Gujarati News 18 August 2024 Highlights : કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો સંજ્ઞાન, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 August 2024 : ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 August 2024 : ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Kolkata Rape Case, Kolkata, Rape Case

Kolkata Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આરજી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 August 2024 Highlights, આજના તાજા સમાચાર: રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપના કારણે સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે. ભૂકંપ, જ્વાળામુખી ફાટ્યા બાદ હવે હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. કલકત્તામાં નર્સ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરની હોસ્પિટલના ડોક્ટર હડતાળ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Advertisment

કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો સંજ્ઞાન, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી

દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં હાલમાં જ એક ડોક્ટર પર થયેલા રેપ અને મર્ડર કેસ પર સુઓ મોટો સંજ્ઞાન લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ડોક્ટરોએ આ ઘટના સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. એટલું જ નહીં આ તમામે પોતાની સુરક્ષાની માંગણી કરી છે.

અમિત શાહ અમદાવાદમાં, વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની બે દિવસ મુલાકાતે આવ્યા છે. અમિત શાહે અમદાવાદમાં પડોશી દેશોમાંથી આવેલા 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. આ સિવાય તેમણે અમદાવાદમાં વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે.

Advertisment

રશિયામાં ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવે સુનામીનું જોખમ

રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો અને હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે.

  • Aug 18, 2024 22:40 IST

    તિરુવનંતપુરમ : આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાની, લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને વિરોધ કર્યો

    તિરુવનંતપુરમ, કેરળ: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટના સામે લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને ઘટનાનો વિરોધ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) August 18, 2024



  • Aug 18, 2024 21:24 IST

    આ ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીની નબળાઈ દર્શાવે છે - ચિરાગ પાસવાન

    કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે જો તમે મુખ્યમંત્રી તરીકે રસ્તા પર ઉતરો છો, તો શું તમે લોકોને ન્યાયની ખાતરી આપી રહ્યા છો કે પછી તમે તેમની વચ્ચે ડરનું વાતાવરણ ઉભું કરો છો. આ ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીની નબળાઈ દર્શાવે છે. જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતાની સરકાર, પોતાના વહીવટ સામે રસ્તા પર ઉતરે છે, તો તે તમારી નબળાઈ દર્શાવે છે.આનાથી ખબર પડે છે કે કદાચ તમારા રાજ્યની મશીનરી તમારા નિયંત્રણમાં નથી તેથી જ બંગાળ જેવા રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ છે.

    — ANI_HindiNews (@AHindinews) August 18, 2024



  • Aug 18, 2024 19:14 IST

    ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપઇ સોરેને તોડ્યું મૌન, કહ્યું - JMM માં મારું અપમાન થયું

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપઈ સોરેને ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મૌન તોડ્યું છે. રવિવારે તેમણે કહ્યું કે તેમની પાસે આગળ વધવા માટે ત્રણ વિકલ્પ છે. જો કે ભારતીય જનતા પાર્ટીમાં જવા અંગે હજુ સુધી તેમણે કંઇ સ્પષ્ટ રીતે કહ્યું નથી. ચંપઈ સોરેને જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકાની મારી નિષ્કલંક રાજકીય સફરમાં હું પહેલી વાર અંદરથી તૂટી ગયો છું. આટલું અપમાન કર્યા પછી મારે અન્ય માર્ગો શોધવા મજબૂર થવું પડ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) August 18, 2024



  • Aug 18, 2024 17:43 IST

    કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો સંજ્ઞાન, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી

    દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં હાલમાં જ એક ડોક્ટર પર થયેલા રેપ અને મર્ડર કેસ પર સુઓ મોટો સંજ્ઞાન લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ડોક્ટરોએ આ ઘટના સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. એટલું જ નહીં આ તમામે પોતાની સુરક્ષાની માંગણી કરી છે.



  • Aug 18, 2024 16:42 IST

    જો મમતા બેનર્જી સંભાળી ન શકે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ - ગિરિરાજ સિંહ

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે આ ખૂબ જ વિચિત્ર બાબત છે અને મને આશ્ચર્ય થાય છે. મુખ્યમંત્રી (મમતા બેનર્જી) આરોગ્ય મંત્રી છે, કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં છે અને તેઓ સત્તામાં છે. જો તે જો તે સંભાળી ન શકે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. જો તેમને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે તો બંગાળ બીજું બાંગ્લાદેશ બની જશે.

