/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/meerut-incident.jpg)
Meerut Incident: ઉત્તર પ્રદેશના મેરઠમાં શિવ પુરાણકથામાં નાસભાગ થતા ઘણી મહિલાઓને ઇજા થઇ છે. (Photo: Social Media)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 December 2024, આજના તાજા સમાચાર: ઉત્તરપ્રદેશના મેરઠમાં એક શિવ મહાપુરાણ કથા દરમિયાન નાસભાગ થઇ હતી. આ કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. નાસભાગ થતા ઘણી મહિલાઓ દબાઇ ગઇ હતી અને ઘાયલ થઇ હતી.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. હરિયાણાના પૂર્વ સીએમ અને ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે 89 વર્ષની વયે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓમ પ્રકાશ ચૌટાલાનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. ઓમ પ્રકાશ ચૌટાલા છેલ્લે 5 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ સિરસાના એક પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
હરિયાણા સરકારે INLD સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર 3 દિવસનો રાજકિય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર 21 ડિસેમ્બરે સિરસામાં રાજકિય સન્માન સાથે કરવામાં આવશે.
દિલ્હીમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાને આજે સવારે બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી મળતા સુરક્ષા દળો શાળા પર પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીના દ્વારકા વિસ્તારની ડીપીએસ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા બંધ રાખવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે. અગાઉ મંગળવારે સાઉથ દિલ્હી અને નોર્થ દિલ્હીની બે શાળાને બોમ્બની ધમકી હતી.
જયુપરમાં કેમિકલ ટેન્કર વાહન સાથે અથડાતા ભયંકર વિસ્ફોટ, ઘણા વાહનો અને પેટ્રોલ પંપ ખાખ, 4 મોત
રાજસ્થાનના અજમેર જયપુર રોડ ભાંકરોટા વિસ્તારમાં કેમિકલ ટેન્કરે વાહનને ટક્કર મારતા ટેન્કરમાં વિસ્ફોટ થતા ભયંકર આગ લાગી હતી. આ વિસ્ફોટથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘણા વાહનો અને પેટ્રોલ પંપ પણ ચપેટમાં આવી ગયા હતા.જયપુરના કલેક્ટર જિતેન્દ્ર સોનીએ જણાવ્યું કે, આ ઘટનામાં 4 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા છે અને 40 વાહનોને નુકસાન થયું છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગ્રેડ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચા ગયા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટના બાદ જયપુર અજમેર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
- Dec 20, 2024 23:41 IST
પીએમ નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બર 2024ના રોજ કુવૈતની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કુવૈતમાં 'હાલા મોદી' કાર્યક્રમનું રિહર્સલ ચાલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બર 2024ના રોજ કુવૈતની મુલાકાત લેશે. 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે.
watch प्रधानमंत्री नरेंद्र मोदी की यात्रा से पहले कुवैत में 'हाला मोदी' कार्यक्रम की रिहर्सल चल रही है।
प्रधानमंत्री नरेंद्र मोदी 21-22 दिसंबर 2024 को कुवैत का दौरा करेंगे। यह 43 वर्षों में किसी भारतीय प्रधानमंत्री की पहली कुवैत यात्रा होगी। pic.twitter.com/YR4BaFaWAV— ANI_HindiNews (@AHindinews) December 20, 2024
- Dec 20, 2024 19:18 IST
અમિત શાહના ભાષણને લઈને કોંગ્રેસના કાર્યકરોનું રાંચીમાં વિરોધ પ્રદર્શન
ઝારખંડ: બંધારણ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને લઈને કોંગ્રેસના કાર્યકરોએ રાંચીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
watch झारखंड: संविधान पर बहस के दौरान राज्यसभा में केंद्रीय गृह मंत्री अमित शाह के भाषण को लेकर कांग्रेस कार्यकर्ताओं ने रांची में विरोध प्रदर्शन किया। pic.twitter.com/rTd5Ue0s5p
— ANI_HindiNews (@AHindinews) December 20, 2024
- Dec 20, 2024 18:26 IST
ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય પરેશ વાઘેલા અમિત શાહના કાર્યક્રમનો બહિષ્કાર કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે આપેલા નિવેદનો સામે વાંધો ઉઠાવતા અમદાવાદના બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ના સભ્ય પરેશ વાઘેલાએ જાહેરાત કરી છે કે તેઓ આ દિવસે જાહેર કાર્યક્રમનો બહિષ્કાર કરશે. આ કાર્યક્રમ 30 ડિસેમ્બરે યોજાશે. અમિત શાહને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પરેશ વાઘેલાએ કહ્યું કે જો અમિત શાહ આંબેડકરના કથિત અપમાન બદલ માફી નહીં માંગે તો તેઓ કાર્યક્રમનો બહિષ્કાર કરશે.
