/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Kolkata-Rape-Case.jpg)
Kolkata Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આરજી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 August 2024 Highlights, આજના તાજા સમાચાર: રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપના કારણે સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે. ભૂકંપ, જ્વાળામુખી ફાટ્યા બાદ હવે હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. કલકત્તામાં નર્સ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરની હોસ્પિટલના ડોક્ટર હડતાળ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો સંજ્ઞાન, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી
દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં હાલમાં જ એક ડોક્ટર પર થયેલા રેપ અને મર્ડર કેસ પર સુઓ મોટો સંજ્ઞાન લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ડોક્ટરોએ આ ઘટના સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. એટલું જ નહીં આ તમામે પોતાની સુરક્ષાની માંગણી કરી છે.
અમિત શાહ અમદાવાદમાં, વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની બે દિવસ મુલાકાતે આવ્યા છે. અમિત શાહે અમદાવાદમાં પડોશી દેશોમાંથી આવેલા 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. આ સિવાય તેમણે અમદાવાદમાં વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે.
રશિયામાં ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવે સુનામીનું જોખમ
રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો અને હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે.
- Aug 18, 2024 22:40 IST
તિરુવનંતપુરમ : આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાની, લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને વિરોધ કર્યો
તિરુવનંતપુરમ, કેરળ: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટના સામે લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને ઘટનાનો વિરોધ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.
#WATCH तिरुवनंतपुरम, केरल: कोलकाता के आरजी कर मेडिकल कॉलेज और अस्पताल में बलात्कार और हत्या की घटना के खिलाफ लोगों ने मोमबत्ती जलाकर विरोध प्रदर्शन किया और न्याय की मांग की। pic.twitter.com/WBGmPZeY4d
— ANI_HindiNews (@AHindinews) August 18, 2024
- Aug 18, 2024 21:24 IST
આ ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીની નબળાઈ દર્શાવે છે - ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે જો તમે મુખ્યમંત્રી તરીકે રસ્તા પર ઉતરો છો, તો શું તમે લોકોને ન્યાયની ખાતરી આપી રહ્યા છો કે પછી તમે તેમની વચ્ચે ડરનું વાતાવરણ ઉભું કરો છો. આ ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીની નબળાઈ દર્શાવે છે. જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતાની સરકાર, પોતાના વહીવટ સામે રસ્તા પર ઉતરે છે, તો તે તમારી નબળાઈ દર્શાવે છે.આનાથી ખબર પડે છે કે કદાચ તમારા રાજ્યની મશીનરી તમારા નિયંત્રણમાં નથી તેથી જ બંગાળ જેવા રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ છે.
#WATCH पटना: केंद्रीय मंत्री चिराग पासवान ने कहा, "...अगर आप मुख्यमंत्री के तौर पर सड़कों पर उतरते हैं तो क्या आप जनता को न्याय का भरोसा दिला रहे हैं या फिर उनके बीच डर का माहौल पैदा कर रहे हैं। यह कहीं न कहीं एक मुख्यमंत्री के तौर पर ममता बनर्जी की कमजोरी को दर्शाता है, अगर किसी… pic.twitter.com/LaSOickijv
— ANI_HindiNews (@AHindinews) August 18, 2024
- Aug 18, 2024 19:14 IST
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપઇ સોરેને તોડ્યું મૌન, કહ્યું - JMM માં મારું અપમાન થયું
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપઈ સોરેને ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મૌન તોડ્યું છે. રવિવારે તેમણે કહ્યું કે તેમની પાસે આગળ વધવા માટે ત્રણ વિકલ્પ છે. જો કે ભારતીય જનતા પાર્ટીમાં જવા અંગે હજુ સુધી તેમણે કંઇ સ્પષ્ટ રીતે કહ્યું નથી. ચંપઈ સોરેને જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકાની મારી નિષ્કલંક રાજકીય સફરમાં હું પહેલી વાર અંદરથી તૂટી ગયો છું. આટલું અપમાન કર્યા પછી મારે અન્ય માર્ગો શોધવા મજબૂર થવું પડ્યું છે.