    — ANI_HindiNews (@AHindinews) August 18, 2024



  • Aug 18, 2024 14:27 IST

    કલકત્તા ડોક્ટર દુષ્કર્મ હત્યા કેસની તપાસ કરનાર સીબીઆઈ ટીમ આરજી કર મેડિકલ કોલેજ પહોંચી

    કલકત્તામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ કરનાર સીબીઆઈ ટીમ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચી છે.

    — ANI_HindiNews (@AHindinews) August 18, 2024



  • Aug 18, 2024 12:18 IST

    જયપુરમાં હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    જયપુરમાં એક હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા અફરાતફરી મચી ગઇ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ હોસ્પિટલોને સવારે 7 વાગે ઇ મેલ મળ્યો હતો,

    https://twitter.com/PTI_News/status/1825043336199061530

    જેમાં હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે હોસ્પિટલને ધમકી મળી છે જેમાં બિરલા હોસ્પિટલ અને મોનિલેક હોસ્પિટલ સામેલ છે. ધમકીભર્યા મેલની જાણકારી મળતા જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હોસ્પિટલ પહોંચી ગઇ છે.

    — Vivek_Meena (@mina_vivek) August 18, 2024



  • Aug 18, 2024 11:15 IST

    એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર લંડનની હોટલમાં હુમલો

    એર ઈન્ડિયાના એક કેબિન ક્રૂ મેમ્બર પર લંડનની હોટલમાં રૂમની અંદર હુમલો કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ આ ઘટનાની પૃષ્ટિ કરી છે. શનિવાર મોડી રાત્રે એર ઈન્ડિયા એ લંડનની એક હોટેલમાં ખોટીરીતે ધૂષણખોરીની ઘટના વિશે એક નિવેદન જારી કર્યું છે. એર ઈન્ડિયાનું કહેવું છે કે, એર ઈન્ડિયા પોતાના ક્રૂ મેમ્બર અને સ્ટાફ મેમ્બરની સુરક્ષા, સંરક્ષણને પ્રાથમિકતા આપે છે. અમે એક અગ્રણી ઈન્ટરનેશનલ ચેઇન દ્વારા સંચાલિત હોટલમાં ધૂષણખોરીની એક ગેરકાનૂની ઘટનાથી દુઃખી છીએ, જેનાથી અમારા ચાલક દળના એક સભ્યને નુકસાન પહોંચ્યું છે. અમે અમારા સહકર્મી અને તેમની સંપૂર્ણ ટીમને પ્રોફેશનલ કન્સલ્ટિંગ સહિત તમામ સંભવ પ્રયાસ પહોંચાડી રહ્યા છીએ.



  • Aug 18, 2024 10:30 IST

    સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના બાદ કાનપુર - ઝાંસી રેલવે ટ્રેક શરૂ

    સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના બાદ કાનપુર થી ઝાંસી સુધી રેલવ ટ્રેક રિપેરિંગ કરવામાં આવ્યો છે. સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના પર અલ્હાબાદ રેલવ ડિવિઝનના સીનિયર PRO અમિત માલવીય કહ્યું કે, વિવિધ વિભાગોના સંયુક્ત પ્રયાસો બાદ પ્રથમ ટ્રેન અપ લાઇન ચાલી રહી છે, તેના પર જ ઘટના ઘટી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) August 18, 2024



  • Aug 18, 2024 10:27 IST

    રશિયામાં ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવે સુનામીનું જોખમ

    રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો અને હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે.

    — LX (@LXSummer1) August 17, 2024



  • Aug 18, 2024 10:26 IST

    અમિત શાહ અમદાવાદમાં, હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે

    કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની બે દિવસ મુલાકાતે આવ્યા છે. અમિત શાહ અમદાવાદમાં પડોશી દેશોમાં આવેલા 100થી વધુ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. ઉપરાંત અમદાવાદમાં વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદઘાટન કરવાના છે.

    — Amit Shah (@AmitShah) August 17, 2024



બ્રેકિંગ ન્યૂઝ ભૂકંપ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ india રશિયા અમિત શાહ દેશ