Gujarati News 20 July 2024 Highlights: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે : ચિરાગ પાસવાન

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 July 2024 : કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025માં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 July 2024 : કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025માં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
chirag paswan, ચિરાગ પાસવાન

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન (તસવીરઃ X/@iChiragPaswan)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 July 2024 Highlights, આજના તાજા સમાચાર: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025માં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે. ચિરાગ પાસવાને કહ્યું કે બિહારી આટલા આગળ છે, તો બિહાર આટલું પાછળ કેમ છે? આપણે આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ચિરાગ પાસવાને બિહાર સરકારને કહ્યું કે રાજ્યમાં અપરાધ અને પુલ તૂટવાના મામલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને દાખલો બેસાડે. ચિરાગ પાસવાને કહ્યું કે તાજેતરના મહિનાઓમાં બિહારમાં 15 પુલ તૂટી પડવાની ઘટના એક ગંભીર મુદ્દો છે.

Advertisment

UPSC અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ સમાપ્ત થાય એ પહેલા આપ્યું રાજીનામું

સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી)ના અધ્ય મનોજ સોનીએ પોતના કાર્યકાળ સમાપ્ત થયા પહેલા પાંચ વર્ષ પહેલા પોતાનું રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામામાં તેમણે કહ્યું કે તેઓ ખાનગી કારણોના કારણે આ પદ પરથી હટી રહ્યા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 20ના મોત

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 20 થયો છે. જ્યારે અત્યારસુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે. જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે.

  • Jul 20, 2024 22:54 IST

    બાંગ્લાદેશમાંથી 1000 ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી

    બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ ખતમ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ કારણે ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલતને કાબુમાં લેવા માટે રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લગાવી દીધો છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયેલા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે. ભારતીય હાઈ કમિશન પણ આમાં વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, બંદરગાહ અને સીમા સુરક્ષા દળને સહકાર આપી રહ્યું છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 778 ભારતીય વિદ્યાર્થીઓ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા છે. 200 થી વધુ વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા ફ્લાઇટ દ્વારા ઘરે પરત ફર્યા છે



  • Jul 20, 2024 21:50 IST

    ઉત્તર પ્રદેશ: અમરોહા યાર્ડ ખાતે માલગાડીના લગભગ 7 ડબ્બા પાટા પરથી ઉતરી

    અમરોહા, ઉત્તર પ્રદેશ: ગાઝિયાબાદ-મુરાદાબાદ સેક્શન વચ્ચે અમરોહા યાર્ડ ખાતે માલગાડીના લગભગ 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેના કારણે અવરજવર બાધિત થઇ છે. મુરાદાબાદ-સહારનપુર-મેરઠ ગાઝિયાબાદ વચ્ચેનો વૈકલ્પિક માર્ગ ટ્રેનોની અવરજવર માટે ખુલ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) July 20, 2024



  • Advertisment
  • Jul 20, 2024 18:21 IST

    બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે : ચિરાગ પાસવાન

    કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025માં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે. ચિરાગ પાસવાને કહ્યું કે બિહારી આટલા આગળ છે, તો બિહાર આટલું પાછળ કેમ છે? આપણે આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ચિરાગ પાસવાને બિહાર સરકારને કહ્યું કે રાજ્યમાં અપરાધ અને પુલ તૂટવાના મામલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને દાખલો બેસાડે. ચિરાગ પાસવાને કહ્યું કે તાજેતરના મહિનાઓમાં બિહારમાં 15 પુલ તૂટી પડવાની ઘટના એક ગંભીર મુદ્દો છે.



