બિહારના ગયામાં પીએમ નરેન્દ્ર મોદીની ગર્જના, કહ્યું- આરજેડી ભ્રષ્ટાચારનું બીજું નામ

    ગયાની રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરજેડીએ બિહારને માત્ર બે જ વસ્તુઓ આપી - જંગલ રાજ અને ભ્રષ્ટાચાર. તેમણે કહ્યું કે બિહારમાં આરજેડી શાસન દરમિયાન ભ્રષ્ટાચાર ઉદ્યોગની જેમ ફૂલ્યોફાલ્યો હતો. વિપક્ષી નેતાઓ અફવાઓ ફેલાવીને દેશના બંધારણ સાથે રાજનીતિ કરી રહ્યા છે. ગયામાં પીએમ નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી 'વિકસિત ભારત' અને 'વિકસિત બિહાર' માટે છે. કોંગ્રેસે સમૃદ્ધ ભારતના નિર્માણની તક ગુમાવી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીએ માત્ર સામાજિક ન્યાયના નામે રાજનીતિ કરી.



  • Apr 16, 2024 12:25 IST

    બિહારના ગયામાં પીએમ નરેન્દ્ર મોદીની ગર્જના, કહ્યું- આરજેડી ભ્રષ્ટાચારનું બીજું નામ

    ગયાની રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરજેડીએ બિહારને માત્ર બે જ વસ્તુઓ આપી - જંગલ રાજ અને ભ્રષ્ટાચાર. તેમણે કહ્યું કે બિહારમાં આરજેડી શાસન દરમિયાન ભ્રષ્ટાચાર ઉદ્યોગની જેમ ફૂલ્યોફાલ્યો હતો. વિપક્ષી નેતાઓ અફવાઓ ફેલાવીને દેશના બંધારણ સાથે રાજનીતિ કરી રહ્યા છે. ગયામાં પીએમ નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી 'વિકસિત ભારત' અને 'વિકસિત બિહાર' માટે છે. કોંગ્રેસે સમૃદ્ધ ભારતના નિર્માણની તક ગુમાવી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીએ માત્ર સામાજિક ન્યાયના નામે રાજનીતિ કરી.



  • Apr 16, 2024 10:15 IST

    જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી

    જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી હોડી પલટી ગઈ હતી. જેમાં ચાર બાળકોના મોત થયા છે. બાળકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.



  • Apr 16, 2024 10:08 IST

    ચૈત્રી નવરાત્રીનો આઠમનો દિવસ તમારા માટે કેવો રહેશે

    આજે ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમું નોરતું છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિ ભવિષ્ય.



  • Apr 16, 2024 09:46 IST

    રાજ્યમાં વિવિધ પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરશે

    આજે અમદાવાદ પશ્વિમથી કોંગ્રેસના ભરત મકવાણા, ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલ, બનાસકાંઠામાંથી રેખાબેન ચૌધરી, સુરતથી મુકેશ દલાલ, આણંદથી મિતેષ પટેલ સહિત મોટાભાગના ઉમેદવારો આજે લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવશે.



  • Apr 16, 2024 09:46 IST

    પુરુષોત્તમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