- Dec 20, 2024 17:32 IST
પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર હરિયાણામાં 3 દિવસનો રાજકીય શોક
હરિયાણા સરકારે INLD સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર 21 ડિસેમ્બરે સિરસામાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
- Dec 20, 2024 14:06 IST
મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં નાસભાગ, ઘણી મહિલાઓ ઘાયલ
ઉત્તરપ્રદેશના મેરઠમાં એક શિવ મહાપુરાણ કથા દરમિયાન નાસભાગ થઇ હતી. આ કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. નાસભાગ થતા ઘણી મહિલાઓ દબાઇ ગઇ હતી અને ઘાયલ થઇ હતી.
https://twitter.com/ians_india/status/1870022016666894750
- Dec 20, 2024 12:51 IST
હરિયાણાના પૂર્વ CM ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. હરિયાણાના પૂર્વ સીએમ અને ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે 89 વર્ષની વયે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓમ પ્રકાશ ચૌટાલાનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. ઓમ પ્રકાશ ચૌટાલા છેલ્લે 5 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ સિરસાના એક પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
https://twitter.com/AHindinews/status/1870003605568401652
- Dec 20, 2024 11:35 IST
લોકસભામાં કાર્યવાહી અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત
લોકસભામાં કાર્યવાહી અચોક્કસ મુ્દ્દત સુધી સ્થગિત કરવામાં આવી છે.
लोकसभा की कार्यवाही अनिश्चितकाल के लिए स्थगित हुई। pic.twitter.com/ORCZmHGZOk
— ANI_HindiNews (@AHindinews) December 20, 2024
- Dec 20, 2024 10:05 IST
સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટી 79000 નીચે, બેંક અને આઈટી શેરમાં વેચવાલી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 79218 સામે વધીને આજે 79335 ખુલ્યો હતો. જો કે આઈટી અને બેંક શેરમાં વેચવાલીના દબાણથી આરંભિક સુધારો ધોવાઇ ગયો હતો. પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેક્સ ટ્રેડિંગ સેશનના પહેલા જ કલાકમાં 400 પોઇન્ટ તૂટ્યો અને 79000 લેવલ તોડી નીચામાં 78732 સુધી ગયો હતો. નિફ્ટી પાછલા બંધ 23951 સામે આજે 23960 ખુલ્યો હતો. જો કે વેચવાલીના દબાણથી નિફ્ટી 110 પોઇન્ટ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 390 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 270 પોઇન્ટ તૂટ્યો હતો.
- Dec 20, 2024 08:43 IST
રાજસ્થાનના અજમેરમાં વાહનો અથડાતા ભયંકર આગ, ઘણા વાહનો અને પેટ્રોલપંપ ખાખ, 4 મોત
રાજસ્થાનના અજમેર જયપુર રોડ ભાંકરોટા વિસ્તારમાં કેમિકલ ટેન્કરે વાહનને ટક્કર મારતા ટેન્કરમાં વિસ્ફોટ થતા ભયંકર આગ લાગી હતી. આ વિસ્ફોટથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘણા વાહનો અને પેટ્રોલ પંપ પણ ચપેટમાં આવી ગયા હતા.જયપુરના કલેક્ટર જિતેન્દ્ર સોનીએ જણાવ્યું કે, આ ઘટનામાં 4 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા છે અને 40 વાહનોને નુકસાન થયું છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગ્રેડ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચા ગયા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટના બાદ જયપુર અજમેર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
https://twitter.com/AHindinews/status/1869938720478261725
- Dec 20, 2024 08:30 IST
દિલ્હીની ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 10 દિવસમાં છઠ્ઠી ઘટના
દિલ્હીની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાને આજે સવારે બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી મળતા સુરક્ષા દળો શાળા પર પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીના દ્વારકા વિસ્તારની ડીપીએસ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા બંધ રાખવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે. અગાઉ મંગળવારે સાઉથ દિલ્હી અને નોર્થ દિલ્હીની બે શાળાને બોમ્બની ધમકી હતી.
https://twitter.com/AHindinews/status/1869934634567643600


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us