झारखंड के पूर्व मुख्यमंत्री और JMM नेता चंपई सोरेन ट्वीट कर कहा, "...पिछले तीन दिनों से हो रहे अपमानजनक व्यवहार से भावुक होकर मैं आंसुओं को संभालने में लगा था, लेकिन उन्हें सिर्फ कुर्सी से मतलब था। मुझे ऐसा लगा, मानो उस पार्टी में मेरा कोई वजूद ही नहीं है, कोई अस्तित्व ही नहीं… pic.twitter.com/xRKZcKa93U
— ANI_HindiNews (@AHindinews) August 18, 2024
- Aug 18, 2024 17:43 IST
કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો સંજ્ઞાન, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી
દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં હાલમાં જ એક ડોક્ટર પર થયેલા રેપ અને મર્ડર કેસ પર સુઓ મોટો સંજ્ઞાન લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ડોક્ટરોએ આ ઘટના સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. એટલું જ નહીં આ તમામે પોતાની સુરક્ષાની માંગણી કરી છે.
- Aug 18, 2024 16:42 IST
જો મમતા બેનર્જી સંભાળી ન શકે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ - ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે આ ખૂબ જ વિચિત્ર બાબત છે અને મને આશ્ચર્ય થાય છે. મુખ્યમંત્રી (મમતા બેનર્જી) આરોગ્ય મંત્રી છે, કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં છે અને તેઓ સત્તામાં છે. જો તે જો તે સંભાળી ન શકે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. જો તેમને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે તો બંગાળ બીજું બાંગ્લાદેશ બની જશે.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री गिरिराज सिंह ने कहा, "यह बड़ी अजीब बात है और मुझे आश्चर्य होता है...मुख्यमंत्री (ममता बनर्जी) स्वास्थ्य मंत्री हैं, कानून और व्यवस्था उनके हाथ में है और वे सत्ता में हैं...अगर वे इसे संभाल नहीं सकतीं तो उन्हें इस्तीफा दे देना चाहिए... अगर उन्हें… pic.twitter.com/e7DKGYYxqi
— ANI_HindiNews (@AHindinews) August 18, 2024
- Aug 18, 2024 14:27 IST
કલકત્તા ડોક્ટર દુષ્કર્મ હત્યા કેસની તપાસ કરનાર સીબીઆઈ ટીમ આરજી કર મેડિકલ કોલેજ પહોંચી
કલકત્તામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ કરનાર સીબીઆઈ ટીમ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચી છે.
#WATCH पश्चिम बंगाल: महिला डॉक्टर के बलात्कार और हत्या मामले की जांच कर रही सीबीआई टीम आरजी कर मेडिकल कॉलेज और अस्पताल पहुंची। pic.twitter.com/ydcHpBU5j0
— ANI_HindiNews (@AHindinews) August 18, 2024
- Aug 18, 2024 12:18 IST
જયપુરમાં હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જયપુરમાં એક હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા અફરાતફરી મચી ગઇ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ હોસ્પિટલોને સવારે 7 વાગે ઇ મેલ મળ્યો હતો,
https://twitter.com/PTI_News/status/1825043336199061530
જેમાં હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે હોસ્પિટલને ધમકી મળી છે જેમાં બિરલા હોસ્પિટલ અને મોનિલેક હોસ્પિટલ સામેલ છે. ધમકીભર્યા મેલની જાણકારી મળતા જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હોસ્પિટલ પહોંચી ગઇ છે.
