Gujarati News 2 February 2025: તેલંગાણામાં અસંતોષ અને બળવાના અહેવાલ, સીએમ રેવંત રેડ્ડીની ઇમરજન્સી બેઠક

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 February 2025: અહેવાલો મળી રહ્યા છે કે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીના 10 ધારાસભ્યોએ અલગથી બંધ બારણે બેઠક યોજી છે. આ પછી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સક્રિય થયા છે અને ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને ખતમ કરવા માટે પગલાં ભર્યા છે

Written by Ajay Saroya
Updated : February 02, 2025 23:28 IST
Gujarati News 2 February 2025: તેલંગાણામાં અસંતોષ અને બળવાના અહેવાલ, સીએમ રેવંત રેડ્ડીની ઇમરજન્સી બેઠક
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (તસવીર - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 February 2025, આજના તાજા સમાચાર: કોંગ્રેસ શાસિત રાજ્યમાં તેલંગાણામાં અસંતોષ અને બળવાના અહેવાલો મળી રહ્યા છે. અહેવાલો મળી રહ્યા છે કે પાર્ટીના 10 ધારાસભ્યોએ અલગથી બંધ બારણે બેઠક યોજી છે. આ પછી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સક્રિય થયા છે અને ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને ખતમ કરવા માટે પગલાં ભર્યા છે. તેલંગાણામાં 2023માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચંદ્રશેખર રાવની સરકારને હટાવી સરકાર બનાવી હતી. કહેવાય છે કે મોટાભાગના બળવાખોર નેતાઓ ગત વર્ષે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)થી કોંગ્રેસમાં સામેલ થયા હતા. બીઆરએસના નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે સંકલન સાધી શકતા નથી, જેના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ભારતે ઇંગ્લેન્ડ સામે 4-1થી ટી 20 શ્રેણી જીતી

અભિષેક શર્માની સદી (135) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટી 20માં 150 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણી 4-1થી જીતી લીધી છે.

ડાંગમાં લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 લોકોના મોત

ડાંગ જિલ્લામાં ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 મુસાફરોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડાંગ જિલ્લામાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર વહેલી સવાર 4 વાગે આસપાસ ખાનગી બસ પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં લગભગ 50 મુસાફરો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમા બે મહિલા અને 3 પુરુષ છે. અકસ્માતની જાણ કરતા પોલીસ અને ડોક્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Live Updates

રોહિત શર્મા, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે માટે નાગપુર પહોંચ્યા

ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓ 6 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામેની પહેલી વનડે માટે નાગપુર એરપોર્ટ પર પહોંચ્યા. ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે.

ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટી 20, ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની પાંચમી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચમી ટી 20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પાંચ મેચની શ્રેણીમાં ભારતે 3-1થી અજેય સરસાઇ મેળવી લીધી છે.

તેલંગાણામાં અસંતોષ અને બળવાના અહેવાલ, સીએમ રેવંત રેડ્ડીની ઇમરજન્સી બેઠક

કોંગ્રેસ શાસિત રાજ્યમાં તેલંગાણામાં અસંતોષ અને બળવાના અહેવાલો મળી રહ્યા છે. અહેવાલો મળી રહ્યા છે કે પાર્ટીના 10 ધારાસભ્યોએ અલગથી બંધ બારણે બેઠક યોજી છે. આ પછી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સક્રિય થયા છે અને ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને ખતમ કરવા માટે પગલાં ભર્યા છે. તેલંગાણામાં 2023માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચંદ્રશેખર રાવની સરકારને હટાવી સરકાર બનાવી હતી. કહેવાય છે કે મોટાભાગના બળવાખોર નેતાઓ ગત વર્ષે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)થી કોંગ્રેસમાં સામેલ થયા હતા. બીઆરએસના નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે સંકલન સાધી શકતા નથી, જેના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

કુંભ મેળામાં ગુમ થયેલી યુવતીનો મૃતદેહ ખેતરમાં મળ્યો, પોલીસે શંકાસ્પદની અટકાયત કરી

પ્રયાગરાજ મહા કુંભ મેળામાં એક ગંભીર ઘટના બની છે. જેમા કુંભ મેળામાં આવેલી યુવતી ગુમ થયા બાદ ખેતરમાં તેનો મૃતદેહ મળ્યો છે. અયોધ્યાના અધિક પોલીસ કમિશનર રાજકરણ નય્યરે કહ્યું કે, 31 જાન્યુઆરીએ દર્શન નગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી, જેમા એક યુવતીએ જણાવ્યું હતું કે, 30 જાન્યુઆરીની રાતે તે પોતાની બહેન સાથે સુઇ રહી હતી અને જ્યારે તે જાગી ત્યારે તેની સાથે ન હતી. જાણકારી મળતા જ પોલીસે ફરિયાદ નોંધી અને ગુમ યુવતીની શોધખોળ કરવા 2 ટીમ બનાવી. સવારે જાણકારી મળી કે, યુવતીનો મૃતદેહ એક ખેતરમાં મળ્યો છે. પોલીસે પુરાવા એકઠાં કર્યા છે અને એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કર્યા બાદ તેની પુછપરછ કરી રહી છે.

અરવિંદ કેજરવાલે ચૂંટણી પંચને પત્ર લખ્યો, આપ કાર્યકર્તા પર હુમલો થયાનો આક્ષેપ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ પત્રમાં નવી દિલ્હી બેઠક પર ભાજપ દ્વારા આપ કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલે ચૂંટણી પંચ પાસે 4 માંગણી કરી છે. નોંધનિય છે કે, હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, જેમા આપ પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે.

ડાંગમાં લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 લોકોના મોત

ડાંગ જિલ્લામાં ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 મુસાફરોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડાંગ જિલ્લામાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર વહેલી સવાર 4 વાગે આસપાસ ખાનગી બસ પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં લગભગ 50 મુસાફરો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમા બે મહિલા અને 3 પુરુષ છે. અકસ્માતની જાણ કરતા પોલીસ અને ડોક્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

વસંત પંચમી પર મહા કુંભમાં અખાડાઓનું શાહી સ્નાન, કરોડો લોકો લગાવશે ડુબકી

વસંત પંચમી નિમિત્ત આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં અખાડાઓનું શાહી સ્નાન થશે. મૌની અમાસ પર નાસભાગ થતા ઘણા અખાડાઓએ શાહી સ્નાન રદ કર્યું હતું. આથી વસંત પંચમી પર મોટી સંખ્યામાં અખાડાના સાધુ સંતો સ્નાન કરી શકે છે. મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે ગંગા ઘાટ પર પહોંચી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