  • Jul 20, 2024 17:21 IST

    પોરબંદરમાં ભારે વરસાદ - મદદ માટે કોલ સેન્ટર શરુ કરાયું

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પોરબંદર મારો સંસદીય મતવિસ્તાર છે, અહીં છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે નદીઓ છલકાઈ છે અને વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શહેરી વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો છે. 44 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. 600 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. અહીં કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી કોલ આવે છે, તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) July 20, 2024



  • Jul 20, 2024 15:30 IST

    મુંબઈમાં મરીન ડ્રાઇવ પર દરિયાના ઉંચા મોજા ઉછળ્યા

    મુંબઈમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મરીન ડ્રાઇવ પર દરિયાના ઉંચા મોજા ઉછળ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) July 20, 2024



  • Jul 20, 2024 13:51 IST

    UPSC અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ સમાપ્ત થાય એ પહેલા આપ્યું રાજીનામું

    સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી)ના અધ્ય મનોજ સોનીએ પોતના કાર્યકાળ સમાપ્ત થયા પહેલા પાંચ વર્ષ પહેલા પોતાનું રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામામાં તેમણે કહ્યું કે તેઓ ખાનગી કારણોના કારણે આ પદ પરથી હટી રહ્યા છે.



  • Jul 20, 2024 10:36 IST

    રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, પોલીસ સેવામાં OBCને આપવામાં આવેલી 5 વર્ષની છૂટ સમાપ્ત

    રાજ્યની ભજનલાલ સરકારે રાજસ્થાન પોલીસ સર્વિસ (RPS)માં OBC વર્ગના લોકોને અપાતી 5 વર્ષની વય છૂટછાટ નાબૂદ કરી છે. શુક્રવારે મોડી સાંજે આ અંગેનું જાહેરનામું બહાર પડતાં જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય હરીશ ચૌધરીએ બે દિવસ પહેલા વિધાનસભામાં 'ઠાકુર કા કુઆન' કવિતા સંભળાવીને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગયો હતો, તેણે સૌથી પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો અને 'ઓબીસીના અધિકાર માટે લડત' લડવાની વાત કરી હતી. હાઉસ માટે શેરીઓ છે.



  • Jul 20, 2024 09:43 IST

    રાજ્યમાં સવારે બે કલાકમાં 32 તાલુકામાં વરસાદ, જૂનાગઢમાં સવારથી જ ભારે વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 20 જુલાઈ 2024, શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢમાં નોંધાયો હતો. જૂનાગઢના વંથલીમાં બે ઈંચ, જૂનાગઢ શહેરમાં દોઢ ઈંચ અને માણાવદરમાં એક ઈંચ કરતા વધારે વરસાદ પડ્ય હતો.



  • Jul 20, 2024 08:44 IST

    દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ અને કેશોદમાં સાડા 8 ઈંચ વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ અને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 20, 2024 08:27 IST

    દેશના બે ભૂતપૂર્વ આર્મી ચીફના પુસ્તકો લૉન્ચ થતા અટક્યાં

    કારગિલ યુદ્ધને આ મહિને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું એક પુસ્તક છ મહિનાથી વધુ સમયથી પ્રકાશન માટે અટવાયેલું છે. અન્ય ભૂતપૂર્વ આર્મી ચીફનું પુસ્તક 2 ઓગસ્ટે રિલીઝ થવાનું હતું, પરંતુ તેને પણ અટકાવી દેવામાં આવ્યું છે. બંને કિસ્સાઓમાં પ્રકાશક સંરક્ષણ મંત્રાલયના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ પુસ્તકોમાં કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી છે.



  • Jul 20, 2024 08:08 IST

    દેશના બે ભૂતપૂર્વ આર્મી ચીફના પુસ્તકો લૉન્ચ થતા અટક્યાં

    કારગિલ યુદ્ધને આ મહિને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું એક પુસ્તક છ મહિનાથી વધુ સમયથી પ્રકાશન માટે અટવાયેલું છે. અન્ય ભૂતપૂર્વ આર્મી ચીફનું પુસ્તક 2 ઓગસ્ટે રિલીઝ થવાનું હતું, પરંતુ તેને પણ અટકાવી દેવામાં આવ્યું છે. બંને કિસ્સાઓમાં પ્રકાશક સંરક્ષણ મંત્રાલયના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ પુસ્તકોમાં કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી છે.



  • Jul 20, 2024 08:06 IST

    શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે

    આજે 20 જુલાઈ 2024, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Jul 20, 2024 07:40 IST

    રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 20ના મોત

    સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 20 થયો છે. જ્યારે અત્યારસુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