#Jaipur. एक अस्पताल में बम की सूचना से मचा हड़कंप, मेल भेजकर अस्पताल में बम प्लांट करने की दी गई धमकी, अस्पताल प्रशासन को धमकी भरा मेल मिलने के बाद मचा हड़कंप pic.twitter.com/q5pzALMlyp
— Vivek_Meena (@mina_vivek) August 18, 2024
- Aug 18, 2024 11:15 IST
એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર લંડનની હોટલમાં હુમલો
એર ઈન્ડિયાના એક કેબિન ક્રૂ મેમ્બર પર લંડનની હોટલમાં રૂમની અંદર હુમલો કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ આ ઘટનાની પૃષ્ટિ કરી છે. શનિવાર મોડી રાત્રે એર ઈન્ડિયા એ લંડનની એક હોટેલમાં ખોટીરીતે ધૂષણખોરીની ઘટના વિશે એક નિવેદન જારી કર્યું છે. એર ઈન્ડિયાનું કહેવું છે કે, એર ઈન્ડિયા પોતાના ક્રૂ મેમ્બર અને સ્ટાફ મેમ્બરની સુરક્ષા, સંરક્ષણને પ્રાથમિકતા આપે છે. અમે એક અગ્રણી ઈન્ટરનેશનલ ચેઇન દ્વારા સંચાલિત હોટલમાં ધૂષણખોરીની એક ગેરકાનૂની ઘટનાથી દુઃખી છીએ, જેનાથી અમારા ચાલક દળના એક સભ્યને નુકસાન પહોંચ્યું છે. અમે અમારા સહકર્મી અને તેમની સંપૂર્ણ ટીમને પ્રોફેશનલ કન્સલ્ટિંગ સહિત તમામ સંભવ પ્રયાસ પહોંચાડી રહ્યા છીએ.
- Aug 18, 2024 10:30 IST
સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના બાદ કાનપુર - ઝાંસી રેલવે ટ્રેક શરૂ
સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના બાદ કાનપુર થી ઝાંસી સુધી રેલવ ટ્રેક રિપેરિંગ કરવામાં આવ્યો છે. સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના પર અલ્હાબાદ રેલવ ડિવિઝનના સીનિયર PRO અમિત માલવીય કહ્યું કે, વિવિધ વિભાગોના સંયુક્ત પ્રયાસો બાદ પ્રથમ ટ્રેન અપ લાઇન ચાલી રહી છે, તેના પર જ ઘટના ઘટી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH कानपुर, उत्तर प्रदेश: साबरमती एक्सप्रेस के पटरी से उतरने की घटना पर इलाहाबाद रेलवे डिवीजन के सीनियर PRO अमित मालवीय ने कहा, "विभिन्न विभागों के समन्वित प्रयासों के बाद, पहली ट्रेन अप लाइन पर चल रही है, इसी पर घटना हुई थी... इस घटना की जांच जारी रहेगी..." pic.twitter.com/ctIZ9Fwlh4
— ANI_HindiNews (@AHindinews) August 18, 2024
- Aug 18, 2024 10:27 IST
રશિયામાં ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવે સુનામીનું જોખમ
રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો અને હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે.
Kamchatka, Russia ❗
A magnitude 7 earthquake occurred in Kamchatka, which awakened Shiveluch, the largest volcano in the Kamchatka Range! Smoke and lightning can be seen for tens of kilometers... pic.twitter.com/vWgBVDByiX— LX (@LXSummer1) August 17, 2024
- Aug 18, 2024 10:26 IST
અમિત શાહ અમદાવાદમાં, હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની બે દિવસ મુલાકાતે આવ્યા છે. અમિત શાહ અમદાવાદમાં પડોશી દેશોમાં આવેલા 100થી વધુ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. ઉપરાંત અમદાવાદમાં વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદઘાટન કરવાના છે.
कल अहमदाबाद में भारत आए हमारे शरणार्थी भाइयों-बहनों को CAA के तहत नागरिकता प्रदान की जाएगी।
पड़ोसी देशों से धार्मिक प्रताड़ना के कारण भारत आए शरणार्थी, जो दशकों से अन्याय का सामना कर रहे थे, उन्हें मोदी सरकार CAA के तहत नागरिकता दे रही है। इससे वे सम्मान के साथ अपना जीवन यापन कर…— Amit Shah (@AmitShah) August 17, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us